સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ડૉ. શૈલેશ ટેવાણી


છે મારી આટલી થાપણ – ‘કાયમ’ હઝારી, આસ્વાદ: ડૉ. શૈલેશ ટેવાણી

શ્રી કાયમ હઝારીનું નામ અક્ષરનાદના વાચકો માટે નવું નથી. ‘કાયમ’ હઝારી એક એવા ગઝલકાર છે જે ગઝલની પરંપરિત ઈબારતનું અનુસંધાન બહુધા જાળવી રાખે છે. સરળ, બોલચાલની કાવ્યરીતિ એમને વધુ ફાવે છે, કહો કે ‘સંવાદ રીતિ’ એમને વધુ ફાવે છે. તેમની ગઝલો અને ગઝલસંગ્રહ સુદ્ધાં અક્ષરનાદ પર પ્રસ્તુત થયાં છે. આજે પ્રસ્તુત છે તેમની જ એક ગઝલનો ડૉ. શૈલેશ ટેવાણી દ્વારા સુંદર આસ્વાદ કરાવાયો છે તે આજે પ્રસ્તુત કર્યો છે. આ ગઝલ આસ્વાદ પોએટ્રી સામયિકના કવિ શ્રી કાયમ’ હઝારી વિશેષાંકમાંથી લેવામાં આવ્યો છે. ‘છે મારી એટલી થાપણ…’ એ સુંદર ગઝલ અને તેનો આસ્વાદ આજે પ્રસ્તુત છે.