સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ઉદયન ઠક્કર


ડ્રાઉં ડ્રાઉં (બાળવાર્તા) – ઉદયન ઠક્કર 7

એનસીઈઆરટી – દિલ્હી દ્વારા પ્રાયોજીત ૨૮મી રાષ્ટ્રીય પારિતોષિક સ્પર્ધામાં વર્ષ ૧૯૯૪-૯૫માં સર્વોત્તમ પુસ્તકનું ઈનામ પ્રાપ્ત કરનાર શ્રી ઉદયનભાઈ ઠક્કરના બાળવાર્તાઓના પુસ્તક ‘એન મિલાકે ટેન મિલાકે છૂ…’ માંથી આજની વાર્તા સાભાર લીધી છે. રોજીંદા જીવનના સરળ અને સહજ પ્રસંગો બાળમન પર અસર છોડે છે, એવા જ પ્રસંગો બાળકને કુદરત અને પ્રાણીજગત સાથે પણ જોડી આપે છે. અક્શરનાદને પ્રસ્તુત પુસ્તકની સામગ્રી પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી ઉદયનભાઈનો અને મદદ માટે શ્રી દિનેશભાઈ બૂચ સાહેબનો ખૂબ ખૂબ આભાર.


જુગલબંધી (કાવ્ય આસ્વાદ) – ઉદયન ઠક્કર (ઈ-પુસ્તક ડાઉનલોડ) 2

સત્વશીલ, ભાવસભર, મર્મભેદી અને સાત્વિક સાહિત્યના પ્રસાર અને પ્રચાર માટે નિ:શુલ્ક ‘જાહેરાત મુક્ત’ ગુજરાતી ઈ-પુસ્તક પ્રકાશન યોજના હેઠળ જ્યાં અત્યાર સુધી 42 ઈ-પુસ્તકો પ્રસ્તુત થઈ ચૂક્યા છે એવી અક્ષરનાદની ઈ-પુસ્તક યોજનાને બહોળો આવકાર મળ્યો છે. કાવ્ય આસ્વાદ ખૂબ વાંચન, ચીવટ અને વિચારપ્રવૃત્તિ માંગી લેતું ક્ષેત્ર છે. મનપસંદ કાવ્યો અને તેમનો સુંદર આસ્વાદ – એવા અનેક કાવ્યોના રસાસ્વાદની જુગલબંધીને ઉદયનભાઈએ પ્રસ્તુત પુસ્તકમાં બખૂબી પ્રસ્તુત કરી છે. એક બેઠકે વાંચવુ અને પૂર્ણ કરવું ગમે તેવું આ પુસ્તક અક્ષરનાદને ઈ-સ્વરૂપે ઉપલબ્ધ કરાવવાની તક અને પરવાનગી આપવા બદલ ઉદયનભાઈનો ખૂબ ખૂબ આભાર.


આ ફક્ત એક મરઘાની વાત છે… – ઉદયન ઠક્કર 8

શ્રી ઉદયન ઠક્કરનું પ્રસ્તુત સચોટ અને સુંદર અછાંદસ એક સામાન્ય વાતને – જીવનની રોજીંદી ઘટનાને એક મરઘાના વિચારબિંદુથી વિચારપ્રેરક રીતે પ્રસ્તુત કરે છે. જો કે વાત ફક્ત એક મણિલાલ નામના મરઘાની છે, પણ એ ફક્ત તેની પણ નથી. અહીં કરેલી વાત કોની છે તે સમજવું વાચક પર છોડીને કવિ છેલ્લે એક સવાલ પૂછે છે – મણિલાલ જાય ક્યાં? મણિલાલ કરે શું? એ ફક્ત એક મરઘાની કથની નથી, ક્યાંક તેનું પરિપ્રેક્ષ્ય તેથી વિશાળ થઈ જાય છે. માણવી ગમે તેવી શ્રી ઉદયન ઠક્કરની આ સરસ વિચારપ્રેરક રચના શ્રી ચન્દ્રકાન્ત ટોપીવાળા સંપાદિત ‘આપણી કવિતાસમૃદ્ધિ’ માંથી સાભાર લીધી છે.


માછલીઓનું ગામ (બાળવાર્તા) – ઉદયન ઠક્કર 5

નાનપણમાં મિયાં ફુસકી, ચાચા ચૌધરી, ચાંદામામા અને ચંપક વગેરેમાં અનેક વાર્તાઓ વાંચતા, ત્યારની નાનકડી અને સરસ વાર્તાઓ વાંચવાની અને કલ્પનાની દુનિયામાં ખોવાઈ જવાની ખૂબ મજા આવતી. આજના બાળકો કાર્ટુનની દુનિયામાં જીવે છે, એ જ કાર્ટુન પાત્રોને યાદ રાખે છે, તેમના જેવું કરવાના પ્રયત્નો કરે છે. વાર્તાઓના વિશ્વને તેઓ સતંદર ભૂલી ચૂક્યા છે. સદનસીબે ગુજરાતીમાં હજુ પણ એવી સુંદર બાળવાર્તાઓ પ્રસ્તુત થાય છે જે આજના બાળકો માટે તદ્દન ઉપર્યુક્ત છે. ઉદયન ઠક્કર આપણા આગવા બાળવાર્તાકાર છે. પ્રસ્તુત વાર્તા તેમના બાળવાર્તાના પુસ્તક ‘મેં એક સિંહને પાળ્યો છે અને બીજી વાર્તાઓ’ માંથી સાભાર લેવામાં આવી છે. પ્રસ્તુત વાર્તા વાંચ્યા પછી ઠંડક માછલીનું પાત્ર બાળમાનસમાં ખૂબ સ્પષ્ટ છાપ છોડી જશે એ ચોક્કસ. આ બાળવાર્તાઓના પુસ્તકો અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


એક પતિના દીવાસ્વપ્નો – રઈશ મનીઆર

હોય મર્સિડિસ સપનામાં અને ટ્રેક્ટર મળે; ના કદી એવી કૃપા પત્નીની બાબત પર મળે. બસ પ્રતિક્ષ દસમો રસ્તો અને જુહુ પર ઘર મળે; “બાય” કહી નીકળું જયા ને, રેખા રસ્તા પર મળે. પત્ની ઈચ્છે છે મળે ઘર, ઘર મહીં પાવર મળે; એટલે પતિદેવ પોણી જિંદગી બાહર મળે. જ્યોતિષી કહે છે મને, એ દેશ જઈ અજમાવ ભાગ્ય; જ્યાં ગધેડાને વગર દોડ્યે તરત ગાજર મળે. લગ્ન ક્ષેત્રે સામટાં બે સુખ મળે ના કોઈને ! હો શ્વસુર સધ્ધર અગર, તો છોકરી અધ્ધર મળે… – રઈશ મનીઆર અને છેલ્લે એક એલચી મારી પત્ની આઈ સ્પેશીયાલીસ્ટ છે, તેનું મને ગૌરવ છે પણ જ્યારે જ્યારે મારી આંખમાં આંસુ હોય છે ત્યારે તે આંસુ તેના મુલાયમ પાલવ થી લૂછતી નથી પણ પ્રિસ્ક્રીપ્શન લખી આપે છે…..” – ઉદયન ઠક્કર