માણસાઈની મહેક – નિલેશ પટેલની ગઝલનો જિતેન્દ્ર પ્રજાપતિ દ્વારા આસ્વાદ 1
જાતથી બહાર નીકળાયું છે,
કેટલું વિસ્તરી જવાયું છે.
મુઠ્ઠી ખોલીને ખૂબ રાજી છું,
મુક્ત અંધારથી થવાયું છે.
જાતથી બહાર નીકળાયું છે,
કેટલું વિસ્તરી જવાયું છે.
મુઠ્ઠી ખોલીને ખૂબ રાજી છું,
મુક્ત અંધારથી થવાયું છે.
કવિશ્રી પ્રદીપ રાવલ ‘સુમિરન’ની આ પાંચ શેરની ગઝલ યાત્રામાં ક્યાંક ને ક્યાંક આધ્યાત્મનો સ્પર્શ અનુભવાય છે. બે પંક્તિના વિશ્વમાં રજૂ થયેલી જીવવાની મથામણ ધ્યાન ખેંચે છે.
જીવવાની જે ખરી કલા જાણે,
એ ન કાશી, ન કરબલા જાણે.
હાથ ફેલાવી જુઓ મન થાય તો-
ભેટવાની ઝંખના શું થાય છે?
જીવનનો વલવલાટ : ભુપેન્દ્ર શેઠ ‘નીલમ’ની ગઝલનો જિતેન્દ્ર પ્રજાપતિ દ્વારા આસ્વાદ
જિંદગીનાં ઝેર જેને પ્રાણપ્યારા થઈ જશે,
કોઈ નરસિંહ, કોઈ તુલસી, કોઈ મીરાં થઈ જશે.
શ્રી જગદીપ ઉપાધ્યાયની ગઝલ ‘હરિના હસ્તાક્ષર’ નો શ્રી જીતેન્દ્ર પ્રજાપતિએ તેમના પદ્ય આસ્વાદના આ સ્તંભ ‘રસ કિલ્લોલ’ અંતર્ગત આજે આસ્વાદ કરાવ્યો છે.
‘વાદળાં વરસાદના રે’ સંગ્રહમાંથી આજે ત્રણ બાળગીતો, ‘પંખીડું મારું’, ‘એ તો આવે છે’ અને ‘બાર મહીના’, સાભાર અહીં પ્રસ્તુત કર્યા છે. બાળગીતો અને કાવ્યોનો આ સુંદર સંગ્રહ અક્ષરનાદને ભેટ આપવા બદલ શ્રી જિતેન્દ્ર પ્રજાપતિનો ખૂબ આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ. પુસ્તકપ્રાપ્તિની વિગતો અંતે મૂકી છે.
‘પરબીડિયામાં હવા મોકલી છે..’ અને ‘હું હવે કાગળ ઉપર’ એવા બે સુંદર ગઝલસંગ્રહ આપણને આપનારા કવિમિત્ર શ્રી જીતેન્દ્ર પ્રજાપતિની ગઝલો ઘણાં વખતે અક્ષરનાદ પર મૂકી રહ્યો છું. દરેક ગઝલને ભવપૂર્વક સંભળાવતા, એ ગઝલો પરના પ્રતિભાવોને ગંભીરતાથી લેતા જિતેન્દ્રભાઈ ખૂબ સંવેદનશીલ કવિ છે, એમની ગઝલોમાં એમનું ભાવવિશ્વ, અનુભૂતિ અને અનુભવો ઉડીને આંખે વળગે છે. આજની તેમની ચારેય ગઝલો પણ એ જ સંવેદના લઈને આવે છે. આ ગઝલો અક્ષરનાદને પાઠવવા બદલ જિતેન્દ્રભાઈનો ખૂબ આભાર અને તેમની કલમને મબલખ શુભકામનાઓ.
કવિમિત્ર શ્રી જીતેન્દ્ર પ્રજાપતિએ તેમનો તરોતાજા ગઝલસંગ્રહ ‘પરબીડિયામાં હવા મોકલી છે..’ પાઠવ્યો, એમાંથી આજે આ ગઝલો સાભાર લીધી છે, સંગ્રહ માણવાની ખૂબ મજા પડી. અક્ષરનાદ પર તેમની ઘણી કૃતિઓ પ્રસિદ્ધ કરવાની તક મળી છે અને તેમની ગઝલોનો હું અદનો ચાહક રહ્યો છું, એટલે તેમનો સંગ્રહ જોઈને ખૂબ આનંદ થયો. જીતેન્દ્રભાઈ ખૂબ ઋજુ હ્રદયના અને નિતાંત સંવેદનશીલ કવિ છે, તેમની દરેક ગઝલ અનોખી વાત લઈને આવે છે. સુંદર સંગ્રહ બદલ કવિશ્રીને ખૂબ શુભકામનાઓ, તેમની કલમ સતત આમ જ સર્જનરત રહે એવી અપેક્ષા..
જિતેન્દ્રભાઈની છંદબદ્ધ, ગઝલની પૂરેપૂરી શિસ્ત સાથે ઉતરતી, અર્થસભર અને ચિંતનપ્રેરક ગઝલરચનાઓનો હું હંમેશાથી મુરીદ રહ્યો છું. તેમની ગઝલરચનાની સફરને નજીકથી જોવાનો અને અનુભવવાનો અવસર મળ્યો છે. અક્ષરનાદ પર પણ તેઓ સતત અને નિયમિતપણે ગઝલરચનાઓ પાઠવતા રહ્યા છે. ગત મહીને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત તેમનો પ્રથમ ગઝલસંગ્રહ, ‘હું હવે કાગળ ઉપર’ તેમણે પાઠવ્યો છે. થોડાક દિવસોમાં ગઝલસંગ્રહનો આસ્વાદ અક્ષરનાદ પર માણીશું, આજે પ્રસ્ત્તુત છે તેમાંથી થોડાક, ‘વાહ’ કહેવા મજબૂર કરી દે એવા મનનીય શેર.
જિતેન્દ્રભાઈની ત્રણ સુંદર ગઝલરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. અનેક સામયિકોમાં તેમની કૃતિઓ સતત માણવાનો અવસર મળે છે, આજની આ ત્રણ કૃતિઓ, ‘સપનાઓ..’, ‘અને મા યાદ આવી’, અને ‘હયાતી’ ખૂબ સુંદર થઈ છે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ જિતેન્દ્રભાઈનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.
કવિમિત્ર જિતેન્દ્ર પ્રજાપતિના ઘરે થોડા દિવસ પહેલા લક્ષ્મીજીનું આગમન થયું છે. એ નાનકડી ઢીંગલીને લઈને કવિહ્રદયમાં જાગેલા સંવેદનો આ બાળગીતોમાં અભિવ્યક્ત થયાં છે. સદાય ગઝલો સાથે વ્યસ્ત રહેતા એક કવિને તેમની દીકરીએ આ ગીતો લખવા પ્રેર્યા છે એ વાત કેટલી આહ્લાદક છે! જિતેન્દ્રભાઈને વધાઈ સાથે આ ગીતોનું પણ સ્વાગત. અક્ષરનાદને આ ગીત પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર.
આજે લાંબા સમય બાદ કવિ ગઝલકાર મિત્ર શ્રી જીતેન્દ્ર પ્રજાપતિની ગઝલો પ્રસ્તુત છે, તેમનો જન્મદિવસ તા. ૧ જાન્યુઆરીના રોજ હતો, એ નિમિત્તે તેમને ખૂબ શુભકામનાઓ તો વળી તેમના ઘરે નાનકડા ઢીંગલીબેન આવ્યા છે, એ નિમિત્તે પણ તેમને અનેક શુભેચ્છાઓ સહ તેમની જ ગઝલોની વધામણી. અક્ષરનાદને ગઝલરચનાઓ પાઠવવા બદલ તેમને શુભકામનાઓ.
આજે શ્રી જિતેન્દ્રભાઈ પ્રજાપતિનો જન્મદિવસ છે અને તેમને આપણી શુભેચ્છાઓ પાઠવવા તેમની જ આઠ ગઝલો અને એક પ્રલંબ લયની અતિસુંદર હસ્તાક્ષર ગઝલ પ્રસ્તુત કરવાથી વધુ ઉપર્યુક્ત માધ્યમ કયું હોઈ શકે? બધી જ ગઝલો સુંદર અને બંધારણની રીતે ચુસ્ત છે, પ્રલંબ લયની ગઝલ તો વળી એક અનોખા વિશ્વમાં જ લઈ જાય છે. આજની પેઢીના સંવેદનશીલ ગઝલકાર તરીકે જેમની ઓળખ પ્રસ્થાપિત થઈ ચૂકી છે તેવા શ્રી જિતેન્દ્ર પ્રજાપતિ અક્ષરનાદ સાથે ખૂબ પ્રાથમિક તબક્કાથી સંકળાયેલા છે, અક્ષરનાદની આ યાત્રામાં તેમનો સતત સહકાર અને શુભેચ્છાઓ મળતી રહી છે. તેઓ સતત આમ જ આગળ વધતા રહે, અર્થસભર, સંવેદનાસભર અને લાગણીશીલ કૃતિઓ દ્વારા આમ જ આપણી લાગણીઓને વાચા આપતા રહે એવી શુભેચ્છાઓ. ઈશ્વર તેમને દીર્ઘાયુ બક્ષે એવી અક્ષરનાદના સર્વે વાચકો વતી ઈશ્વરને પ્રાર્થના સાથે તેમની કૃતિઓ તેમને જ સાદર.
આજની પેઢીના સંવેદનશીલ ગઝલકાર તરીકે જેમની ઓળખ પ્રસ્થાપિત થઈ ચૂકી છે તેવા શ્રી જિતેન્દ્ર પ્રજાપતિ અક્ષરનાદ સાથે ખૂબ પ્રાથમિક તબક્કાથી સંકળાયેલા છે, અક્ષરનાદની આ યાત્રામાં તેમનો સતત સહકાર અને શુભેચ્છાઓ મળતી રહી છે. તેમને કરેલા લાંબા લાંબા કૉલ્સ દરમ્યાન મોબાઈલ પર તેમની નવી લખાયેલી કૃતિઓને સાંભળવી અને સાઈટ પર અનેક સહકાર્યકરોના આશ્ચર્ય વચ્ચે તેમની ગઝલોને ‘વાહ સાહેબ, વાહ’ કહેવું એ એક અગમ્ય લહાવો છે. અનેક સિદ્ધહસ્ત ગઝલકારો અને સંપાદકો દ્વારા તેમની કલમના ગરિમાગાન સાંભળ્યા છે. આજે પ્રસ્તુત છે તેમની નવી રચનાઓ – મુક્તક સપ્તક. અક્ષરનાદને આ કૃતિઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભેચ્છાઓ. તેમનાં હસ્તાક્ષરમાં પણ એક મુક્તક અહીં પ્રસ્તુત કર્યું છે.
મૂળ ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાના ઘડિયા ગામના વતની અને હાલમાં મહુવા પાસે આવેલા બગદાણા ક્લસ્ટરની શ્રી રતનપર પ્રાથમિક શાળામાં શિક્ષક એવા શ્રી જિતેન્દ્રભાઈ પ્રજાપતિની નવીન અને સુંદર ગઝલરચનાઓ હવે લગભગ બધા મુખ્ય સામયિકોમાં દર મહીને સ્થાન પામે છે. અક્ષરનાદની સાથે જેમની ગઝલરચનાની વેલ વિકસી છે તેવા જિતેન્દ્રભાઈની ઉપરોક્ત ચાર ગઝલરચનાઓ શબ્દસૃષ્ટિ સામયિકના માર્ચ ૨૦૧૩ના અંકમાં પ્રસ્તુત થઈ છે. મર્મસભર વાતો સાથેની છંદબદ્ધ ગઝલો જિતેન્દ્રભાઈની આગવી વિશેષતા છે જે આ ચારેય ગઝલોમાં સુપેરે વ્યક્ત થઈ છે. અક્ષરનાદને પ્રસ્તુત ચારેય ગઝલ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી જિતેન્દ્રભાઈનો ખૂબ આભાર.
ગઝલકાર શ્રી જિતેન્દ્રભાઈ પ્રજાપતિ અક્ષરનાદના એક આગવા રચનાકાર છે. લગભગ બે વર્ષથી તેમની રચનાઓ સમયાંતરે અક્ષરનાદ પર પ્રસ્તુત થતી રહી છે. આપણી ભાષાના એક સમર્થ અને સિદ્ધહસ્ત ગઝલકાર તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે અને લગભગ બધા જ અગ્રગણ્ય ગુજરાતી સામયિકોમાં તેમની ગઝલો પ્રસ્તુત થતી રહે છે એ ખૂબ આનંદની વાત છે. ગઝલરચનામાં મુશ્કેલ ગણાય એવી પ્રલંબ લયની ગઝલરચના એ તેમની આગવી ખાસીયત છે જેને અનેક સમર્થ ગઝલકારોએ વખાણી છે. આજે પ્રસ્તુત છે તેમના રચનાસાગરમાંથી પ્રલંબલયની બે સુંદર રચનાઓ. અક્ષરનાદને સદાય પોતાની રચનાઓ પ્રસ્તુત કરવાના માધ્યમ તરીકે પસંદ કરવા બદલ જિતેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.
જીતેન્દ્રભાઈ પ્રજાપતિ આપણા એક સિદ્ધહસ્ત ગઝલકાર છે એ વાત તેમની ગઝલો સુપેરે સાબિત અકરી આપે છે અને અક્ષરનાદની સાથે તેમની વિકાસયાત્રા આગળ વધી છે તે વાતનો અત્યંત આનંદ પણ ખરો. અનેક પ્રચલિત સામયિકો જેમ કે કવિતા, શહીદે ગઝલ, છાલક વગેરેમાં તેમની ગઝલો છપાઈ રહી છે એ તેમની નિપુણતાની સાક્ષી પૂરે છે. આજે પ્રસ્તુત છે તેમની એક એવી જ સુંદર ગઝલ.
મૂળ ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાના ઘડિયા ગામના વતની અને હાલમાં મહુવા પાસે આવેલા બગદાણા ક્લસ્ટરની શ્રી રતનપર પ્રાથમિક શાળામાં શિક્ષક એવા શ્રી જિતેન્દ્રભાઈ પ્રજાપતિ અત્યારની પેઢીના તરોતાઝા ગઝલકાર છે. અક્ષરનાદ પર સમયાંતરે તેમની રચનાઓ પ્રસ્તુત થતી રહે છે તે અક્ષરનાદનું સદભાગ્ય છે. જીતેન્દ્રભાઈની રચનાઓ કવિતા જેવા અગ્રગણ્ય પદ્ય સામયિકો સહીત અનેક સામયિકોમાં છપાઈ રહી છે. આજે તેમની કલમે માણીએ એક સુંદર અને અર્થસભર ગઝલ, જેનો પ્રત્યેક શેર આફરીન કહેવા મજબૂર કરે એવો સરસ છે. નિષ્ફળતાઓથી ડર્યા વગર, સતત લડીને – હિંમતથી પરિસ્થિતિઓનો સામનો કરીને સતત ટકી રહેવાનો પ્રયત્ન કરતા માણસની વાત અહીં બખૂબી પ્રસ્તુત થઈ છે, ટાંકણાંથી હસ્તરેખા ખોતરવાની વાત તો ખૂબ જ બેનમૂન થઈ છે. અક્ષરનાદને પ્રસ્તુત ગઝલ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી જિતેન્દ્રભાઈનો ખૂબ આભાર.
ફક્ત એક યુવાન અને એક યુવતિ વચ્ચેના પ્રેમની અભિવ્યક્તિથી આગળ વધીને આજના દિવસે એક અનોખી ગઝલાંજલી આપીએ. શ્રી જિતેન્દ્ર પ્રજાપતિ આજે વેલેન્ટાઈન દિવસે તેમની બે સુંદર ગઝલોના માધ્યમથી આપે છે સ્વર્ગસ્થ બાને એક સ્મરણાંજલિ. સૌથી શાશ્વત અને સનાતન પ્રેમ હોય તો એ છે માંનો પ્રેમ, મમતા અને તેની કાળજી. એ જ ભાવનાઓને કેન્દ્રમાં રાખીને આજે પ્રસ્તુત છે બે ખૂબ સુંદર ગઝલો.
મૂળ ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાના ઘડિયા ગામના વતની અને હાલમાં મહુવા પાસે આવેલા બગદાણા ક્લસ્ટરની શ્રી રતનપર પ્રાથમિક શાળામાં શિક્ષક એવા શ્રી જિતેન્દ્રભાઈ પ્રજાપતિ અત્યારની પેઢીના તરોતાઝા ગઝલકાર છે. કવિતા જેવા અગ્રગણ્ય પદ્ય સામયિકો સહીત અનેક સામયિકોમાં તેમની રચનાઓ છપાઈ રહી છે. આજે તેમની કલમે માણીએ બે સુંદર ગઝલો. પ્રથમ ગઝલમાં જ્યાં જીવનના અંત વિશેની વાત મર્મસભર રીતે થઈ છે, તો બીજી ગઝલ રચનારીતોને ધ્યાનમાં લેતા એક પ્રયોગ છે. અક્ષરનાદને પ્રસ્તુત બંને ગઝલ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી જિતેન્દ્રભાઈનો ખૂબ આભાર.
મૂળ ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાના ઘડિયા ગામના વતની અને હાલમાં મહુવા પાસે આવેલા બગદાણા ક્લસ્ટરની શ્રી રતનપર પ્રાથમિક શાળામાં શિક્ષક એવા શ્રી જિતેન્દ્રભાઈ પ્રજાપતિ અત્યારની પેઢીના તરોતાઝા ગઝલકાર છે. અનેક સામયિકોમાં તેમની રચનાઓ છપાઈ રહી છે, સ્વીકારાઈ રહી છે. ગત મહીને ‘કવિતા’માં તેમની ગઝલ પ્રસ્તુત થઈ હતી. આજે તેમની કલમે માણીએ શ્રી હરીશ ધોબીની એક સુંદર ગઝલનો આસ્વાદ. અક્ષરનાદને પ્રસ્તુત ગઝલ આસ્વાદ પાઠવવા બદલ શ્રી જિતેન્દ્રભાઈનો ખૂબ આભાર.
મૂળ મહેસાણાના અને હાલ બગદાણા, તા. મહુવા પાસેના સરા ગામમાં પ્રાથમિક શિક્ષક એવા શ્રી જિતેન્દ્રભાઈ પ્રજાપતિ અત્યારની પેઢીના તરોતાઝા ગઝલકાર છે. અનેક સામયિકોમાં તેમની રચનાઓ છપાઈ રહી છે, સ્વીકારાઈ રહી છે. ગત મહીને ‘કવિતા’માં તેમની ગઝલ પ્રસ્તુત થઈ હતી. આજે ફરી તેમની બે સુંદર ગઝલ અહીં પ્રસ્તુત છે. આ પહેલા પણ તેઓની ઘણી રચનાઓ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ ચૂકી છે. પ્રથમ ગઝલમાં જ્યાં તેઓ જોષી પાસે જવાની વાતની ભૂમિકા સાથે અનેક અર્થગહન વાતો કહે છે, કઈ કઈ બાબતોના નસીબની જિજ્ઞાસા તેમને છે! જ્યારે બીજી ગઝલ અપ્રાપ્ય શક્યતાઓનો વિષય છે. બંને અર્થસભર ગઝલ ખૂબ સુંદર થઈ છે. અક્ષરનાદને પ્રસ્તુત ગઝલ પાઠવવા બદલ શ્રી જિતેન્દ્રભાઈનો ખૂબ આભાર.
શ્રી જિતેન્દ્રભાઈ પ્રજાપતિની ગઝલો જ્યારે પ્રથમ વખત અક્ષરનાદ માટે મળી ત્યારે એમ થયું કે આ સાહેબ કોઈક પ્રસ્થાપિત ગઝલકાર હશે, અને તેમના સંગ્રહ સુધી આપણા હાથ પહોંચી શક્યા નહીં હોય. પરંતુ તે પછી ખબર પડી કે તેમની ગઝલો હજુ સુધી ક્યાંય પ્રસિદ્ધ નથી થઈ, ત્યારે એક સુઘડ, અર્થસભર અને છતાંય સિદ્ધહસ્ત લાગે તેવી રચાયેલી ગઝલોના એક સર્જકને રજૂ કર્યાનો આનંદ થયો. અક્ષરનાદ પર આ પહેલા પણ તેમની ગઝલો રજૂ થતી જ રહી છે. પણ અક્ષરપર્વમાં તેમની ઉપસ્થિતિ એક અનોખો પ્રસંગ ઉભો કરી ગઈ છે. તા. ૨૦ મે ના રોજ તેમણે પ્રભુતામાં પગલાં પાડ્યા. તેમની પ્રેમભરી ગઝલોને એક નવું પ્રેરકબળ મળે, તથા તેમના બંનેના જીવનમાં પ્રેમ, આનંદ તથા ઉલ્લાસની છોળો ઉડે તેવી શુભેચ્છાઓ સાથે અક્ષરનાદના સર્વે વાચકો તરફથી બંનેને સહજીવનની અનેક શુભેચ્છાઓ. અનેક સીમાડાઓને અવગણીને અક્ષરપર્વને તેમની ગઝલરચનાઓથી શોભાવવા બદલ જિતેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર.
મૂળ મહેસાણાના અને હાલ બગદાણા, તા. મહુવાના રહેવાસી શ્રી જિતેન્દ્ર પ્રજાપતિ બગદાણા પાસેના સરા ગામમાં પ્રાથમિક શિક્ષક છે. તેઓ અત્યારની પેઢીના તરોતાઝા ગઝલકાર છે. આજે તેમની બે ગઝલ પ્રસ્તુત છે. આ પહેલા પણ તેઓની બે ગઝલ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ ચૂકી છે. પ્રથમ ગઝલમાં જ્યાં તેઓ કલમની ધારેથી શબ્દને રસ્તો કરી આપે છે તો શ્વાસને પણ સંબંધી બનાવી દે છે, જ્યારે બીજી ગઝલ આંતરખોજનો વિષય છે – પથદર્શક છે, તો ઝંખનાઓનું ભેગા થવું એટલે લાગણી એવો અર્થ પણ અહીં ઉપસે છે. બંને ગઝલ ખૂબ સુંદર અને મનનીય થઈ છે. અક્ષરનાદને પ્રસ્તુત ગઝલ પાઠવવા બદલ શ્રી જિતેન્દ્રભાઈનો ખૂબ આભાર.
મૂળ મહેસાણાના અને હાલ બગદાણા, તા. મહુવાના રહેવાસી શ્રી જિતેન્દ્ર પ્રજાપતિ બગદાણા પાસેના સરા ગામમાં પ્રાથમિક શિક્ષક છે. તેઓ અત્યારની પેઢીના તરોતાઝા ગઝલકાર છે. આજે તેમની બે ગઝલ પ્રસ્તુત છે. પ્રથમ ગઝલમાં જ્યાં તેઓ ભીતરની વાતને મર્માળુ ઉદાહરણો દ્વારા સમજાવીને, એ લાગણીઓને અભિવ્યક્ત થવાનો અવસર આપે છે તો બીજી ગઝલ તો ગઝલની જ વ્યાખ્યા એક અનોખા સ્વરૂપે સ્થાપે છે. બંને ગઝલ ખૂબ સુંદર અને મનનીય થઈ છે. અક્ષરનાદને પ્રસ્તુત ગઝલ પાઠવવા બદલ શ્રી જિતેન્દ્રભાઈનો ખૂબ આભાર.