સંપાદક પરિચય 152


Editorsપ્રતિભા અધ્યારૂ

જીવનમાં કેટલાક લોકોને પોતાના કામને ફરજિયાત મનગમતું કરવું પડે છે જ્યારે ઘણાને સામેથી મનગમતું કામ મળી રહે છે. પરંતુ આ બંને પ્રકારોનો સમન્વય દરેક ગૃહિણીના જીવનમાં તો રોજ થતો હોય છે ! રોજબરોજનું ઘરકામ ક્યારેક કંટાળાજનક લાગે તોય તેને ગમાડવું પડે છે; તો વળી, થોડો શોખ કેળવીએ તો મનગમતી પ્રવૃત્તિ પણ આપણી નજરની સામે જ ઊભેલી હોય છે ! ‘અક્ષરનાદ’ મારા માટે એવી જ મનગમતી પ્રવૃત્તિ છે. મને એમ લાગે છે કે આ પ્રવૃત્તિ માત્ર એક દિવસનો નહીં, પરંતુ જાણે અનેક જન્મોનો થાક ઉતારીને મનને આનંદથી તરબતર કરી મૂકે છે. એ ખરેખર અંતરના નાદ તરફ અક્ષરના માધ્યમથી દોરી જાય છે.

આ પ્રવૃત્તિનું મંગલાચરણ થયું કોમ્પ્યુટર પર ગુજરાતી લેખનની સુવિધા દ્વારા. એક દિવસ અનાયાસ એકાદ ફકરો ગુજરાતીમાં લખવાની, કહો કે ટાઇપ કરવાની જરૂરિયાત ઊભી થઈ અને એ અનુભવ એવો તો મનમાં વસી ગયો કે ધીમે ધીમે કોમ્પ્યુટરના માધ્યમ વડે ગુજરાતી લખવાનું ગમવા લાગ્યું. એ પછી બપોરે ઘરનું કામકાજ પરવારીને સરસ પુસ્તકો વાંચવાનું, લેખ શોધવાનું અને આંગળીઓને કી-બોર્ડ પર સરકાવવાનું રોજનું થઈ પડ્યું ! લગ્ન બાદ બંધ થયેલા લેખન-વાંચનની પ્રવૃત્તિના દ્વાર જાણે ફરીથી ખૂલી ગયા. મને ખૂબ આનંદ આવવા લાગ્યો. વિચારોની દુનિયામાં વિહરવાનો મોકો મળ્યો અને સંવેદનાનું સરોવર ફરીથી હિલોળા લેવા લાગ્યું.

હું માનું છું કે ગૃહિણીના જીવનમાં વાંચન-લેખનનું વિશેષ સ્થાન હોવું જોઈએ. તેણે પરિવારને સંભાળવાનો છે, સંતાનોને કેળવણી આપવાની છે અને સાથે અનેક સામાજિક જવાબદારીઓ નિભાવવાની હોય છે. જો તેના વિચારો અને ચિંતન વિશાળ નહીં હોય તો એ કેમ કરીને આ બધું સંભાળી શકશે ? વાંચન જીવનમાં નવા રંગો પૂરે છે. લેખનની પ્રવૃત્તિ આપણને લાગણી વ્યક્ત કરવાની તક પૂરી પાડે છે. એના વગરના જીવનની કલ્પના કેમ કરી શકાય ? સભ્ય સમાજ માટે વાંચન સમય પસાર કરવાની પ્રવૃત્તિ ભલે હોય, પણ હું માનું છું કે તે સ્વસ્થ જીવનની એક આવશ્યક જરૂરિયાત છે અને મારી એ જરૂરિયાત ‘અક્ષરનાદ’ના માધ્યમથી મને સતત પરમ સુખ આપતી રહે છે. તે ઘણા વ્યર્થ વિચારોનો ભાર ઓછો કરીને જીવનમાં હળવાશ લાવે છે. પ્રકૃતિની નિકટ લઈ જાય છે અને જીવનની તમામ ઘટનાઓને નવી નજરે જોવાની સ્ફૂર્તિ અને તાજગી બક્ષે છે.

‘અક્ષરનાદ’થી મારી અંદર પડેલા વાંચનના બીજને અંકુરિત થવાનો મોકો મળ્યો છે; જેનો તમામ શ્રેય હું મારા પતિને આપું છું. એમની લેખન, વાંચન અને પરિભ્રમણની પ્રવૃત્તિએ મારા અને અમારા પરિવારના સૌનું જીવન રસમય બનાવ્યું છે. એનાથી અમે દુનિયાની ભાગદોડ વચ્ચે પણ અલિપ્ત રહીને જીવનનો સાચો આનંદ માણી શક્યા છીએ. તેમની કલમે મેં કવિતાઓનો આસ્વાદ માણ્યો છે તો તેમની આંખે મેં પ્રકૃતિના આસ્વાદની અનુભૂતિ માણી છે. બાળસાહિત્યથી લઈને અધ્યાત્મ સુધીના વિવિધ વિષયો પર ‘અક્ષરનાદ’ને ખોળે બેસી અમને સહચિંતન કરવાનો મોકો મળ્યો છે. એનાથી વધારે ધન્યતા જીવનમાં બીજી કઈ હોઈ શકે ?

અમે બંને ઈચ્છીએ કે ‘અક્ષરનાદ’ના માધ્યમથી આપ સૌ અમારા આ આનંદમાં સહભાગી બનો અને અમારું આતિથ્ય સ્વીકારો. જીવનની જે મધુર ક્ષણો સાહિત્યના સાનિધ્યમાં અમે માણી છે તેને આપ સુધી પહોંચાડવામાં અમે નિમિત્ત બની શકીએ તો એના જેવું રૂડું બીજું શું હોઈ શકે ? આશા રાખું છું કે આપની આ સાહિત્યિક સફર પરમ આનંદદાયક બની રહેશે. હંમેશની જેમ આપના સૂચનો અને પ્રતિભાવો સદા આવકાર્ય છે.

અસ્તુ.

પ્રતિભા અધ્યારૂ.

જીગ્નેશ અધ્યારૂ

સંસ્કૃતભાષામાં એક શબ્દ છે ‘કિલક’ – જેનો અર્થ થાય છે : ‘વ્યક્તિની ચેતનાનું એક અંતરતમ સૂક્ષ્મતત્વ જે કદી પણ બદલાતું નથી અને ક્યારેક તો આખા જીવનને તે સંચારિત કરતું હોય છે.’ મારા માટે લેખન, વાંચન અને ભ્રમણની પ્રવૃત્તિ આવા ‘કિલક’ સમાન છે. સામાજિક, આર્થિક અને વ્યાવસાયિક જવાબદારીઓના ગમે તેટલા ઢોળ ચઢે પણ આ ‘કિલક’ને તેની કોઈ અસર થતી નથી, બલ્કે જેમ જેમ બાહ્ય પ્રવાહોની તીવ્રતા વધે છે તેમ તેમ આ પ્રવૃત્તિઓનો સંગાથ વધારે ને વધારે રૂચિકર લાગે છે. ‘અક્ષરનાદ’ મારા માટે આ ત્રણેય પ્રવૃત્તિઓનું સંગમ સ્થાન ‘પ્રયાગ’ છે. તેને કેન્દ્રમાં રાખીને મારી અનુભૂતિના કેટલાક ‘અક્ષર’ આપની પાસે લઈને આવ્યો છું.

ત્રણેય પ્રવૃત્તિઓને જો મારે ક્રમમાં ગોઠવવી હોય તો પહેલો નંબર હું ‘પરિભ્રમણ’ને આપું. એને તમે મારું પ્રથમ ‘કિલક’ કહી શકો. ક્યારેક એવું બનતું હોય છે કે આપણી અંતરંગવૃત્તિઓને બહાર લાવવામાં આપણી આસપાસનું વાતાવરણ ભાગ ભજવી જાય છે. મને એ વાતાવરણ પૂરું પાડ્યું છે સૌરાષ્ટ્રના ‘કશ્મીર’ ગણાતા મહુવા ગામે. સિવિલ એન્જિનિયરિંગના અભ્યાસે મને જમીન સાથે જોડ્યો છે, તો મહુવા પાસે આવેલા પિપાવાવ પોર્ટેની નોકરીએ મને દરિયાનું સાનિધ્ય પૂરું પાડ્યું છે. પાસે આવેલા ગીર વિશે તો મારે શું કહેવું ? ગીરનું ભ્રમણ એ મારો શોખ જ નહીં, સ્વભાવ બની ગયો છે. ગીરના અડાબીડ જંગલોમાંથી દેખાતા મધ્યરાત્રિના આકાશે જાણે પોતાની છાતી ચીરીને મને બ્રહ્માંડદર્શન કરાવ્યું છે. નેસમાં વસતા ભોળા માણસોની દુનિયા અને જગતથી અલિપ્ત એવા નાદાન બાળકોનું સ્મિત મને સતત એમની તરફ ખેંચતા રહે છે. હું હંમેશા ત્યાં દોડી જવા માટેની તક શોધતો હોઉં છું. કુદરતના ખોળે વહેતા ઝરણાં, શીતળ ધોધ, ચોમાસામાં ગિરે ઓઢેલી લીલી ચાદર, વહેલી સવારે સંભળાતો સિંહોના ડૂકવાનો અવાજ, ઝાડી પાછળ દેખાતી દિપડાની તગતગતી આંખો – આ બધું જાણે મને કોઈ અનોખી અગોચર દુનિયામાં મૂકી દે છે. ચાલુ ઑફિસમાં ગમે તેટલી વ્યસ્તતાની વચ્ચે કોઈ જો ‘ગીર’ શબ્દ બોલી દે તો એ ક્ષણ જાણે સમાધિમાં ફેરવાઈ જાય છે.

મારો બીજા ક્રમનો શોખ તે વાંચન. વાંચન વગરના જીવનની હું કલ્પના પણ કરી શક્તો નથી. તેમાંય ગીતો, કાવ્યો અને ગઝલોનું મને અદમ્ય આકર્ષણ રહ્યું છે. નવમા ધોરણમાં ‘મરીઝ’, બશીરભદ્ર અને મિર્ઝા ગાલિબ સાહેબને વાંચ્યા ત્યારે એ લય એટલો બધો સ્પર્શી ગયો કે કાવ્ય લખવાની શરૂઆત અજાણતા જ થઈ ગઈ ! જો કે શબ્દ અને લયમાં એ સમયે મનમેળ નહોતો પરંતુ એ ઘટનાએ જીવનની એક નવી બારી ખોલી આપી. એ પછીથી બાળસામાયિકોથી લઈને નવલકથાઓ સુધી વાંચન વિસ્તર્યું અને તેમાંથી લેખનના બીજ ધીમે ધીમે અંકુરિત થયા.

સ્વભાવે હું જીઓટેકનિકલ (સિવિલ) એન્જિનિયર છું એટલે લેખન મારા માટે ધરતીના પેટાળમાં ઊતરવા જેવી અંતર્મુખ પ્રવૃત્તિ છે. આ ‘કિલક’ બીજ રૂપે પાંગર્યું તો બાળપણમાં, પણ આજે તેની શાખાઓ ‘અક્ષરનાદ’ સુધી વિસ્તરી છે જેનો મને અત્યંત આનંદ છે. આખા દિવસની દોડધામ પછી રાત્રિની નિરવ શાંતિમાં કોઈક નાદ કાનોને ઘેરી વળે છે અને કલમ એ નાદને શબ્દસ્થ કરવા તત્પર બની જાય છે. રીડગુજરાતી પર પ્રકાશિત થયેલી મારી કૃતિઓએ આ નાદને બળ આપ્યું અને પરિણામે જાન્યુઆરી, 2008થી ઈન્ટરનેટના માધ્યમદ્વારા નિયમિતરૂપે કંઈક ને કંઈક લખવાનો સંયોગ બનતો રહ્યો. વાચકોએ મારી પ્રત્યેક કૃતિને વધાવી અને વખાણી જે મારી કલમ માટે અમૂલ્ય પ્રેરકબળ બની રહ્યું.

અગાઉ જણાવ્યું તેમ, આ ત્રણેય પ્રવૃત્તિઓ કેન્દ્રસ્થાને રહીને મારા સમગ્ર જીવનને સંચારિત કરી રહી હોય તેમ હું અનુભવું છું. એ મારા માટે ગમતાનો ગુલાલ કરવાની ઘટના છે. સર્જનાત્મક કાર્યમાં વીતાવેલો સમય એ મારી વ્હાલી દીકરી સાથે ગાળેલી આત્મીય ક્ષણો જેટલો જ કિંમતી છે તેમ હું માનું છું. અને તેથી જ ‘અક્ષરનાદ’ના માધ્યમ દ્વારા હું આપને આ મધુર ક્ષણોમાં સહભાગી થવાનું આમંત્રણ પાઠવું છું. આશા છે કે મારી જેમ આપની પણ આ શબ્દ-સફર આનંદદાયક બની રહેશે. પ્રત્યેક કૃતિ માટે આપના પ્રતિભાવો તેમજ સૂચનો સદા આવકાર્ય છે.

અસ્તુ.

જીગ્નેશ અધ્યારૂ.

Updated 15 July 2009


આપનો પ્રતિભાવ આપો....

152 thoughts on “સંપાદક પરિચય

  • Archita Pandya

    વાહ સરસ વાત કરી. જીવનની પ્રેરણા અને બળ આવી પ્રવૃત્તિઓથી જ મળતા રહે છે.

  • Atul Dave

    ગુજરાતી ભાષા માટેનો ખૂબ જ પ્રશંસનીય પરિશ્રમ.

    આપની સાઇટ પર રચના મુકવા માટેના નીતિનિયમો જણાવશો.
    અક્ષરનાદનું વૉટ્સએપ ગ્રુપ છે ?

    • રમેશ બી. હાથી.

      ખુબ સરસ
      મને બહુ મોડી ખબર પડી કે ગુજરાતી ભાષાના જાળવણી અને વિકાસ માટે તેમજ મૌલીક રચના અઓ માટે આટલું સરસ પલૅટ ફોર્મ છે.

  • vijay khacharia

    જીગ્નેશ ભાઈ ,હવે અક્ષરનાદ એપ આપો તો શાંતિ થી વાર્તાઓ વાંચી શકાય, જય શ્રીકૃષ્ણ…

  • પ્રદીપ પંડયા

    માનવી ની ભવાઈ નવલકથા વેબસાઇટ પર મૂકી શકો તો સારું

  • મયાંક કે ભાવસાર

    મને અક્ષરનાદ વિષે મારા એક વયસ્ક મિત્ર શ્રી કાલિદાસ પટેલ સાહેબે જણાવ્યુ અને પ્રથમ નજરે જ મને નાદ સંભળાઈ ગયો છે.

  • dhara

    fanastic really god gifted couple jyare banne patro na ras ruchi saman hoy 6 or samaan thai jay 6 tyare jivan no andaaz j niralo thai jay 6 both of you lucky person best of luck for this yagna

  • Sachin Bhatt

    ભૈ જિગ્નેશ ખુબ ખુબ ધન્ય્વાદ અક્ષરનાદ મને બહુ જ પસન્દ આવે
    bhai akshanaad mate tamaro aabhar mani atlo ocho che,
    aap ne ak request che jo pannalal patel ni navalkatha download karo
    chandrkant bakshi ni pan navalkatha je amne aman sahitya na aarmanbhik kaal ma lakheli hati.
    once again thanks

  • DR PRAVIN KHATRI

    DEAR ALL JIGNESH PRATIBHA
    MY BLESSINGS IN ALL TYPES OF YOUR ACTIVITIES.I GO THROUGH YOUR BOTH PROFILES AND FIIL THAT “ AA BADHIJ PRAVRUTINA MULMA THI J JIGNESHNI PRATIBHA VISTAR PAMI CHHE ,PAMI RAHI CHHE ANE PAMSHE”
    BY THIS U ARE SERVING OUR MOTHERTONGUE THE GREAT GUJARATI
    ONCE MORE MY BLESSINGS AND FLARE FLARE AND FLARE WORLDWIDE.
    THANK U BOTH. IF U ARE IN AHMEDABAD IT WILL BE MY TREASURE TO MEET U BOTH.WRITE ME BY MAIL.
    DR PRAVIN KHATRI AHMEDABAD

  • Uttam Mistry

    અદભુત્ત કાર્ય કરી રહયા છો તમે
    એટલેજ જ્ળહળી રહયા છો તમે

    • Mohanlal Sanghvi

      અક્ષરનાદ પર મૌલિક રચના મુકવા શુ કરવું?
      લોકડાઉન દરમ્યાન ટૂંકી વાર્તાઓ, કાવ્યો પર થોડો હાથ અજમાવ્યો છે. રિટાયર્ડ સિવીલ ઇજનેર છું.

  • Dhanesh Parmar

    Heartily congratulations Jigneshbhai.

    Thank you very much for your venture. Gujarati is revive by the efforts of you people only. Hat off. Once again congratulations.

  • shailesh rathod

    અદ્દભુત,જીગ્નેશ
    વાંચીને આનદ થયો.ઈજનેર શોભી ઉઠ્યો.

    -શૈલેષ રાઠોડ
    ૯૮૨૫૪૪૨૯૯૧

  • Rajesh Popat

    Please update your profile on Aksharnaad dear.
    You’re not now on Pipavav Port any more. Therefore please update about your current status.

  • Yogesh Daxinee

    જીજ્ઞેશભાઇ ,
    ખૂૂૂબ જ સરસ… અભિનંદન….
    આજે જ વેબસાઇટ જોઇ… ખૂબ જ સુંદર અને સ્વચ્છ સાહિત્ય પીરસેલુ છેેે.
    પ્રોફાઇલમાં આપના ગુજરાતી ભાષા પ્રત્યેના પ્રેમની વાતો વાંચી… ખૂબ જ ગમ્યુ.. આપના જેવા સાહિત્ય પ્રેમી થકી જ ગુજરાતી ભાષા જીવંત છે…..
    ફરી વખત હદયથી અભિનંદન….
    યોગેશ દક્ષિણી …. ગાંઘીનગર

  • Niral

    Hi Jignesh,

    Thank you so much for uploading this many articles in gujarati. I would like to read “Better Half” book by Shashikala Joshipura if you can upload that book for everyone.

    Thanks,
    Niral Patel.

  • anil sheth

    pritibha ben & , jignesh bhai 1st time ” open your web site ” AKSHARNAAD” received by e-mail two lekh lindabenan and dikro (2)shashvat gandhi-gandhi vani, all are excellent. they forced to open your web site- AKSHANAAD.COM , AND I WILL GET KHAJANO. i am 74 years old . few knowledge of computer. basic know. now once by one read it every things. thank you PRTIBHA BEN & JIGNESH BHAI VERY HARD WORK DONE . <ANIL SHETH

  • Aruna Parekh

    Dear JIgneshbhai & Pratibhaben
    Lot of blessing / good wishes from the bottom of my heart–from ‘Sat Samndar parr se’
    You do not know , Beta?- how much I am enjoying this website
    Early childhood I loved all language, specially Gujarati,I got married at age 21 and moved to U.S with my husband in 1972
    I do not have words to describe–how much I missed my language time to time I used to cry even felt depressed–surrounding by other language ,now thanks to all these technology and young / creative
    minds like you —I feel so blessed to have this Luxury at my finger tip
    Please, do not hesitate to let me know–if I can be any help ?
    Once I figure out Gujarati type writer—-I also want to write in Asharnad–it will be dream come true,

  • નવીન મહેતા

    સાહિત્યકાર અનુક્રમ નથી ખુલતુ. ખુલે તો પસંંદગી સહેલાઈ થી થઈ શકે.

  • jugalkishor

    તમારા બન્નેના આ સંયુક્ત કાર્ય સાથે સંકળાયેલા કેટલાક શબ્દો જ પોતે ઘણા સુચક ને ઘણુંબધું કહી જનારા છે !

    અધ્યારુનો અર્થ શીક્ષક તો છે જ પણ નીમંત્રક એવોય થાય છે ! તમે બન્નેએ – પ્રતીભાબહેનના છેલ્લા ફકરામાં જે વાત લખી છે તે તમારા આ બન્ને ધર્મોને પ્રગટ કરે છે. તમે સાથે મળીને તમારા આ યજ્ઞકાર્ય (એક તબક્કે અધ્યારુ અને અધ્વર્યુ બન્નેના અર્થો એક બનતા હોવાથી યજ્ઞકાર્ય કરનાર)માં સહભાગી બનવા અને આતીથ્યસ્વીકાર કરવા સૌને નીમંત્ર્યા છે ! તમારાં આ નીવેદનોમાં તમારી ઘણીબધી પ્રવૃત્તી, તમારી નીષ્ઠા, તમારું સાહીત્યીક તપ વગેરે અનુભવાય છે.

    આ નાદ તમારા બન્ને માટેનો આંતરબાહ્ય બને અને તે સર્વક્ષેત્રીય, સર્વજનસુલભ બને તેવી શુભેચ્છા સાથે – જુ.

  • lata kanuga

    ખુબ સુંદર ને વાચવાનો આનંદ આવે એવી સાઇટ.

    થયુ આ માઇક્રોફીક્સન વળી કઈ બલાનું નામ છે. ખોલી સાઇટ ને
    થયુ જોઉ તો ખરી અંદર કેવુક લાંબૂ વાચવાનું હશે?
    ને લ્યો શરુ કરી વાતાઁ ને આવ્યો અંત…
    ઓહ! એમ ત્યારે. ..થોડાં માં ધણું.

  • Nikhil N. Makwana

    Hi, Jignesh sir! Nice to read your opinion mentioned above. I am Nikhil Makwana from Junagadh district and currently studing Electrical Engg. in Vidyanagar. See, I’m fond of writing something from my childhood. Right now I’m 20. I’m also interested in our vast literature. I’ve written till now only 4 Gujarati poems. One thing more, i don’t know much details about rules and norms for that. But I like to write it anyhow. So I would like to be the part of this website. If you want, I can show you my poems and if u think it’s fine, then post it to public. Thanking you, sir.

  • પ્રકાશ મિસ્ત્રી

    શ્રી જીગ્નેશભાઈ તથા પ્રતિભાબેન
    આપના વિષે વાંચી ઘણોજ આનંદ થયો, મેં એક નવલકથા વાંચેલ જેમા લેખક લખે છે ” ભોજ્યેષુ માતા કાર્યેષુ મંત્રી ………” એક રાજાની રાણી માટે, આ નવલકથા નુ નામ હુ ભુલી ગયેલ છુ. આપના ધ્યાનમા આવે તો જણાવજો,ગુજરાતીમા લખવા પ્રયત્ન કરુ છુ તમારા કી બોર્ડની મદદથી લખી શક્યો છુ. વિશેષ હુ ડીપ્લોમા મિકેનીક્લ એંજ્નીયર છુ, ઈંગરસોલ રેંડ ઈન્ડીયા લી. મા ૩૩ વર્ષ કામ કર્યા બાદ હાલ નિવ્રૃત છુ .

  • દુષ્યંત દલાલ

    શ્રી જીજ્ઞેષભાઈ તથા પ્રતિભા બેન,

    તમારા વિષે વાંચી આનંદ થયો.
    તમે દંપતીએ અક્ષરનાદ. કૉમ દ્વારા ગુજરાતી ભાષા ની અનન્ય સેવા કરી છે . સાથે સાથે ગુજરાતીઓ જેઓ પૉતાની માતૃભાષા ગુજરાતી લગભગ વીસરી ગયા છે તેઓ ને માતૃભાષા માટે લગાવ ઉભી કયૉઁ છે જે પ્રશંસનીય અને નોંધપાત્ર છે.
    પ઼ભુ આપના પ્રયાસ ને યશસ્વી બનાવે અને સદાય સફળ રાખે તેવી અભ્યર્થના.
    દુષ્યંત દલાલ

  • Lata soni kanuga

    ખૂબ આનંદ થયો કે આપ બંને નો એક શોખ છે. એથી અમારાં જેવા વાચકો ને નવું નવું ને અર્વાચીન સાહિત્ય
    પણ અહી વાંચવા મળે છે.

  • ચેતના ઠાકોર

    ગુજરાતી ભાશા સાથે જોડાઇ રહેવાનો સુંદર પ્રયત્ન છે .

    • અનિલ શાહ. પુના.

      અક્ષરનાદ વિશે વાંચન કર્યું ખૂબજ સુંદર, ગુજરાતી સાહિત્ય સરિતા ને વહેતી કરવાનો સારો પ્રયાસ છે ધન્યવાદ. અનિલ શાહ.

  • ચંદ્રશેખર પંડ્યા

    સ્નેહી શ્રી અધ્યારુ દંપતિ,

    આજે જ અક્ષરનાદની મુલાકાત લીધી. ખુબ ગમ્યું.
    ભાવનગર, મહુવા, પીપાવાવ, ગીર, પરિભ્રમણ વિ.
    બાબતો વાંચી આપના પ્રત્યેનું ખેંચાણ વધ્યું છે.
    કાવ્ય કૃતિઓમાં રસ ધરાવું છું. વોટ્સેપ ગ્રુપ ‘શબ્દસંહિતા’
    નો હાલમાં જ સભ્ય બન્યો છું તેથી આપનો પરિચય મને
    કરાવવાનું શ્રેય ચિરાગ ભટ્ટને આપીશ.
    આભાર અને યાદ.
    ચંદ્રશેખર પંડ્યા.

    • Virendragiri Gosai

      EXCELLENT WORK INDEED FOR OUR GUJARATI
      BOTH OF YOU STAY BLESSED
      PLEASE UPDATE YOUR SITE AND CONTINUE THE NOBLE WORK
      JAY JAY GARVI GUJARAT
      VIRENDRA GOSAI