સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ડો. આઇ કે વીજળીવાળા


પ્રસંગોના અમૃતબિંદુઓ – ડૉ. આઈ કે વીજળીવાળા 13

અનેકો વૈવિધ્ય ધરાવતો ઈન્ટરનેટનો મહાસાગર ખૂંદીને મેળવેલા અમૃતના બિંદુઓ જેવા આ પ્રસંગો ડૉ. આઈ કે વીજળીવાળાએ તેમના પુસ્તક અમૃતનો ઓડકાર અંતર્ગત સંકલિત કર્યા છે. મોતીચારો શ્રેણી અંતર્ગતનું આ તેમનું ચોથું પુસ્તક છે. હ્રદયને શાતા આપે, લાગણી આડેના બંધ ખોલી નાંખે અને ઈશ્વર પરની શ્રદ્ધા બેવડાઈ જાય એવા અદભુત પ્રસંગો વાંચતા જ હ્રદય તરબોળ થઈ જાય. નાનકડા પરંતુ ખૂબ જ સુંદર, પ્રત્યક્ષ બોધ ન હોવા છતાં સચોટ સંદેશ આ પ્રસંગોની ખૂબી છે. આજે એ જ પુસ્તકમાંથી બે પ્રસંગો અહીં પ્રસ્તુત કર્યા છે.


એક દિ મમ્મી નાની થઇ ગઇ – ડો. આઇ. કે. વીજળીવાળા 18

ડો. આઇ કે વીજળીવાળાની આ ખૂબ સુંદર કલ્પના એક નાનકડી બાળકીના મનની કલ્પના છે. જો હું મમ્મી હોઉં અને મારી મમ્મી મારી જેટલી નાની અને મારી દીકરી હોય તો તેને હું કઇ રીતે રાખું એવી સુંદર કલ્પનાને સરસ બાળકાવ્યમાં મઢીને તેમણે ખરેખર મોટી કમાલ કરી છે. સાંભળો આ બાળકી શું કહે છે….