સાહિત્યકાર મુજબ સંગ્રહ... : મીરાં બાઇ


પાંચ કૃષ્ણકાવ્યો – સંકલિત (ભાગ ૧) 3

શ્રીકૃષ્ણને કેન્દ્રમાં રાખીને લખાયેલ કાવ્યો-ગીત પ્રસ્તુત કરવાનો આ શિરસ્તો ગત જન્માષ્ટમીએ શરૂ થયો હતો. ૧૦ કૃષ્ણભક્તિની રચનાઓ અને નરસિંહ મહેતાની ૨૫ ભક્તિ રચનાઓ ગત વર્ષે પ્રસ્તુત કરી હતી. એ જ શ્રદ્ધાના વહેણને આગળ વધારતાં આજે પાંચ કૃષ્ણકાવ્યો પ્રસ્તુત છે. અનેક વિટંબણાઓ અને અશ્રદ્ધાના આ યુગમાં પણ એક જ આશા છે, કૃષ્ણ પોતાનું વચન નિભાવીને આ યુગમાં પણ ફરી અવતરશે…


આદ્યકવિઓના પાંચ વર્ષાકાવ્યો – સંકલિત (ભાગ ૧) 7

આપણા આદ્યકવિઓ જેવા કે નરસિંહ મહેતા, મીરાંબાઈ, ન્હાનાલાલ કવિ અને કૃષ્ણલાલ શ્રીધરાણીના વર્ષાકાવ્યો આજે પ્રસ્તુત કર્યા છે. આ વર્ષાકાવ્યોના વરસાદમાં સૌને રસતરબોળ કરવાનો પ્રયત્ન હજુ આગળ વધવાનો છે જે અંતર્ગત વધુ કાવ્યો મૂકાવાના છે. બે દિવસના વડોદરાના મુકામ દરમ્યાન વરસાદને મન ભરીને માણ્યો, શરીર પલળ્યું, મન પલળ્યું તો થયું વેબવિશ્વને પણ વર્ષાકાવ્યોના વરસાદમાં તરબોળીએ…


મીરાંબાઈ – લીલાવતી મુનશી 1

મીરાંનું જીવન અને કવિતા એ એક મહાપ્રયત્નનું પરિણામ છે. બાળપણથી જ મીરાંનું મન સંસારમાં રાચેલું નહોતું. અત્યંત પ્રેમભાવના વેગથી એની આંતરવૃત્તિ રંગાયેલી હતી. આ વૃત્તિ ભક્ત પિતામહને ત્યાં બાળપણમાં પોષાઈ. વૈધવ્યે એને જીવનમાં વણવાની તક આપી. મહારાણીપદ અને રાજકુળે એના સંસ્કારો વિકસાવ્યા અને પ્રતિકૂળતાઓ સામે ઝઝૂમતા ટકવાની તાકાત અને માનેલા આદર્શનો સાક્ષાત્કાર કરવાનો ઉત્સાહ આવ્યાં અને આ બધાના પરિણામે એના વિકાસ પામેલા વ્યક્તિત્વે આદર્શની પાછળ આત્મસમર્પણ કરી ચિરંજીવતા મેળવી. મીરાંની કવિતા અને જીવનને એકબીજાથી જુદાં ન પાડી શકાય. એના જીવનરસના નિર્ઝરણમાંથી એની કવિતા બની છે. એના કવિતાના રસપ્રવાહમાંથી એનું જીવન રચાયું છે. અને એ બંને, એનું જીવન અને એની કવિતા એક બીજાથી એતલાં અભિન્ન છે કે એમને છૂટાં પાડતાં બંને સામાન્ય થઈ રહે. મીરાં વિશેની આવી જ વાત વિગતે શ્રીમતી લીલાવતી મુનશીએ કરી છે.


કર્મનો સંગાથી… – મીરાંબાઇનો અમૃત પ્યાલો 1

કર્મનો સંગાથી રાણા મારૂ કોઇ નથી ખૂબ ભાવવહી, સરળ અને હૈયા સોંસરવુ ઉતરી જતુ ભજન છે. ભક્તિ સંપ્રદાયના ફેલાવામાં આવા સરળ ભજનોએ ખૂબ ફાળો આપ્યો છે…. માણો આ સુંદર ભજન અને સાથે તેની વિશદ સમજૂતી.


રામ રાખે ત્યમ રહીયે – મીરાંબાઈ (શાળાની પ્રાર્થનાઓ) 6

રામ રાખે ત્યમ રહીયે, ઓધવજી, રામ રાખે ત્યમ રહીયે આપણે ચીઠ્ઠીના ચાકર છૈયે….ઓધવજી કોઈ દિન પહેરીયે હીરનાં ચીર, તો કોઈ દિન સાદાં ફરીયે કોઈ દિન ભોજન શીરો ને પૂરી તો કોઈ દિન ભૂખ્યાં રહીયે….ઓધવજી કોઈ દિન રહેવાને બાગ બગીચા તો કોઈ દિન જંગલ રહીયે કોઈ દિન સૂવાને ગાદી તકીયા તો કોઈ દિન ભોંય પર સૂઈએ….ઓધવજી બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, તો સુખદુઃખ સર્વે સહિયે…. ઓધવજી  – મીરાંબાઈ


મેરે તો ગિરિધર ગોપાલ – મીરાંબાઇ

મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઇ; દૂસરા ન કોઇ, સાધો, સકલ લોક જોઇ … મેરે તો ભાઇ છોડ્યા બંધુ છોડ્યા, છોડ્યા સગા સોઇ; સાધુ સંગ બૈઠ બૈઠ લોક-લાજ ખોઇ … મેરે તો ભગત દેખ રાજી હુઇ, જગત દેખ રોઇ; અંસુઅન જલ સિંચ સિંચ પ્રેમ-બેલી બોઇ … મેરે તો દધિ મથ ઘૃત કાઢિ લિયો, ડાર દઇ છોઇ; રાણા વિષ કો પ્યાલો ભેજ્યો, પીય મગન હોઇ … મેરે તો અબ તો બાત ફૈલ પડી, જાણે સબ કોઇ; મીરાં ઐસી લગન લાગી હોની હો સો હોઇ … મેરે તો


પાયોજી મેને – મીરાં બાઇ 1

(  ભારતીય ભક્તિ સંગીતમાં મીરા નુ મહત્વ અનોખુ છે, તેના ગીતો લોક્જીભે રમે છે. મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ’, જેવા ભક્તિગીતો તેની શ્રીક્રુષ્ણ ભક્તિના અદમ્ય ઉદાહરણ છે. અત્રે મારુ મનગમતુ ગીત મૂકતા ખૂબજ આનંદ થાય છે.) પાયોજી મેને રામ-રતન ધન પાયો વસ્તુ અમોલીક દી મેરે સતગુરૂ, કિરપા કર અપનાયો … પાયોજી મેને જનમ જનમકી પુંજી પાઇ, જગમેં સભી ખોવાયો … પાયોજી મેને ખરચૈ ન ખુટે, વાકો ન લૂટે, દિન દિન બઢત સવાયો … પાયોજી મેને સતકી નાવ, ખેવટિયા સતગુરૂ, ભવ-સાગર તર આયો … પાયોજી મેને મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, હરખ હરખ જસ ગાયો … પાયોજી મેને – મીરા