સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ડાઉનલોડ


‘કવિતા નામે સંજીવની’ ગઝલસંગ્રહ – સંજુ વાળા (ઈ-પુસ્તક ડાઉનલોડ) 1

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત કવિશ્રી સંજુભાઈ વાળાનો ગઝલસંગ્રહ ‘કવિતા નામે સંજીવની’ અક્ષરનાદ પરથી ઈ-પુસ્તક સ્વરૂપે ડાઉનલોડ કરી શકાશે. અક્ષરનાદને આ સંગ્રહ ઉપલબ્ધ કરાવવા બદલ ચિરાગભાઈ ભટ્ટનો અને તેને ડાઉનલોડ માટે ઉપલબ્ધ કરાવવાની પરવાનગી બદલ શ્રી સંજુભાઈ વાળાનો આભાર.


હાસ્ય વહાલનો દરિયો.. – રમેશભાઈ ચાંપાનેરી (ઈ-પુસ્તક ડાઊનલોડ) 1

રમેશભાઈ ચાંપાનેરીના અનેક હાસ્યલેખો અક્ષરનાદ પર આપણે માણી રહ્યા છીએ. અત્યાર સુધીના તેમના અક્ષરનાદ પર પ્રસ્તુત થયેલા આ ૨૧ લેખો અહીં ક્લિક કરીને માણી શક્શો. આ સિવાયના તેમના હાસ્યલેખોનું એક સંકલન પુસ્તક ‘હાસ્ય વહાલનો દરિયો..’ આજે અક્ષરનાદ પર પ્રસ્તુત કરી રહ્યા છીએ. આ પુસ્તક માટે લેખો સાથે તેને પ્રસ્તુત કરવાની, વહેંચવાની વગેરે બધી જ જવાબદારી વિશ્વાસ સાથે તેમણે અમને આપી હતી. પુસ્તક પ્રસ્તુત થઈ રહ્યું છે ત્યારે અમને આશા છે કે એ જવાબદારીને અમે સફળતાપૂર્વક નિભાવી શક્યા છીએ.


ટૉરન્ટ ફાઇલશેરીંગ પદ્ધતિ : ૧ થી ૧૦ – જીજ્ઞેશ અધ્યારૂ (ઈ-પુસ્તક ડાઉનલોડ) 2

ટૉરન્ટ વપરાશકર્તાઓને એક માહિતી પુસ્તિકા આપવાની અને તેના વિશે ન જાણતા લોકોને મૂળભૂત જાણકારી આપવાનો પ્રયત્ન આ ઈ-પુસ્તક પ્રસિદ્ધ કરવાના મૂળમાં છે. ટૉરન્ટ પદ્ધતિ વડે ફાઇલ શેરીંગનું આખુંય વિશ્વ હવે તમારી સમક્ષ ઉપલબ્ધ છે અને આ ઈ-પુસ્તિકા તેના માટે પાશેરામાં પહેલી પૂણી પૂરી પાડશે એવી આશા છે.


માણ્ડૂક્ય ઉપનિષદ : ધ્યાન પ્રક્રિયા અને પ્રણવ (ઈ-પુસ્તક ડાઊનલોડ) – મહેન્દ્ર નાયક 7

મહેન્દ્રભાઈ નાયકના ‘શિવસૂત્ર પૂર્વભૂમિકા’ ઈ-પુસ્તકના તેરહજારથી વધુ ડાઊનલોડ થયા છે જ્યારે ‘જ્ઞાનનો ઉદય’ પણ તેરહજારથી વધુ ડાઊનલોડ પામ્યું છે. તેમનું પુસ્તક ‘પ્રણવબોધ’ અક્ષરનાદ પર થોડા સમય પહેલા પ્રસ્તુત થયું હતું અને એ પણ વાચકોના અપાર પ્રેમને પામ્યું. આધ્યાત્મિક લેખનશ્રેણી અંતર્ગત આજે પ્રસ્તુત થઈ રહેલ પુસ્તક ‘માણ્ડૂક્ય ઉપનિષદ : ધ્યાન પ્રક્રિયા અને પ્રણવ’ મહેન્દ્રભાઈ નાયકનું અક્ષરનાદ પર ચોથું પુસ્તક છે. માણ્ડૂક્ય ઉપનિષદનો સૂર મુખ્યત્વે ગૂઢ અને પવિત્ર એવા ૐ કાર અંગેની પૂર્ણ જાણકારી આપવાનો જ રહ્યો છે, જેથી એ જાણકારી મેળવીને સાધક પોતાના મનને યોગ્ય રીતે કેળવે અને તદ્ઉપરાંત ધ્યાન ધરીને, પોતાના આત્માને પરમ વાસ્તવિક્તા સાથે એકરૂપ કરી શકે. આ સુંદર પુસ્તક અક્ષરનાદ ડાઊનલોડ વિભાગમાં આજથી ઉપલબ્ધ થયું છે એ બદલ મહેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર.


सुभाषित संग्रह : ગુજરાતી ભાષાંતર સાથે – સંકલન: જયેન્દ્ર પંડ્યા (ઈ-પુસ્તક) 5

ત્રણસોથી વધુ સંસ્કૃત સુભાષિતોનો અનુપમ સંગ્રહ તથા તેનું ગુજરાતી ભાષાંતર આજે ઈ-પુસ્તક સ્વરૂપે પ્રસ્તુત કર્યું છે. શ્રી જયેન્દ્ર પંડ્યા દ્વારા સંકલિત આ સુભાષિતો અને તેનું ભાષાંતર આપને ગમશે એવી આશા છે. અક્ષરનાદને આ સુભાષિતો પાઠવવા અને ઈ-પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ શ્રી જયેન્દ્ર પંડ્યાનો ખૂબ ખૂબ આભાર. આ સંગ્રહ અક્ષરનાદના ઈ-પુસ્તક વિભાગમાંથી ડાઊનલોડ કરી શકાય છે.


વિશ્વશાંતિની ગુરુકિલ્લી – મનુભાઈ પંચોળી ‘દર્શક’ (ઈ-પુસ્તક ડાઊનલોડ) 3

“વિશ્વશાંતિની ગુરુકિલ્લી” ઈ-પુસ્તક મૂળ પુસ્તકની જેમ જ શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ દ્વારા અપાયેલા ચાર અદભુત વ્યાખ્યાનોનો સંગ્રહ છે. શ્રી મોહનભાઈ દાંડીકર અને શ્રી પ્રવીણભાઈ શાહ દ્વારા સંપાદિત આ પુસ્તક બાળવિજ્ઞાન અને શિક્ષણની દિવાદાંડી છે. પ્રસ્તુત વ્યાખ્યાનો શ્રી દર્શકની એક નિખાલસ અને સ્પષ્ટવક્તા તરીકેની છાપને સુદ્રઢ કરે છે તો તેમના બાળશિક્ષણ અને યુવાસશક્તિકરણ વિશેના વિચારો પોતાનામાં જ સ્વયંસ્પષ્ટ રીતે જરૂરી દિશાનિર્દેશો કરે છે. પ્રસ્તુત પુસ્તક અક્ષરનાદ પર પ્રસ્તુત કરવાના કૉપીરાઈટ્સ આપવા બદલ શ્રી રામચંદ્ર પંચોલીનો ખૂબ ખૂબ આભાર.


અક્ષરનાદનાં ઈ-પુસ્તકો… 9

અક્ષરનાદનો ઈ-પુસ્તક વિભાગ શરૂ થયો ત્યારથી આજ સુધી તેને સતત વાચકોનો અલભ્ય પ્રેમ અને પ્રોત્સાહન મળ્યા છે. અનેક વિટંબણાઓ પસાર કરીને તથા એક એક ઈ-પુસ્તક પાછળ ટાઈપીંગ, બબ્બે વખત પ્રૂફ રીડીંગ, ગોઠવણી અને પ્રસિદ્ધિ સુધીની સમગ્ર યાત્રામાં પૂરાયેલી અથાગ મહેનતને અંતે મળેલા ૫૦૦થી વધુ પ્રતિભાવ એ જ સૂચવે છે કે વાચકમિત્રોએ આ વિભાગને વધાવ્યો છે, માણ્યો છે અને પ્રસરાવ્યો છે.

અક્ષરનાદ પર ઉપલબ્ધ ૪૪ ઈ-પુસ્તકોના અત્યાર સુધી કુલ ૩,૨૫,૦૦૦ થી વધુ ડાઊનલોડ પૂર્ણ થયાં છે.


કાવ્ય-કોડિયાં – વેણીભાઈ પુરોહિત (ઈ-પુસ્તક ડાઉનલોડ) 2

આપણા ગુજરાતી ઈ-પુસ્તકાલયને સમૃદ્ધ કરવા આજથી ડાઊનલોડ વિભાગમાં ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ શ્રી વેણીભાઈ પુરોહિતના કેટલાક કાવ્યોનો સંકલિત સંગ્રહ, જેનું શીર્ષક છે ‘કાવ્ય-કોડિયાઁ’. મૂળે લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત આ પુસ્તિકાનુઁ અક્ષરનાદ ફક્ત ઈ-સંસ્કરણ પ્રસ્તુત કરી રહ્યુઁ છે. પ્રસ્તુત પુસ્તિકામાં પદ્યસર્જનમાં સિદ્ધહસ્ત કવિ શ્રી વેણીભાઈની અનેકવિધ પ્રકારની અને બહુરંગી કૃતિઓ આપ માણી શક્શો. આ જ પુસ્તકમાંની બે રચનાઓ અત્રે પ્રસ્તુત કરી છે.


પ્રણવબોધ.. (ઈ-પુસ્તક ડાઉનલોડ) – પ્રસ્તુતિ મહેન્દ્ર નાયક 4

જગદગુરુ આદ્યશઙ્કરાચાર્ય ભગવાને મુમુક્ષુઓ માટે એક સૂત્રરૂપ નિબંધ લખ્યો છે. આ નિબંધ માણ્ડૂક્ય ઉપનિષદ્ ને આધારે લખાયો છે.

“माण्डूक्यमात्रमेवालं मुमुक्षुणां विमुक्तये” અર્થાત એકમાત્ર માણ્ડૂક્ય ઉપનિષદ જ મુમુક્ષુઓની મુક્તિ માટે પર્યાપ્ત છે તેમ જ એ મુક્તિના સાધન, બ્રહ્મ અને આત્માના ભેદનું જ્ઞાન છે. તેથી આ નિબંધ સૂત્રરૂપ હોવા છતાં અધિકારીના બ્રહ્માત્મૈક્ય બોધ માટેનું પૂર્ણ સાધન છે. આ જ કારણે મુમુક્ષુ પરમહંસ સંન્યાસીઓ આનો નિત્ય નિયમથી અભ્યાસ કરે છે, અને એના અભ્યાસના ફળ સ્વરૂપ આત્મસાક્ષાત્કાર કરીને કૃતાર્થ થઈ જાય છે.

માણ્ડૂક્ય ઉપનિષદમાં ઓઙ્કાર (પ્રણવ)ની વ્યાખ્યા વડે બોધ કરાવવામાં આવ્યો છે. પ્રસ્તુત નિબંધ પણ એ જ સ્વરૂપે હોવાને કારણે પ્રણવની મદદથીજ બોધનું સાધન બને છે. આજથી અક્ષરનાદ પર આ પુસ્તક ડાઊનલોડ માટે નિઃશુલ્ક ઉપલબ્ધ છે. એ માટે જાઓ અક્ષરનાદ ઈ-પુસ્તક ડાઊનલોડ વિભાગમાં


મઝહબ હમેં સિખાતા, આપસમેં પ્યાર કરના – ડૉ. મહેબૂબ દેસાઈ (ઈ-પુસ્તક ડાઉનલોડ) 4

‘મઝહબ હમેં સિખાતા, આપસમેં પ્યાર કરના’ – આજે આ અનોખા પુસ્તકને અક્ષરનાદ પર ડાઊનલોડ માટે ઉપલબ્ધ કરાવી રહ્યો છું, હિન્દુ અને ઈસ્લામ – બંને ધર્મોનું રસદર્શન, મનન અને ચિંતન તથા તેના જીવનમાં અનુભવેલા ઉદાહરણોને ટાંકીને શ્રી ડૉ. મહેબૂબ દેસાઈએ આ સુંદર ઈ-પુસ્તક તૈયાર કર્યું છે. અક્ષરનાદને આ પુસ્તક નિઃશુલ્ક ડાઊનલોડ માટે ઉપલબ્ધ કરાવવા બદલ ખૂબ ખૂબ આભાર અને ડૉ. મહેબૂબભાઈને અનેક શુભકામનાઓ.


વિપિન પરીખના કાવ્યકોડીયાં – (ઈ-પુસ્તક ડાઉનલોડ) 5

અક્ષરનાદ ઈ-પુસ્તક વિભાગમાં લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા ૧૯૮૧માં સંપાદિત અને પ્રકાશિત ‘કાવ્યકોડિયાં’ની શ્રેણી સર્જક અનુસાર હવે એક પછી એક પ્રસ્તુત થશે. આ શ્રેણીમાં પ્રથમ છે શ્રી વિપિન પરીખના કાવ્યોનું શ્રી સુરેશ દલાલે કરેલું સંપાદન. વિપિન પરીખના અસરકારક અને ચોટદાર અછાંદસ જોયા પછી એમના કાવ્યોને જોવાની એક અલગ દ્રષ્ટિ મળી છે, એ ફક્ત અછાંદસ કે પદ્ય રચના નથી, એમાં નિબંધ છે, વાર્તા છે, ચિંતન છે, અધ્યાત્મ છે, પ્રેમ છે અને વેદના પણ ભારોભાર છે, એમાં એક સામાન્ય માણસની લાગણીઓને મળેલી અસામાન્ય વાચા છે. આશા છે આ ઈ-પુસ્તક અક્ષરનાદના વાચકોની ક્ષુધાને સુંદર રીતે પરીતૃપ્ત કરી શક્શે.


સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન (ઈ-પુસ્તક) 3

રાજકારણનું પાયાનું જ્ઞાન સૌને મળે તે જાતનું શિક્ષણ પ્રજાને આપવાનું કામ આપણેકરવાનું છે. તેમાં સૌથી પહેલી વાત એ છે કે આપણે લોકશાહી સમાજ રચવાનો છે. આ લોકશાહી આપણા દેશ માટેછ-સાત દાયકા જેટલી જ નવી વાત છે. આપણે ત્યાં એ આવી છે બ્રિટન અને અમેરીકામાંથી. ત્યાંની પ્રજાને એનો સૈકાઓનો અનુભવ છે. ત્યાંનાં શાણાં નરનારીઓએ લોકશાહી સમાજને માર્ગદર્શક એવા કેટલાક વિચારો જગત સામે મૂકેલા છે. તેમાંથી સાવ થોડાક વિચારોને સંકલીત કરીને લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કરાયેલ ટચૂકડી પુસ્તિકામાં મૂકાયા છે. આ ઈ-પુસ્તક આજથી અક્ષરનાદ પર ડાઊનલોડ માટે ઉપલબ્ધ છે.


બાળગીતા – મહેન્દ્ર નાયક (ઈ-પુસ્તક ડાઉનલોડ) 3

વિષ્ણુપુરાણમાં એક કથા છે, જેમાં અતિશય અત્યાચારો અને પાપોથી ત્રાસેલી પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરી વૈકુંઠમાં વિષ્ણુ પાસે પહોંચે છે અને પોતાની દયાજનક સ્થિાતિનું વર્ણન કરી પોતાને બચાવી લેવા પ્રાર્થના – આજીજી કરે છે. વિષ્ણું પણ એની કથા સાંભળી ખુબ જ દુઃખી થાય છે અને એને સાંત્વના આપે છે કે એ ટૂંક સમયમાં જ એક ગોપાલના સ્વરૂપે પૃથ્વીએ પર અવતરશે અને એના બધા જ ભક્તોને દુર્જનો, રાક્ષસો અને અસુરોના ત્રાસથી છોડાવશે તથા ધર્મની પુનઃ સંસ્થાંપના કરશે. પરિણામે કપરા સંજોગોમાં કૃષ્ણનનું આગમન થાય છે – ગોકુળ વૃંદાવન તેમનું ધામ બને છે અને એ પોતાનું કાર્ય ત્યાંથીજ આરંભ કરે છે. સમયાંતરે એમણે આપેલા વચન મુજબ પૃથ્વી પરના પાપોને એક પછી એક દુષ્ટો નાબૂદ કરે છે અને અંતે પોતાના મિત્ર – સખા અને ભક્તન અર્જુનને ગીતાનો પાઠ ભણાવી – તેના થકી મહાભારતનું યુદ્ધ જીતીને પોતાનું કાર્ય પૂર્ણ કરે છે.

આજના આ વિષમ કાળમાં દરેક માનવીને પોતાની અંદર અને બહાર ચાલી રહેલા મહાભારતના યુદ્ધને જીતવામાં મદદરૂપ થઈ શકે છે. આ જ્ઞાન અગાઉ પણ વારંવાર વિસરાયું હતું અને આજે પણ એજ પરિસ્થિતી છે, ત્યારે ફરી કોઈ ગોપાલ આવી તમારી રક્ષા કરે તેની રાહ જોયા વિના ગીતાના આ પાઠનો અભ્‍યાસ કરી સૌ પોતપોતાના આંતરિક અને બાહ્ય મહાભારત પર વિજય મેળવશે તો એજ સાચો કર્મયોગ કહેવાશે.


ઈ-પુસ્તક કઈ રીતે બનાવશો? – જીજ્ઞેશ અધ્યારૂ (ઈ-પુસ્તક ડાઉનલોડ) 9

વડીલો માટે આમ તો કોમ્પ્યુટર શીખવું, બ્લોગિંગ વિશેની સુવિધાઓ, વેબસાઈટ, સોફ્ટવેર વગેરે જેવી વિવિધ જાણકારી મેળવી બ્લોગિંગ શરૂ કરવું એ કાંઈ નાનીસૂની વાત નથી. ગુજરાતી બ્લોગજગતમાં રીટારર્ડ વડીલ બ્લોગરમિત્રો ઘણાં છે, અને તેમના સતત બ્લોગિંગથી એક સમય એવો આવે છે જ્યારે તેમને પોતાના લેખનની ઈ-પુસ્તિકા પ્રકાશિત કરવાની ઈચ્છા થાય એ સ્વભાવિક છે. આવા વડીલોને મદદ કરવા ઈ-પુસ્તક બનાવવાની તદ્દન સાધારણ અને મૂળભૂત પદ્ધતિ અહીં પ્રસ્તુત નાનકડા ઈ-પુસ્તકમાં પ્રસ્તુત કરી છે


(દ્વિતિય ઈ-સંસ્કરણ) ભગવદગીતા એટલે… – સુરેશ દલાલ (ઈ-પુસ્તક) 1

બે જ દિવસ પહેલા પ્રસ્તુત કરાયેલ શ્રી સુરેશભાઈ દલાલનું સુંદર ઈ-પુસ્તક ‘ભગવદગીતા એટલે..” ની ૨૫૦થી વધુ ડાઊનલોડ ક્લિક્સ નોંધાઈ છે જે સારા ઈ-પુસ્તકોની વધતી લોકપ્રિયતા દર્શાવે છે તો સામે પક્ષે તેના વાચકવર્ગની વાચનભૂખ પણ સંતોષાઈ રહી હોય એમ અનુભવાય છે. આ જ પુસ્તકમાં રહી ગયેલી જોડણી અને ફોર્મેટ વિષયક ક્ષતિઓને દૂર કરીને આપણા વડીલ વાચક શ્રી મહેન્દ્રભાઈ નાયકે મોકલી આપી છે, જેથી બે જ દિવસમાં તેની બીજી અને હવે લગભગ કોઈ પણ ક્ષતિ વગરની આવૃત્તિ પ્રસ્તુત કરી શકાઈ છે. આ વિશેષ મદદ બદલ શ્રી મહેન્દ્રભાઈ નાયકનો ખૂબ આભાર.


ભગવદગીતા એટલે… – સુરેશ દલાલ (ઈ-પુસ્તક ડાઉનલોડ) 2

ભારતીય સંસ્કૃતિનાં બે સુવર્ણ-પ્રવેશદ્વારો છે. આ બે દ્વાર એટલે રામાયણ અને મહાભારત. સમગ્ર ભારતીય સંસ્કૃતિનો સર્વાંગી પરિચય રામાયણ અને મહાભારત દ્વારા જ મળી શકે. કોઈએ વધુ ઊંડા ઊતરવું હોય અને ભારતીય તત્ત્વગ્યાનનો ગહન, સઘન અને ગંભીર પરિચય પ્રાપ્ત કરવો હોય તો વેદ અને ઉપનિષદ પણ છે. રામાયણ એક એવો ગ્રંથ છે કે જેમાં આદર્શ સમાજ અને આદર્શ રાજ્યની કાલ્પનિક વાસ્તવિકતા અને વાસ્તવિક કલ્પના સાકાર થઈ છે. રામાયણ એક શાન્ત સરોવર જેવો ગ્રંથ છે. મહાભારત એક વિરાટ સમુદ્ર છે. આ મહાભારતમાં અનેક કથાઓ, આડકથાઓ છે. અનેક તરંગો છે. આ મહાભારતના વિરાટ સમુદ્રમાં શ્રીમદ્ ભગવદ્ગીતા એ દીવાદાંડી જેવી છે. આ જ ગીતાજીના અધ્યાયોના વિચારમંથનનો પરિપાક એટલે શ્રી સુરેશ દલાલનું પ્રસ્તુત પુસ્તક ભગવદગીતા એટલે… જે આજથી અક્ષરનાદ પર ડાઊનલોડ માટે ઉપલબ્ધ છે.


બાળવાર્તાઓ – ગિજુભાઈ બધેકા (ઈ-પુસ્તક ડાઉનલોડ) 7

બાળવાર્તાઓ બાળકોને ભાવવિશ્વની અનોખી સફરે લઈ જાય છે, કલ્પનાના વિશ્વમાં લટાર કરાવે છે, પક્ષીઓ, પ્રાણીઓ અને અન્ય પાત્રોના માધ્યમ દ્વારા તેમને જીવનની ગળથૂથી પીવડાવવામાં આવે છે. ગુજરાતી ભાષાના માધ્યમથી બાળકોને એ ભાવવિશ્વનું સરનામું ચીંધ્યુ છે ગિજુભાઈ બધેકાએ, એ ગુજરાતી બાળકોની મૂછાળી માં છે. પ્રસ્તુત સંકલન લોકમિલાપ દ્વારા પ્રકાશિત તેમની વાર્તાઓના સંકલન રોજેરોજનું વાંચન માંથી લેવામાં આવ્યું છે. તેમની પચીસેક બાળવાર્તાઓ અત્રે મૂકી છે, આશા છે ઈ-પુસ્તક સ્વરૂપે ગુજરાતી બાળસાહિત્યમાં થયેલા નગણ્ય યોગદાનને અહીંથી એક નવી શરૂઆત મળી રહેશે.


બિંદુ – મોરલીધર દોશી (ઈ-પુસ્તક ડાઉનલોડ) 7

આજે જે પુસ્તક પ્રસ્તુત થઈ રહ્યું છે તેનું શિર્ષક છે ‘બિંદુ’ અને નામ મુજબ લેખક શ્રી મોરલીધર દોશીના પોતાના અને તેમને ગમેલા અન્યોના વિચારબિંદુઓનું એક સરસ નાનકડું સંકલન છે. પુસ્તક ઈ.સ. 2000માં લેખકના મૃત્યુ વખતે પ્રૂફ રીડીંગ થઈને તૈયાર હતું, તે પછી તેમના પુત્ર શ્રી સુરેશભાઈ દોશીએ 2001માં પ્રકાશિત કર્યું. વાચકોને વહેંચવા માટે તેમણે આ પુસ્તક અક્ષરનાદને પાઠવ્યું છે. પુસ્તક આજથી ડાઉનલોડ માટે અક્ષરનાદ પર ઉપલબ્ધ છે. અત્રે પ્રસ્તુત છે તેમાંથી કેટલાક વિચારબિંદુઓ.


અલ્લાહ જાણે ! ઈશ્વર જાણે ! – ‘કાયમ’ હઝારી (ઈ-પુસ્તક ડાઉનલોડ) 5

શ્રી ‘જીગર’ ધ્રોલવી પોએટ્રી સામયિકના કાયમ હઝારી વિશેષાંકમાં નોંધે છે, ‘કાયમ સાહેબ સાંપ્રત સમયના એક ઉમદા ગઝલકાર છે, સાથોસાથ તેઓ કુરઆન – બાઈબલ – ગીતા વગેરે આકાશી કિતાબોના એક નોંધપાત્ર અભ્યાસી પણ છે. તેઓનું 1992માં પ્રગટ થયેલ ‘અલ્લાહ જાણે ! ઈશ્વર જાણે !’ નું પુસ્તક બિનસાંપ્રદાયિકતાના શિલાલેખ સમું છે. આ પુસ્તક વાંચ્યા પછી એક ભાવકે પ્રતિસાદમાં લખેલું કે પાક મુસલમાન પણ ‘કાયમ’ હઝારી છે અને પવિત્ર હિન્દુ પણ ‘કાયમ’ હઝારી છે.’ ઉપદેશ નહીં, પણ જાણે સંદેશ હોય તેવી ખૂબીથી સર્જકની કલમે રચનાઓની હેલી વરસાવી છે. આ સુંદર સંગ્રહ અક્ષરનાદને મોકલવા અને ભાવકોને રસતરબોળ કરવા માટે તેને ડાઉનલોડ વિભાગમાં મૂકવાની તક આપવા બદલ શ્રી ‘કાયમ’ હઝારી સાહેબને નતમસ્તક. આ આખું પુસ્તક આજથી ઈ-પુસ્તક ડાઉનલોડ વિભાગમાં ઉપલબ્ધ છે.


હૈયાનો હોંકારો – આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ (ઈ-પુસ્તક ડાઉનલોડ)

છેલ્લા ઘણા વર્ષોથી ‘પાઠશાળા’ ના અંકોમાં આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજશ્રીની કલમે પ્રેરણાદાયક, મનનીય અને સત્વશીલ અમૃતબિંદુઓરૂપી લેખનો દ્વારા વિચારશીલ સાહિત્યરસનું પાન કરી રહ્યા છે. ‘પાઠશાળા’ ના વિવિધ અંકોમાંથી તારવીને કેટલાક અમૂલ્ય અને બોધપ્રદ વિચારોનો નાનકડો સંગ્રહ પાઠશાળા પ્રકાશન વતી શ્રી રમેશભાઈ બાપાલાલ શાહ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો છે. આ ગ્રંથનું એક એક પાનું નાનકડા પ્રસંગો અથવા વિચારબિંદુઓથી મઘમઘે છે, એક એક પાનું એક એક દિવસને વિચારવંતો બનાવી શકે એવો માર્મિક અને ગહન સંદેશ તેમાં અપાયો છે. આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજના પ્રેરક વચનો અને દ્રષ્ટાંતોના આવા એક એક પાનાનાં અમૃતબિઁદુઓનો સંગ્રહ, ‘હૈયાનો હોંકારો’ હવે અક્ષરનાદ ડાઉનલોડ વિભાગમાં ઉપલબ્ધ છે.


પાંદડે પાંદડે જ્યોતિ – મહેશ દવે (ઈ-પુસ્તક ડાઉનલોડ) 1

પ્રસ્તુત પુસ્તક ‘પાંદડે પાંદડે જ્યોતિ’, એ શ્રી મહેશ દવે દ્વારા સંક્ષેપ, સરળીકરણ અને સંકલન પામેલી અકેક પાનાની બોધપ્રદ અને સુંદર કથાઓનો સંગ્રહ છે. શ્રી મહેશ દવેની આ પુસ્તકોની શૃંખલા પાંદડે પાંદડે મોતી થી શરૂ થયેલી અને આ શૃંખલા ખૂબ પ્રચલિત થઈ વાચકો દ્વારા અનેરા પ્રેમ અને આદરને પામી છે. અક્ષરનાદ પર આ પુસ્તિકા ખૂબ લાંબા સમયથી મૂકાવા માટે તૈયાર હતી, પરંતુ અંગત મુશ્કેલીઓ અને છેલ્લા એક મહીના ઉપરાંતથી સમયની ભારે ખેંચતાણને પગલે તેની પ્રસ્તુતિમાં વિલંબ થયો. અગાઊ એ નવરાત્રી અને પછી દિવાળીના દિવસે મૂકવા માટે પ્રયત્ન કરેલો, પરંતુ ઈ-પુસ્તક સ્વરૂપ આપવામાં થયેલ વિલંબને પગલે તે છેક હવે પ્રસ્તુત થઈ રહી છે.
આ પુસ્તક અક્ષરનાદ પર મૂકવાની તક આપવા બદલ શ્રી મહેશ દવેનો ખૂબ ખૂબ આભાર. આર્થિક હિતો ધ્યાનમાં લીધા વગર ફક્ત સતસાહિત્યનો – પ્રેરણાદાયક અને બોધપ્રદ એવી આ કથાઓનો પ્રસાર થાય એવા શુભ હેતુથી પુસ્તક તદ્દન નિઃશુલ્ક પ્રસ્તુત કરી વહેંચવાની આવી તક આપવા બદલ અક્ષરનાદના સમગ્ર વાચક પરિવાર વતી તેમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.


શબરીના બોર – પ્રફુલ્લભાઈ શાહ (ઈ પુસ્તક ડાઊનલોડ) 1

ગાંધીજીએ ‘હિંદ સ્વરાજ’માં નોંધ્યુ છે કે એક ગામમાંથી ડૉક્ટરો અને વકીલોએ ઉચાળા ભર્યા એ પછી એ ગામનો વિકાસ થયેલો, એનું સ્વાસ્થ્ય સુધરેલું, પણ એમને ખોટા પાડે એવા એમના અનુયાયીઓ જોવા મળ્યા છે, અને એ પણ પોરબંદરથી બહુ દૂર નહીં એવા સાવરકુંડલામાં. એમનું નામ છે ડૉ. પ્રફુલ્લભાઈ શાહ. સદગત દીકરી સોનલના નામે સ્થાપેલા ફાઉન્ડેશન દ્વારા બહેનોને સ્વાવલંબી બનાવવાની સાથે કેળવવાના પ્રયત્નો શરૂ થયા. રક્તપિત, પોલીઓ જેવા રોગોનો વ્યાપક પ્રતિકાર શરૂ થયો. કિડનીના રોગોની સારવાર, ક્ષયનિવારણ, બાળ-પુસ્તકાલય, શિષ્યવૃત્તિઓની જોગવાઈ, વૃક્ષ ઉછેર, કલાઓની તાલીમ જેવી પ્રવૃત્તિઓમાં આ દંપત્તિએ સક્રિય રસ લીધો. જીવનના વિવિધ ક્ષેત્રો સાથે જોડાતા ગયેલા નાતાને પરિણામે જે અનુભવો પ્રાપ્ત થયા એ સાચવીને શબ્દમાં મૂક્યા. એ અનુભવોનું ભાથું એટલે ‘શબરીના બોર’ ઈ પુસ્તક. આજથી એ અક્ષરનાદ પર ડાઊનલોડ માટે ઉપલબ્ધ છે.


માણસાઈના દીવા – ઝવેરચંદ મેઘાણી (ઈ-પુસ્તક ડાઊનલોડ) 2

અક્ષરનાદ.કોમ આજે એક ઉપયોગી, અનોખી અને પ્રેરણાદાયક ઈ-પુસ્તક સ્વરૂપે જેની પ્રસ્તુતિ કરી રહ્યું છે તે પુસ્તક માણસાઈના દીવા વિશે કયા ગુજરાતીને કહેવાની જરૂર પડે? શ્રી ઝવેરચંદ મેઘાણીએ પુસ્તક પરિચયમાં કહેલું, “માનવી એક જટિલ સર્જન છે, ટપાલના સોર્ટરની અદાથી આપણે માનવીને પણ બે ખાનાઓમાં વહેંચી દઈએ છીએ. સારા અને ખરાબ. રવિશંકર મહારાજે માણસને માણસ તરીકે જોયા છે, એમને આવા ખાનાંઓમાં નથી નાંખ્યા. કોઈ માણસ નથી સારો કે નથી નરસો, માનવી તો અજબ મિશ્રણનો બનેલો પિંડ છે. પ્રસ્તુત પુસ્તક ‘માણસાઈના દીવા’માં એક પ્રકારનું માનવતાદર્શન છે. પણ પુસ્તકોમાં નિરૂપાતુ માનવદર્શન આપણને ગમે છે; જ્યારે એ જ નિરૂપિત માનવી આપણા પ્રત્યક્ષ વ્યવહારમાં આપણી સમક્ષ મૂકાય ત્યારે આપણે એને આપણી દુનિયાથી જુદી દુનિયાનો – ઉતરતી અને અસભ્ય, ગમાર અને ત્યાજ્ય દુનિયાનો ગણીએ છીએ. રેલગાડીના જનરલ ડબામાં બિસ્તર નાખીને આખી પાટલી રોકીને બેઠેલો ભણેલો માણસ આ ‘માણસાઈના દીવા’ ની દુનિયાના માનવીને પોતાની સામે ડરી, લપાઈ, સંકોચાઈ ઉભા રહેલા નિહાળતો હોય છે. છતાં બિસ્તરની કોર પણ વાળતો નથી. ‘માણસાઈના દીવા’ આપણને એના રસાનંદમાંથી એમાં રજૂ થયેલ જનતાના સ્નેહ તરફ લઈ જાઓ.


મુસાફિર પાલનપુરીના શે’રનું સંકલન “૧૫૧ હીરા” (પુસ્તક ડાઉનલોડ) 2

સંપાદકોએ કવિની સમગ્ર ગઝલ કૃતિઓમાંથી ચુનંદા ૧૫૧ શેરોની પસંદગી કરીને આ પુસ્તિકા તૈયાર કરી છે. પુસ્તિકાનું શીર્ષક ૧૫૧-હીરા યથાર્થ છે કારણ કે કવિ મુસાફિર પાલનપુરીના વિપુલ ગઝલ સર્જનરૂપી સાગરમાં મહાલતાં-મહાલતાં અને ડૂબકીઓ લગાવતાં હાથ લાગેલા રત્ન સમા ચુનંદા શેરો અમોએ આ પુસ્તિકાના પાને પાને ટાંક્યા છે ! કવિની મૂડી એના શબ્દનું તેજ હોય છે, એના ઝળહળાટ થકી કવિ સહ્રદયોના દિલ-દિમાગને અજવાળી શકે. અહીં મૂકાયેલા કવિ મુસાફિરના આ બધા જ શેર કવિની સંવેદી ચેતનાનો અમૂલ્ય ખજાનો છે. પ્રતિભાશાળી ભાવકો માટે આ પુસ્તિકા રત્નવાટિકા જ નહી, રસવાટિકા પણ બની રહેશે.


વિવાહ સંસ્કાર (ઈ-પુસ્તક ડાઉનલોડ) 5

વિવાહ સંસ્કાર અંતર્ગત વિવિધ વિધીઓ અને સંકલ્પો સામાન્ય રીતે આપણને વિગતે ખબર હોતી નથી. વિવાહની વિધિઓમાં અને પ્રસંગોમાં સ્નેહીઓ સાથે આપણે એટલા હળીમળી જઈએ છીએ કે આપણે આ સંસ્કારના વિવિધ પગથીયાઓને વિધિ માનીને નિભાવીએ છીએ. તેની મૂળભૂત ભાવનાને આપણે અછડતી જ જાણીએ છીએ. આ મંગલ પરિણયની વિવિધ વિધિ વિશે જાણવાનાં મંગલાચરણ કરીએ. હિંદુ ધર્મમાં દામ્પત્ય (ગૃહસ્થાશ્રમ ) એ સૌથી મહત્વનો આશ્રમ છે કારણકે એ સમગ્ર સામાજીક માળખાનો આધાર છે. જેમાં વિધિ-વિધાન આપેલાં છે એ ‘ગૃહસૂત્ર’ પણ વૈદિક પરંપરાને આગળ વધારે છે. આ વિધિ વિશેની, ‘વિવાહ સંસ્કાર’ ની વિગતે શાસ્ત્રીય માહિતિ આપતી આ નાનકડી પુસ્તિકા અક્ષરનાદના અનોખા પુસ્તક ડાઊનલોડ વિભાગનું ઘરેણું બની રહેશે તે ચોક્કસ.


વર્ડપ્રેસ વડે બનાવો તમારી વેબસાઈટ (ઈ-પુસ્તક ડાઉનલોડ) 15

આજકાલ વેબસાઈટ્સ અને બ્લોગ્સની બોલબાલા છે. એક તરફ જ્યાં વર્ડપ્રેસ.કોમ અને બ્લોગર જેવી અનેક બ્લોગ સુવિધાઓ ઉપલબ્ધ છે, ત્યાં સામે પક્ષે વર્ડપ્રેસ.ઓર્ગની મદદથી પોતાના ડોમેઈન પર વેબસાઈટ બનાવતા અનેક લોકો મળી આવશે. આવા જ હેતુઓને લઈને વર્ડપ્રેસની મદદથી વેબસાઈટ બનાવવાની રીત તથા ઉપયોગી સૂચનાઓ સાથેની એક ઈ-પુસ્તિકા આજે પ્રસ્તુત કરી છે. અહીં આપેલી માહિતિ આ વિષયની ખૂબ પ્રાથમિક અને શરૂઆત કરનારાઓ માટેની છે. વર્ડપ્રેસ.ઓર્ગનું ક્ષેત્ર એટલું વિશાળ છે કે તેને વિગતે સમજાવવા એક અલગ મોટું પુસ્તક લખવું પડે, એટલે અહીં ફક્ત વેબસાઈટ બનાવવા જેટલી જ માહિતિ આપી છે. આજથી આ ઈ-પુસ્તક પણ ડાઊનલોડ વિભાગમાં તદ્દન મફત ઉપલબ્ધ છે.


ભારેમૂવાંવના ભેરુ – સ્વામી આનંદ (પુસ્તક ડાઉનલોડ) 2

સ્વામી આનંદના પુસ્તક ‘ભારેમૂવાંવના ભેરુ’ ને ખિસ્સાપોથી સ્વરૂપે શ્રી મહેન્દ્ર મેઘાણીએ પ્રસ્તુત કરેલું. એ ખિસ્સાપોથીને આજે ઓનલાઈન ઇ-પુસ્તક સ્વરૂપે વહેંચતા આનંદ થાય છે. પ્રસ્તુત છે સ્વામી આનંદ વિશે શ્રી ઉમાશંકર જોશી અને શ્રી સુરેશ દલાલની વાત. પુસ્તક ડાઊનલોડ વિભાગમાં સૌ વાંચકમિત્રો ડાઊનલોડ કરી શકે તે માટે ઉપલબ્ધ છે. આપ એ કડી પર રાઈટ ક્લિક કરીને Save As… પસંદ કરી તમારા કોમ્પ્યુટરમાં નિરાંતે વાંચન માટે પણ સંગ્રહી શક્શો. પુસ્તક વિશે આપના પ્રતિભાવો આવકાર્ય છે.


કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૧૭ 5

કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ વિશે જણાવતી અક્ષરનાદની આ વિશેષ શ્રેણી અંતર્ગત આજે જાણીએ કોમ્પ્યુટર પર કોઈ પણ સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યા વગર શરીર રચનાની ત્રિપરીમાણીય સફર કરાવતી વેબસાઈટ, ગૃહશોભાના વિવિધ વિકલ્પો, ચિત્રો તથા ફોટૉગ્રાફ્સને સુધારવા – બદલવા માટેનું ઓનલાઈન મફત સોફ્ટવેર, બિલ બનાવી આપતી ઓનલાઈન સુવિધા તથા ઈ-પુસ્તકોના શેલ્ફ રૂપ મફત સોફ્ટવેર જેવી સુવિધાઓ આપતી વેબસાઈટ્સ વિશે વિગતે વાત.


કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૧૬ (ફિલ્મી-ગેરફિલ્મી ગીત સંગીત) 9

ઉપયોગી વેબસાઈટ્સની લિન્ક આપતા આ વિભાગમાં આજે ગીત સંગીત વિષયક કેટલીક વેબસાઈટ્સનો પરિચય મેળવીએ. હિન્દી ગીતો સાથેની વેબસાઈટ્સનું આ વિશ્વ ખૂબ ઝડપથી બદલાતું રહે છે. અનેક નવી વેબસાઈટ્સ બને છે અને જૂની અદ્રશ્ય થઈ જાય છે. કોપીરાઈટ ભંગને લઈને, પાયરસીના વિરોધને લઈને, કાયદાકીય અવરોધો વગેરે જેવી બાબતોમાં સપડાવાને લીધે આવી વેબસાઈટ્સ લાંબુ જીવી શક્તી નથી. છતાંય તેમાંની કેટલીક ખૂબ લાંબા સમયથી સંગીતપ્રેમીઓને માટે મનપસંદ રહી છે. એમાંની કેટલીક વેબની સાથે સંકળાયેલી નકારાત્મક બાબતો અને પાયરસીના વિરોધ કરવાના અનેક ઈજનો છતાં આવી વેબસાઈટ્સની ક્લિક્સ રાત્રે ન વધે એટલી દિવસે વધ્યા કરે છે.


ગંગાસતીના ૫૨ ભજનો (પુસ્તક ડાઊનલોડ) 5

સૌરાષ્ટ્રની મીરા ગંગસતીના ૫૨ ભજનોના સંગ્રહરૂપ પુસ્તકને આજે અક્ષરનાદ પર ડાઊનલોડ માટે ઉપલબ્ધ કરાઈ રહ્યું છે એ અત્યંત આનંદનો સમય છે. આ વિશે પહેલા ગંગાસતીનું અધ્યાત્મ દર્શન એ વિષય પર સંતવાણી ૨૦૧૦માં અપાયેલ શ્રી ભાણદેવજીનું વક્તવ્ય પ્રસ્તુત કર્યું હતું. તેના અનુસંધાને આ પુસ્તક ઉપયોગી નિવડશે. આ પુસ્તકના આરંભે આપેલ ગંગાસતી પરિચય શ્રી નિરંજન રાજ્યગુરૂ દ્વારા લખાયેલ છે, એ બદલ તેમનો આભાર માનીએ એટલો ઓછો પડે.