Monthly Archives: March 2013


દન્યાવાદ, નામસ્તે ! (ટૂંકી વાર્તા) – વલીભાઈ મુસા 15

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકામાં રહેતા શ્રી વલીભાઈ મુસા ૭૨ વર્ષની ઉંમરે પણ સાહિત્યિક પ્રવૃત્તિઓથી ધમધમે છે. નવલિકા, નિબંધ, કાવ્ય, વિવેચન, હાસ્યલેખો, હાસ્યહાઈકુ, વ્યંગ્ય, કાવ્યો જેવા અનેક ક્ષેત્રોમાં લેખનરત વલીભાઈની અક્ષરનાદ પર આ પ્રથમ કૃતિ છે. ‘દન્યાવાદ, નામસ્તે !’ શીર્ષક ધરાવતી આ કૃતિને વાર્તાથી વધુ એક પ્રસંગ તરીકે જોવી જોઈએ જેમાં માનવમૂલ્યોના પ્રતિષ્ઠાન માટે કરાતા એક અનોખા પ્રયત્નનો ચિતાર આપવામાઁ આવ્યો છે. કૃતિ અક્ષરનાદ પર પ્રસ્તુત કરવા માટે પાઠવવા બદલ વલીભાઈનો ખૂબ આભાર તથા તેમની કલમને અનેક શુભકામનાઓ.


એક અદભુત વર્કશોપ… (ઉત્પાદન ખર્ચમાં ઘટાડો…જાપાની રીત !) – અનુ. હર્ષદ દવે. 18

તાજ હોટેલ ગ્રૂપે શ્રી માસાઈ ઇમાઇને જાપાનથી પોતાના સ્ટાફ માટે આયોજિત એક કાર્યશાળા (વર્કશોપ) માટે આમંત્રિત કર્યા હતા.

આ હોટેલ ખૂબ જ સારી રીતે ચાલતી હતી. સ્ટાફ સભ્યોના મનમાં આશંકા હતી કે જાપાનથી આવતા આ માણસને હોટેલ ઇન્ડસ્ટ્રીનો બિલકુલ અનુભવ ન હતો તેથી તે આ વિષયમાં આપણને શું શીખવશે?
પરંતુ નક્કી થયા મુજબ બધા વર્કશોપ માટે કોન્ફરન્સ હોલમાં સવારે નવના ટકોરે આવી ગયા…..


મારા અતિ પ્રિય ગૌતમ… – ભદ્રા વડગામા 11

શ્રી ભદ્રાબેન વડગામાની પ્રસ્તુત કૃતિ એક પત્ર છે, ગાડ્રિયન’માં આવેલા એક પત્ર પરથી પ્રેરણા લઈને લખાયેલ આ કૃતિ એક અકસ્માતમાં પોતાના જીવનસાથીને ગુમાવી બેઠેલ સ્ત્રીનો મનોભાવ ખૂબ સુંદર અને સ્પષ્ટ રીતે અભિવ્યક્ત કરે છે. શ્રી અનિલ વ્યાસ અને શ્રી રમણભાઈ પટેલ દ્વારા પસંદગીની ડાયસ્પોરા કૃતિઓના સંકલન ‘આચમન’માં તે પ્રસિદ્ધ થઈ છે. અક્ષરનાદને આ સુંદર કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.


અગ્નિકન્યા – મહેન્દ્ર ચોટલિયા 4

અગ્નિકન્યા એટલે દ્રૌપદી, દ્રૌપદી વિશેના અનેક પુસ્તકો વાંચવામાં આવ્યા છે, અને તેના પાત્રવિશેષ પ્રત્યે મને અનેરૂ ખેંચાણ છે. એ જ દ્રૌપદીના મનોભાવોનું સુંદર આલેખન એટલે શ્રી મહેન્દ્ર ચોટલિયાની પ્રસ્તુત અછાંદસ રચના. શ્રી ધૃવભાઈ ભટ્ટની ‘અગ્નિકન્યા’ નામની ૧૯૮૮માં પ્રસિદ્ધ થયેલી નવલકથાની શરૂઆત પહેલા પ્રસ્તુત થયેલ આ અછાંદસ રચના મને ખૂબ સ્પર્શી ગઈ, એ જ અહીં ઉદધૃત કરી છે.


શ્રી પથિકભાઈ પટેલ વાઘના ફોટોગ્રાફ્સનું પ્રદર્શન.. 8

ગત તા. ૧૬ અને ૧૭ માર્ચના રોજ અમરેલી જીલ્લાના રાજુલા તાલુકામાં પથિકભાઈ દ્વારા લેવાયેલી વાઘને લગતી તસવીરોનું પ્રદર્શન યોજાયું હતું. અનેક મહાનુભાવોની હાજરીમાં ખુલ્લા મૂકાયેલા આ પ્રદર્શનને ઘણાંય લોકોએ માણ્યું હતું. અહીં મુખ્યત્વે કાન્હા નેશનલ પાર્કમાં લેવાયેલ વાઘની તસવીરો મૂકાઈ હતી. અક્ષરનાદના વાચકો માટે રાજુલા નેચર ક્લબના શ્રી વિપુલભાઈ લહેરી તથા શ્રી પથિકભાઈ પટેલની પરવાનગીથી આ પ્રદર્શનની કેટલીક સુંદર અને અલભ્ય તસવીરો અહીં ઉપલબ્ધ કરાવી છે.


નિર્ણય.. (લઘુકથા) – ગુણવંત વૈદ્ય 9

શ્રી ગુણવંતભાઈ વૈદ્યની અક્ષરનાદ પર આ પ્રથમ કૃતિ છે. લઘુકથાના સ્વરૂપમાં એક પાતળા તંતુને ખૂબ ચીવટપૂર્વક ઉંડાણ સુધી લઈ જઈ તેના વિશે આવી કૃતિ રચવી એ ખૂબ કપરું અને ધ્યાન માંગી લેતું કાર્ય છે. એક નાનકડા બાળકના મનમાં અલગ અલગ રહેતા તેના માતા-પિતા વિશેની વાત, તેના પિતાની માતા વિશેની વિચારસરણી વગેરે ખૂબ સુંદર રીતે તેઓ પ્રગટ કરી શક્યા છે એ બદલ અભિનંદન અને અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


પ્રણવબોધ.. (ઈ-પુસ્તક ડાઉનલોડ) – પ્રસ્તુતિ મહેન્દ્ર નાયક 4

જગદગુરુ આદ્યશઙ્કરાચાર્ય ભગવાને મુમુક્ષુઓ માટે એક સૂત્રરૂપ નિબંધ લખ્યો છે. આ નિબંધ માણ્ડૂક્ય ઉપનિષદ્ ને આધારે લખાયો છે.

“माण्डूक्यमात्रमेवालं मुमुक्षुणां विमुक्तये” અર્થાત એકમાત્ર માણ્ડૂક્ય ઉપનિષદ જ મુમુક્ષુઓની મુક્તિ માટે પર્યાપ્ત છે તેમ જ એ મુક્તિના સાધન, બ્રહ્મ અને આત્માના ભેદનું જ્ઞાન છે. તેથી આ નિબંધ સૂત્રરૂપ હોવા છતાં અધિકારીના બ્રહ્માત્મૈક્ય બોધ માટેનું પૂર્ણ સાધન છે. આ જ કારણે મુમુક્ષુ પરમહંસ સંન્યાસીઓ આનો નિત્ય નિયમથી અભ્યાસ કરે છે, અને એના અભ્યાસના ફળ સ્વરૂપ આત્મસાક્ષાત્કાર કરીને કૃતાર્થ થઈ જાય છે.

માણ્ડૂક્ય ઉપનિષદમાં ઓઙ્કાર (પ્રણવ)ની વ્યાખ્યા વડે બોધ કરાવવામાં આવ્યો છે. પ્રસ્તુત નિબંધ પણ એ જ સ્વરૂપે હોવાને કારણે પ્રણવની મદદથીજ બોધનું સાધન બને છે. આજથી અક્ષરનાદ પર આ પુસ્તક ડાઊનલોડ માટે નિઃશુલ્ક ઉપલબ્ધ છે. એ માટે જાઓ અક્ષરનાદ ઈ-પુસ્તક ડાઊનલોડ વિભાગમાં


ચાર સુંદર ગઝલો.. – જિતેન્દ્ર પ્રજાપતિ 9

મૂળ ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાના ઘડિયા ગામના વતની અને હાલમાં મહુવા પાસે આવેલા બગદાણા ક્લસ્ટરની શ્રી રતનપર પ્રાથમિક શાળામાં શિક્ષક એવા શ્રી જિતેન્દ્રભાઈ પ્રજાપતિની નવીન અને સુંદર ગઝલરચનાઓ હવે લગભગ બધા મુખ્ય સામયિકોમાં દર મહીને સ્થાન પામે છે. અક્ષરનાદની સાથે જેમની ગઝલરચનાની વેલ વિકસી છે તેવા જિતેન્દ્રભાઈની ઉપરોક્ત ચાર ગઝલરચનાઓ શબ્દસૃષ્ટિ સામયિકના માર્ચ ૨૦૧૩ના અંકમાં પ્રસ્તુત થઈ છે. મર્મસભર વાતો સાથેની છંદબદ્ધ ગઝલો જિતેન્દ્રભાઈની આગવી વિશેષતા છે જે આ ચારેય ગઝલોમાં સુપેરે વ્યક્ત થઈ છે. અક્ષરનાદને પ્રસ્તુત ચારેય ગઝલ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી જિતેન્દ્રભાઈનો ખૂબ આભાર.


૨૦ માઈક્રો ફિક્શન વાર્તાઓ (ભાગ ૨) – હાર્દિક યાજ્ઞિક 25

આ પહેલા ગત વર્ષે હાર્દિકભાઈની ૨૦ માઈક્રોફિક્શન – લઘુકથાઓ રજૂ કરી હતી જેને વાચકોનો ખૂબ સુંદર પ્રતિભાવ અને પ્રતિસાદ સાંપડ્યો હતો. આજે એ જ શૃંખલાને આગળ વધારતા પ્રસ્તુત છે તેમની વધુ ૨૦ માઈક્રો ફિક્શન વાર્તાઓ. એકથી પાંચ લીટીની સીમારેખામાં પોતાની આગવી છાપ ઉભી કરી અસર છોડી જતી આ કથાઓ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે એક આગવો પ્રયોગ છે, અને કદાચ અક્ષરનાદ જેટલું એ ક્ષેત્રનું ખેડાણ અન્યત્ર ક્યાંય થયું હોય એવું જોવાયું નથી. આજની પેઢીના વાર્તાકારો માટે આ ક્ષેત્રનું ખેડાણ એક આવશ્યક્તા છે, કારણકે ઓછામાં ઓછા શબ્દોમાં વધુ કહી શકવાની આ ક્ષમતા તેમને લઘુનવલ, ટૂંકી વાર્તાઓ અથવા નવલકથાના સર્જનમાં પણ આડકતરી મદદ કરી શકે છે. બિલિપત્રમાં આજે માણીએ અંગ્રેજી સાહિત્યજગતની નોંધપાત્ર માઈક્રોફિક્શન.


‘તેરા મકાન આલા’ (સિંધી ભજન આસ્વાદ) – ઉમાશંકર જોશી 2

૧૯૩૦માં સાબરમતી જેલમાં સાંજની પ્રાર્થનામાં એકવાર એક સિંધી ભજન સાંભળવા મળ્યું. જિંદગીભર એની ભૂરકી અનુભવ્યા કરી છે. ગાનાર હતા ભાઈ જયન્તીલાલ આચાર્ય. કરાંચીની શાળાના શિક્ષક અને કવિ ગાયક. મીઠો, બુલંદ સ્વર, અંદર હૃદય રેડે. પ્રાર્થનાને અંતે એ ‘જનગણમન’ ગાય. વીસ વરસ પહેલાં એમણે તો એને જાણે કે રાષ્ટ્રગીતને પદે સ્થાપ્યું હતું. ભજનો રોજ જુદાં જુદાં હોય. એક સાંજે ‘તેરા મકાન આલા’ છેડયું અને સૌ મંત્રમુગ્ધ બની ગયા. એકેએક શબ્દ પૂરેપૂરો સમજાયો એમ નહીં કહી શકાય, પણ મૂળ ભાવ તરત પકડાઈ જાય એવો હતો. હે પ્રભુ, તારું મકાન ઉત્તમ છે (આપણે ‘આલા દરજ્જાનું’ કહીએ છીએ ને ?) ભવ્ય છે. આમ કહીને આપણને કોઈ મહાલય બતાવવાનો પ્રયત્ન થયો નથી. બલકે પછીથી આવતા શબ્દો તો કહે છે કે ‘જિત્થે કિત્થે વસી ભી તૂં’ જ્યાં ને ત્યાં તું જ વસી રહ્યો છે. આ સામેના કોઈ એક સાત માળના કે એથીય ઉંચા મકાનમાં તું વસે છે એમ કોઈ એક ઈમારતની વાત જ નથી. જ્યાં જોઈએ ત્યાં, બધે જ, તું વસે છે એવી ખાતરી થાય છે તેની અહીં વાત છે- આ તો નવી નવાઈનું મકાન. માટેસ્તો સૌથી ઉત્તમ, સૌથી ન્યારું, સૌથી ભવ્ય. તેરા મકાન આલા, જિત્થે કિત્થે વસી ભી તૂ. તેરા. ભક્તહૃદયને પ્રતીતિ થઈ છે કે હે પ્રભુ, બધે તું જ તું છે. આ વાત એના હૃદયમાં માતી નથી. કોઈકને એ વીનવે છે. જરીક આવો તો, અહીં, ત્યાં બધે ફરીએ, જોઈએ. જુઓ તો, તમને પણ મારા જેવી જ અનુભૂતિ થાય છે ને ? પહેલાં તો ઊભા હતા ત્યાં જ લટાર મારતાં મારતાં ઊંચે નજર કરી, આકાશમાં. હલો તો આસમાન વેખૂં, આગા, હલી પસૂં, આસમાન મિડયોહિ તારા, […]


બે ગીત.. – ગની દહીંવાલા 5

ગની દહીંવાલા માટે અમૃત ઘાયલ કહે છે, “ભવિષ્યમાં જ્યારે પણ ગુજરાતી કવિતાનું સમગ્રતયા મૂલ્યાંકન થશે ત્યારે ઈતિહાસે ગનીભાઈની સચ્ચાઈ અને શક્તિની નોંધ નાછૂટકે લેવી પડશે. શેર કહેવાની અને સમજવાની એનામાં ગજબની સૂઝ છે.” ગનીભાઈની ગઝલથી તો મોટાભાગના ગઝલરસિકો સુપેરે પરિચિત હશે જ પરંતુ તેમના બે ગીત આજે પ્રસ્તુત કર્યા છે. આંગણે ઝડપથી ઉગે એવો છોડ વાવવાની વાત વાલમને કહીને નાયિકા કયો અર્થ સારે છે એ સમજવું મુશ્કેલ નથી. તો બીજું ગીત તો જાણે લોકગીતની કક્ષામાં આવે… મીઠો અને મઘમઘતો રણકો કેટકેટલા સ્વરૂપોમાં અભિપ્રેત થઈ શકે છે તેનું અનોખું ઉદાહરણ આ ગીત આપે છે.


ઈશ્વરના બગીચામાં.. – સચિત રાઉત-રોય 2

મૂળે ઉડિયા ભાષાના રચનાકાર સચિત રાઉત-રોયની કૃતિનો અંગ્રેજી અનુવાદ અને તે પછી તેમાંથી ગુજરાતી અનુવાદ થયો જે અત્રે પ્રસ્તુત કરાયો છે. કવિ સંસારને ઈશ્વરનો એક બગીચો જાણે છે અને તેમાં પતંગીયું બનીને જીવી જવા માંગે છે, સુંદરતાનો, વૈભવનો, ફૂલોનો, મધનો અને ઉડવાનો આનંદ માણવા તેમનું હૈયું જાણે પતંગીયુ બનીને ફૂલ પર ઉડા ઉડ કરી મૂકે છે. સુંદર રચનાનો એટલો જ સુંદર અનુવાદ ખરેખર નમણી રચના છે.


એક અસંભવિત સાહિત્યિક ઘટના.. – કુમાર ભટ્ટ 10

કુમારભાઈ ભટ્ટની પ્રસ્તુત કૃતિ પ્રયોગશીલ કહી શકો એ પ્રકારની રચના છે. તેઓ કહે છે, “શરૂઆતમાં બે ત્રણ પેરેગ્રાફ જેટલી સૂઝેલી વાત લખાવા માંડી પછી એને જ્યાં જવું હોય એમ એની પાછળ પાછળ હું ગયો. કોમિક તો છે જ, આમ જુઓ તો લંબાઈના પ્રમાણમાં ‘વાત’ ખાસ ન પણ લાગે, પણ વાક્યે વાક્યે સંભવિત વાર્તાઓની કુંપળો દેખાય છે એની મને મજા પડી. ઘણા વાર્તા વાચકોને વાર્તામાં શું વાત છે એ તરત સમજાય જાય છે અને પછી એમને ‘વાર્તા’માં રસ નથી રહેતો એવા વાચકો માટે આ ‘કથા’ નો સાર એટલો જ છે કે … પણ એમને તો તરત ખબર પડી જ જાય પછી શું કે’વું?

પંચાણું ટકા વાત સંવાદ ઉપર જ ચાલે છે અને લગભગ એટલી જ વાત એક જ નિરીક્ષકની દૃષ્ટિથી જોવાઈ છે. રચના થોડી વિચિત્ર છે. જાણકારને ‘ચાલુ રાખો, સરસ છે’ એટલું કે’તાં ય કદાચ ઉદાર હોવાનો ભાવ થાય. તો પણ કોમેન્ટ્સ આર વેલકમ – જેવી હોય એવી. લંબાઈ વધારે છે એટલે શક્ય હોય તો વાત ક્યારે પૂરી થાય એની રાહ જોયા વગર વાંચશો તો થાક ઓછો લાગશે. વાતને ‘વાર્તા’ બનાવે એવું એક પણ વાક્ય રચનામાં નથી. અને એને ‘વાર્તા’ બનતાં રોકે એટલાં એમાં પાત્રો છે. એને ‘નાટક’ બનાવે એવો કોઈ ક્લાઈમેક્સ નથી. શરૂઆતમાં હ્યુમર છે. બીજા ભાગમાં તો એ પણ નથી. તો પણ જોઈ જુઓ ! Who knows? કદાચ મજા આવે પણ ખરી!”

અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ.