Monthly Archives: September 2008


માનસ નવરાત્રી @ મહુવા 11

યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્‍થિતા નમસ્‍તસ્‍યૈ નમસ્‍તસ્‍યૈ નમસ્‍તસ્‍યૈ નમો નમઃ કથાકાર પૂજ્ય શ્રી મોરારીબાપુ દ્વારા આજથી મહુવા ખાતે શરૂ થઈ રહેલી “માનસ નવરાત્રી” અનેક રીતે ખાસ છે. એક તો તે શ્રી બાપુના પોતાના વિસ્તારમાં હોવાના લીધે લોકોમાં અનન્ય ઉત્સાહ છે, વળી નવરાત્રી જેવા શક્તિપૂજાના પર્વે આ સુંદર આયોજન થયું છે તે ખૂબ આનંદ અને ભક્તિનો ઉત્સવ છે. આપ સૌને આ પ્રસંગે મહુવા આવવાનું હાર્દિક આમંત્રણ છે. શક્તિ અને તેના સ્વરૂપો વિષે માનસ નવરાત્રીમાં પૂજ્ય બાપુ ખૂબ સરસ વર્ણન કરશે અને તેમની યુગાન્ડાના કમ્પાલામાં માનસ કૃપાલા પછીની આ નવી શક્તિ ભક્તિ યાત્રા ખરેખર ખૂબ માણવાલાયક બની રહેશે…મહુવાના પેવિલીયન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ આ કથામાં આપ સર્વેને આવવા, જોડાવા અને ઉજવણી કરવા હાર્દિક આમંત્રણ. નવરાત્રી એટલે ગુજરાત ની અસ્‍મિતા, ઓળખાણ. આ ઉત્‍સવ દરમ્‍યાન ગુજરાતીઓ શેરીઓમાં – પોળોમાં – મેદાનોમાં ગરબે ઘુમવા ઉમટી પડે છે. ‘જ્‍યાં જ્‍યાં વસે એક ગુજરાતી સદા કાળગુજરાત – આ કાવ્‍ય પંક્‍તિ ને અનુરૂપ જ્‍યાં જ્‍યાં ગુજરાતીઓ વસેલા છે, ત્‍યાં ત્‍યાં તેમણે આ ઉત્‍સવની મહેક પહોંચાડી છે. આ ઉત્‍સવ માટે ગુજરાતીઓજ નહિં, પરંતુ તેમની સાથે વસતાં અન્‍ય પ્રદેશવાસીયો પણ રાહ જુએ છે. એક સરખા નવ દિવસ સુધી રાત્રે ગરબે ઘુમવું અને આખી રાત માણવી એ એક અણમોલ લ્‍હાવો છે, જે ગુજરાતીઓ દર વર્ષે માણે છે. અહીં મહુવામાં વડોદરાના ગરબા, મોડી રાતોના ઉજાગરા, પાસની વ્યવસ્થા અને પછી ગરબા રમવાનો (વડોદરાની ભાષામાં ગરબા ‘ગાવાનો’) અનન્ય આનંદ આ વખતે નહીં મળે પણ આ વખતે પૂજ્ય બાપુની માનસ નવરાત્રી તેની ખોટ મને નહીં સાલવા દે તેવી મને ખાત્રી છે. શક્તિપૂજા ના નવ દીવસોના આ નવરાત્રી પર્વ ની આપ સર્વેને ખૂબ શુભકામનાઓ…..માં શક્તિ આપ સર્વેને મનોકામના પૂર્ણ કરવાનું બળ અર્પે […]


અઘોર નગારા વાગે….વેલાબાવા તારાં… 9

થોડા વખત પહેલા મેં પુસ્તક અઘોરીઓ સાથે પાંચ દિવસ વાંચ્યુ અને તેને સંલગ્ન મારા વિચારો રજુ કરતી પોસ્ટ અનુક્રમે અઘોરીઓ સાથે પાંચ દિવસ, મન, આંતરીક શક્તિઓ અને વામમાર્ગ, પરબ્ર્હ્મ અને તેની પરિકલ્પના – ભૂત અને ભગવાન લખી, તેના ઘણાં પ્રતિભાવમાં મને સૂચવવામાં આવ્યુ પુસ્તક “અઘોર નગારાં વાગે”. લેન્ડમાર્ક બુકસ્ટોર વડોદરા હવે મારી ગુજરાતી પુસ્તકોની ભૂખ સંતોષી રહ્યું છે અને એ ખૂબ અલ્પ સમય આમ કરી શક્શે કારણકે તેમની પાસે હવે જૂજ પુસ્તકો રહ્યા છે. અઘોર નગારાં વાગે પહેલી નજરેજ ખૂબ ગમે તેવુ પુસ્તક છે. પુસ્તકની તુલનાત્મકતા કે તેની અંદર વર્ણવેલા પ્રસંગો કે ઘટનાઓની સત્યતા ચકાસવી એ અશક્ય કામ છે, પણ મને તેમાં વ્યવહારીકપણું દેખાય છે અને તે હકીકત હોય તેમ લાગે છે. લેખકે સાધુ સંપ્રદાય, તેમના પરિધાનો, વિચારો, પરંપરાઓ અને તેમના આરાધ્ય, તેમની પૂજન તથા સંધાન પધ્ધતિઓ વગેરેનું ખૂબ સુંદર અને વિગતે વર્ણન કર્યું છે. અને ઘણીવાર તેઓ પ્રસંગોની સાથે સાથે આનુષંગીક વર્ણનો પણ આપે છે જે સાધુ સમાજની વિવિધ રૂઢીઓને ખૂબ સરસ રીતે દેખાડે છે. પુસ્તકના બંને ભાગો સરસ છે પણ મને બીજો ભાગ ખૂબ ગમ્યો. સાધુસમાજ આપણા ધર્મ અને સમાજનું મુખ્ય અંગ છે, પુરાતનકાળથી અનેક સંપ્રદાયો, અનેક પ્રણાલીકાઓ અને અનેક જાતિઓ આમ જ ચાલી આવે છે. સાધુ સંપ્રદાય, કાપાલિકો કે શૈવ પંથીઓ સામાન્ય સમાજ અને જનતાથી દૂર છે અને તેમની પહોંચ કે જ્ઞાનની સીમાથી બહાર છે, તેમના વિષે અનેક માન્યતાઓ કે વાતો પ્રવર્તે છે. લેખક પોતે પુસ્તકની પ્રસ્તાવનામાં સ્વીકારે છે કે આપણે સાધુ કે અસાધુને વાસ્તવિક સ્વરૂપમાં ઓળખવાનું જ્ઞાન ધરાવતા નથી કે એ જાણવાની તકેદારીય રાખતા નથી. જેના કારણે પાખંડી સાધુઓ તેની પાખંડલીલા માં અજ્ઞાની, વિશ્વાસુ અને ભોળા લોકોને ફસાવી અનેક અનિષ્ટો સર્જે […]


મારા મૃત્યુ પછીની થોડીક ક્ષણો (ભાગ ૨) 11

પૂર્વાધ વાંચો અહીં, ક્લિક કરો મારા મૃત્યુની થોડીક ક્ષણો પહેલા (ભાગ ૧) ********* હું ચતોપાટ પડ્યો છું, મારા બધા કપડા, મારી ટાઈટનની ઘડીયાળ, મારા હાથની વીંટીઓ,  મારા ગળાનો સોનાનો ચેઈન બધુંય એક પછી એક ઉતરી રહ્યું હતું અને છાણના લીંપણ પર હવે મને મૂકવામાં આવી રહ્યો હતો. રોજ મને “તમે નકામો કલબલાટ ન કર્યા કરો, તમારે જોઈતું હોય તે લો, પણ વચ્ચે ન આવો” કહેનારો મારો પુત્ર પોકે પોકે રડી રહ્યો હતો. તેના આંસુ ખુશીના છે કે દુઃખના તે સમજવા જેટલો હું અણસમજુ હતો. મૃત્યુના દૂતે મને કહ્યું “ચાલો, આ બધુંય તો સામાન્ય છે.” મેં કહ્યું “તમારા માટે સામાન્ય હોઈ શકે…હું તો પહેલી વાર મરી રહ્યો છું.” તે મારી સામે જોઈ હસ્યો “ખરેખર?” “હા કદાચ” હું એવું જ કાંઈક બબડ્યો પણ મારું ધ્યાન તો નીચે જ હતું…આ બધામાં બે જ લોકો ખરેખર દુઃખી હતા,મારી પુત્રી અને મારી પત્ની…..અને તે બે રડી રહ્યાં ન હતાં. ઘણાય હવે સફેદ લેંઘા ઝભ્ભામાં આવી રહ્યા હતા, એમ્બ્યુલન્સ આવી ગઈ હતી, મારા હાથમાં લાડવા મૂકાઈ રહ્યા હતા અને કાનમાં મારો પૌત્ર કાંઇક મંત્ર બોલી રહ્યો હતો. પણ ત્યાં સાંભળવા વાળુ કોણ હતું? કેટલાક તો હજીય ચા પીવામાં વ્યસ્ત હતા. તેમને સ્મશાન સુધી આવવાનું હતુ એટલે કદાચ….. મને હવે ખૂબ મુશ્કેટાટ બાંધવામાં આવી રહ્યો હતો….”અરે મારો હાથ તો જુઓ…..” દોરીની નીચે દબાતા મારા હાથ સામેં મે દયાથી જોયું, પણ હવે એ મારો હાથ ન હતો….મારી પત્ની મારી સામે જોઈ રહી…”શું જુએ છે?” હું મનોમન બબડ્યો…… મારો પુત્ર મનમાં ગણતરી કરી રહ્યો હતો, “દસ હજાર બારમાં તેરમા માટે વાપરવા પૂરતા થઈ રહેશે…..ખોટો દેખાડો કરવાનો શો મતલબ?” મારી […]


મારા નાનપણાના મિત્રો – જીગ્નેશ અધ્યારૂ 5

બાળપણ એ એક અણમૂલ ભેટ છે, અને તેમાંય શાળાની શરૂઆતના વર્ષોમાં કરેલા તોફાન, ખાધેલા માર અને ગોઠીયાઓ સાથે માણેલી મજા….એનાં તોલે તો કાંઈ ન આવી શકે. અમે નાના હતા (પહેલાં કે બીજા ધોરણમાં) ત્યારે ( પોરબંદરમાં ) મારા ઘરથી પાંચ મિનિટ ચાલીને જવાય એટલા અંતરે આવેલી કડીયાપ્લોટની શાળાએ જતાં. ત્યાં ખૂબ મસ્તી કરતા, વાર તહેવારે માર ખાતા અને છતાંય આનંદ અને પરમ શાંતિની પ્રાપ્તિનો અનુભવ કરતાં. મારા બાળગોઠીયાઓને મારી તેમની પાટીની પેન ઝૂંટવી ખાઈ ગયાની ફરીયાદો સાંભળી મારી માતાને આવી ફરીયાદ ન આવે તે દિવસે કાંઈક અડવું અડવું લાગતું, તો રીસેષમાં શાળાએથી ભાગી કબડ્ડી રમવા કે ચોપાટી પહોંચી ફરવા જતા…..આ સમયના મિત્રો હવે ક્યાં પહોંચી ગયા એ ખ્યાલ નથી…કોઈ સંપર્ક નથી, પણ સ્મૃતિઓમાં આજેય એ “FRESH PAIN “ની જેમ સચવાયેલા છે…અને રહેશે…..અચાનક જ આ મિત્રોની યાદ આવી અને આ કવિતા લખાઈ ગઈ…..આશા છે આપને ગમશે…  ————-> હતા સદા જે સંગાથે, તે સ્મરણમાં રહી ગયા, વર્ષોના વહાણાં સહેજે, ક્ષણોમાં વહી ગયા, ખૂબ વધ્યા ઓછાયા અને ફૂલી ફાલી એકલતા, મારા નાનપણાના મિત્રો, હવે યાદો થઈ ગયા. માટી ફેંદતા સાથે સાથે, રમતા સાથ લખોટી, હું ખેંચતો ચડ્ડી કદીક, તું ખેંચે મારી ચોટી, પાટી પેન ને ચમચમ સોટી, લંગોટી રહી ગયા, મારા નાનપણાના મિત્રો, હવે યાદો થઈ ગયા. ચોપાટીએ ઘર ઘર રમતા, ગાતાં ગીત મજાનાં શાળાએથી ભાગી જાતા, કેવા છાના માના ઝાડુ વેલણે બરડે દીધા, લીસોટા રહી ગયા મારા નાનપણાના મિત્રો, હવે યાદો થઈ ગયા. રાજુ ને હીતુ, રેખુ ને ભાનું, શોરથી આવી, ભાગતા છાનુંમાનું છાનામાના જીવનમાંથી, ક્યાં તમે સરી ગયા મારા બાળપણાના મિત્રો, હવે યાદો થઈ ગયા. સ્મરે છે હજી બાની આંગળી, પકડી લીધો મારગ, જીવનભર સાચના રસ્તે થયા ન કદી […]


મારા મૃત્યુની થોડીક ક્ષણો પહેલા (ભાગ ૧) 17

મૃત્યુ વિષે ઘણું વાંચ્યું છે, ઘણું જોયું છે અને ખૂબ ઓછું સમજ્યું કે મેળવ્યું છે. મેં અહીં મૃત્યુ વખતનો અનુભવ કેવો હશે તે લખવાનો પ્રયત્ન કર્યો છે, મને લાગે છે કે જે સંજોગો વિષે બીજા કોઈ વિચારવા ન માંગતા હોય તેના વિષે આપણે વિચારવું જોઈએ….મારા મૃત્યુ પહેલાનો અને પછીનો સમય અહીં કલ્પ્યો છે……કદાચ આવું જ હોય અને કદાચ આવુંન ય હોય પણ આ તો એક કલ્પના છે……ભવિષ્યની ……અને ભવિષ્ય પછીના ભવિષ્યની…… મારા ઘણા અખતરાઓને આપે વાંચ્યા અને વખાણ્યા કે મૂલવ્યા છે…આશા છે આ પણ ગમશે… E@@@@@——> શ્વાસો ધીમા થઈ ગયા છે, આંખો અર્ધ બીડાયેલી છે, દીકરા, દીકરી, વહુ, જમાઈ, પૌત્રો અને પૌત્રીઓ વગેરે બધા વીંટળાઈ વળ્યા છે. જીવનભર સાથ આપનાર જીવનસાથી આ સફરમાં મને એકલા જ પ્રયાણ કરતા જોઈને વ્યથિત છે પણ તેની વ્યથા હવે ‘મેચ્યોરીટી’ પામી ચૂકી છે, જાણે કે સંજોગોને આવતા જોઈને તે પહેલાથી જ શોકમાં ડૂબી ગઈ છે….આસપાસ ઉભેલા બીજા બધા એમ્બ્યુલન્સ બોલાવવાની તૈયારી કરે છે જેથી ઉંચકીને ન લઈ જવો પડે, કેટલાક ફોન કરવામાં પડ્યા છે કે આ જીવ નો આ અંતિમ અવસર છે, કેટલાક શાંત ચિતે ઉભા તેમના સફેદ લેંઘા ઝભ્ભા ક્યાં પડ્યા હશે તે વિચારે છે…..અને હું….. જીવનના આ અંતિમ મુકામે….અને એક નવી તૈયારી વખતે મને લાગે છે કે હું ગભરાઈશ નહીં…….પણ દુઃખી અવશ્ય હોઈશ, આસક્તિઓ હજીય મને છોડીને ગઈ નથી એટલે પરસેવો અને લોહી એક કરી બનાવેલુ આ મકાન જેમાંથી મને કાઢવા લોકો તલાપાપડ થઈ રહ્યા છે તેને હું શૂન્યમનસ્ક પણે જોઈ રહ્યો છું, યાદ આવે છે એ કરકસર અને વેઠેલી તકલીફો જેના પ્રતાપે આ મકાનના હપ્તા ભરાયા છે……યાદ આવે છે એ બેન્ક […]


ખંડિત સ્વપ્નના અવશેષ – કિસન સોસા

એવા વળાંક પર હવે ઉભો છે કાફલો અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ અહીંથી હું શ્વેત શ્વેત કાંઈ સ્વપ્ને લચી શકું અહીંથી હું અંધકારની ખીણે ખરી શકું અહીંથી હું ભવ તરી શકું, અહીંથી ડૂબી શકું અહીંથી જવાય ક્ષણ તરફ, અહીથી સદી તરફ અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ અહીંથી ઉમંગ ઉડતા અવસરમાં જઈ વસું કે કાળમીંઢ વેદનાના દરમાં જઈ વસું અહીંથી હું કબ્રમાં કે પછી ઘરમાં જઈ વસું અહીંથી જવાય હમણાં તરફ, અહીંથી કદી તરફ અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ. કિસન સોસા (‘કંકાવટી માસિક’, ૧૯૭૫)


મુખવાસ – સંકલિત

જિંદગી પણ કેવી કમાલ છે ! પહેલાં આંસુ આવતા ને બા યાદ આવતી ને આજે બા યાદ આવે ને આંસુ આવી જાય છે – રમેશ જોષી *****  રાત થયે આ બારીમાં જે છાની છાની તારલીયાની પાંપણ જોઈ સજળ એ તમે નહીં તો કોણ – હસિત બૂચ  ***** કવિનું કામ મનુષ્યના આત્માનો ઉધ્ધાર કરવાનું નથી પણ તેને ઉધ્ધારને પાત્ર બનાવવાનું છે – જેમ્સ ફ્લેચર  ***** તંત્રીયે આપણે અને ખબરપત્રી પણ આપણે, કવિ યે થવું પડે અને સમાલોચક પણ આપણું પત્રકારત્વ તો છે કોણી મારીને કુરડું ઉભું કરવાની કળા!  – ઝવેરચંદ મેઘાણી  ***** જિંદગીમાં બે કરૂણતા આવે છે એક તો પોતે જેને ઝંખતા હોઈએ તે ન મ્ળે તે અને બીજી એ સાંપડી જાય તે… *****  જુઓ મસ્જીદ મિનારે એ ઝલક આફતાબની આવી પુકારે બાંગ મુલ્લા મસ્ત રાગે, વાત થઈ પૂરી અમારી રાત થઈ પૂરી – નાથાલાલ દવે *****  કોઈ પણ કામ કરવાના ત્રણ રસ્તા છે, કાં તો એ જાતે કરવું, કાં તો પૈસા આપી કોઈની પાસે કરાવવું અથવા એ કરવાની મનાઈ પોતાના બાળકોને ફરમાવવી  ***** આ મારી શાયરી યે સંજીવની છે ‘ઘાયલ’, શાયર છું, પાળીયાને બેઠા કરી શકું છું ! ***** And Last but not the least   Bliss was it in that dawn to the alive   But to be young was very heaven ! – Wordsworth


પપ્પાનું વ્હાલ મમ્મીને 13

ક્યાંક વાંચ્યુ હતું કે બાળક છ મહીનાનું થાય એટલે તેને પોતાના માતા પિતાની સાથે લાગણીના તંતુથી જોડાઈ જાય છે. માતાની સાથે તો શારિરીક બંધન છૂટે તે પહેલા પણ લાગણી બંધન હોય જ છે, પણ પપ્પા સાથે તેને થોડો સમય લાગે છે. અને જ્યારે પપ્પા સાથે તે પૂર્ણપણે જોડાઈ જાય ત્યાં સુધી પપ્પા એવા સંજોગોમાં પહોચી જાય છે જ્યારથી તેનો બાળકને અપાતો સમય,  તેની ઓફીસ, ફાઈલ્સ, મીટીંગ્સ, સાઈટ અને ફોનકોલ્સ માંથી માથુ બહાર કાઢવાનો સમય કાંઈક અંશે ઘટતો જાય છે. બાળકની વધતી ઝંખનાઓ સામે તેને ક્યારેક પિતા તરફથી સમય મળે છે, ક્યારેક નહી. આવા સંજોગોમાં ઘણી વાર બાળક તેની માતા પાસેથી પિતાનો ‘એક્સ્ટ્રા’ પ્રેમ મેળવવાના પ્રયત્નો કરે છે, અને ક્યારેક પિતાની ‘બેધ્યાન અવગણના ભર્યા’ સંજોગોની ફરીયાદ પણ કરે છે. અને પપ્પાને મમ્મીમાં શોધવાનું કામ કરે છે. આ કવિતા આવીજ એક વાત ખૂબજ સરળ અને વહાલી ભાષામાં વ્યક્ત કરે છે. ***** મને પપ્પા ગમે ને વ્હાલ મમ્મીને કરૂં મને મમ્મી ગમે ને વ્હાલ પપ્પાને કરૂં, મમ્મી તો હસતી ને હસતી ફરે અને મારા પપ્પાનું કાંઈ રે કહેવાય નહીં કદી વાતો કરે ને કદી મૂંગા રહે, મળે છાપું તો ખોળો ખૂંદાય નહીં મમ્મીના વ્હાલમાં હું રોજ રે તરું; મને પપ્પા ગમે ને વ્હાલ મમ્મીને કરૂં મમ્મી તો મારી સાથે પત્તા રમે અને કૂકા રમે ને કૂદે દોરડાં વાંચતા ને લખતા કૈ પપ્પાજી હોય ત્યારે એમના બિહામણા ઓરડા દોડી દોડીને બકી મમ્મીને ભરું મને પપ્પા ગમે ને વ્હાલ મમ્મીને કરું !


વરસાદ પછી વગડો – જયંત પાઠક

પડી ગયો વરસાદ ટપક ટપ ટપક્યાં કરતા પાન પછી અચાનક આભ ઉઘડ્યાં સૂરજના કર અડકે ઝલમલ તડકે તરૂને ભીનલ વાન રડતાં રડતાં હસી પડ્યું લો રાન ! – જયન્ત પાઠક


એક સિવિલ એન્જીનીયરની જિંદગી

સૃષ્ટીના દરેકે દરેક કણમાં જેનું અસ્તિત્વ છે અને છતાંય જે સદંતર અવ્યક્ત છે તે પરમ પરમેશ્વર પરમાત્માએ સર્જન પછી જેવો નિરાંતનો શ્વાસ લીધો હશે, સંતોષનો ઓડકાર અનુભવ્યો હશે તેવો જ સંતોષ એક સિવિલ એન્જીનીયરને પોતાના સર્જન પછી તેના વપરાશને જોઈને આવે છે. હું પોર્ટ પીપાવાવમાં આ પહેલા એક જેટી બનાવવાના કામમાં હતો, દોઢ વર્ષની મહેનતના અંતે જ્યારે એ મહાકાય પ્લેટફોર્મ પર પહેલુ શીપ લાંગર્યું ત્યારે જે અનુભવ, આનંદ થયો તે શબ્દો દ્વારા વ્યક્ત થઈ શકે તેમ નથી. એ આનંદ એવા લોકો જ જાણી શકે જેણે તેમાં સીમેન્ટ કોન્ક્રીટ માં મહેનતનો પરસેવો રેડ્યો હોય…..(પછી ભલે w:c ratio વધી જાય). મેં એક વાર મારા CRE ને કહ્યું હતું કે “A Civil engineer comes to an uncivilized place, makes it civilized for civilians and then gets out from there “, કારણકે અવિકસિત વિસ્તારોને સુવિધાઓ આપી એ કદી પોતે ભોગવવા રહેતો નથી, તેના નસીબમાં તો સતત છે નવા વિસ્તારો, નવા પ્રોજેક્ટસ અને નવા સર્જનનો આનંદ, ઓફીસમાં બેસી ડીઝાઈન કરતા સિવિલ એન્જીનીયરોની આ વાત નથી, અને એટલે મને સંતોષ છે કે સાઈટ પર આટલી નાની ઉંમર હોવા છતા આટલા સંતોષ સુધી પહોચી શક્યો છું. સર્જન અને વિનાશ એ તો પ્રભુરચિત એક સર્વસામાન્ય પ્રવૃતિ છે, અને એક મનુષ્ય પોતાના જીવનકાળ દરમ્યાન જે કાંઈ સર્જન કે રચના કરે છે તે જ તેને અમર બનાવે છે, કે તેના નામને અમર બનાવે છે…….હું જ્યારે અમે સાત એન્જીનીયરોની કન્સલ્ટન્સીમાં બનાવેલી આ કન્ટેઈનર બર્થ જોઈએ છીએ ત્યારે લાગે છે કે હા, હવે મહેનત રંગ લાવી રહી છે. જીવન પોતાના રંગ, પોતાની મજબૂરી અને પોતાની સદા સર્વદા આગળ વધવાની કળા આમ જ ચાલતી રહે છે. […]


સૃષ્ટીના રચયિતા અને પહેલા એન્જીનીયર 6

પ્રભુ શ્રી વિશ્વકર્માને હિન્દુ માન્યતા મુજબ આ સૃષ્ટીના રચયિતા અને સ્થપતિ ગણવામાં આવે છે. દર વર્ષની સત્તરમી સપ્ટેમ્બર વિશ્વકર્મા પૂજા દિવસ તરીકે ઉજવાય છે. મૂળ બંગાળ, ઓરીસ્સા અને ત્રિપુરા તથા ઉત્તરભારતના એકાદ બે રાજ્યોમાં ઉજવાતો આ ઉત્સવ બાંધકામ સાથે સંકળાયેલી સમગ્ર સંસ્થાઓએ ઉજવવાનું શરૂ કર્યું છે. છેલ્લા ચાર વર્ષથી હું પણ તેમાં શામેલ થઈ રહ્યો છું. આ દિવસે ભગવાન વિશ્વકર્માની પૂજા કરાય છે, બાંધકામ બંધ રાખી બધા તેમની પૂજા અર્ચના અને પોતાના વિભાગોની, કામગીરી વાળી જગ્યાની પૂજા કરે છે. મૂળ સાઈટ પર ઉજવાતો હોવાના લીધે આ ઉત્સવ સામાન્ય લોકોની જાણ બહાર મોટેભાગે રહે છે. પણ સિવિલ ઈન્ડસ્ટ્રી તેને ખૂબ ભક્તિભાવ પૂર્વક અને જોરશોરથી ઉજવે છે. વિશ્વકર્માને દૈવી સ્થપતિ માનવામાં આવે છે, તેનો ઉલ્લેખ ઋગ્વેદ અને સ્થપત્ય વેદ માં મળે છે. તેમને બાંધકામ, આયોજન અને અભિયંતા વિશ્વના સ્થાપક તરીકે માનવામાં અને પૂજવામાં આવે છે. કડીયાઓ, કારીગરો, વેલ્ડરો, ફીટરો, એન્જીનીયરો, તથા સમગ્ર બાંધકામ જગત તેમની પ્રોજેક્ટની સફળતા, સુરક્ષા અને પોતપોતાના કાર્યક્ષેત્રમાં સફળતામાટે તેમની પૂજા કરે છે, અને તેમની પ્રેરણા અને દોરવણી નીચે આખુંય કાર્ય ચાલે છે તેવી ભાવના સાથે તેમને પ્રોજેક્ટ અર્પણ કરે છે. દિવસભર તેમની પ્રતિમાની પૂજા કર્યા પછી, તેમને ફળ તથા વિવિધ ભોગ ધર્યા પછી દિવસને અંતે તેમની પ્રતિમા પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે. આ દિવસે પ્રોજેક્ટ સાથે સંકળાયેલા બધાંય ભેગા મળી ઉજાણી કરે છે અને વર્ષમાં એક જ દિવસ બંધ પાળતી આ સમગ્ર ઈન્ડસ્ટ્રી તે દિવસે ખરેખર સિવિલાઈઝડ થઈ મજા કરે છે, સાહેબ અને મજૂર ના ભેદ ભુલાવી બધા હળેમળે છે અને એક બીજાના પ્રોજેક્ટ વિશે માહીતીની આપ લે કરે છે.   અમારી સાઈટ પર આ વખતેય એવી જ ઉજાણી થઈ…….ખૂબ […]


હજારો ઝળહળતા સૂર્યો – ખાલિદ હુસૈની 4

“A Thousand Splendid Suns by Khalid Hosseini” મેં વાંચી હતી ઘણા સમય પહેલા અને હમણાં ફરીથી વાંચી, મને તે ઘણી ગમી છે…….મને લાગે છે કે આ અફઘાનિસ્તાનની સામાન્ય જિંદગીનું ખૂબ જ સાહજીક અને વિસ્તૃત નિરૂપણ છે, પણ તે આ આખા વાંચનના બેકગ્રાઉન્ડમાં છે, પુસ્તક વાંચવુ પૈસા અને સમય વસૂલ છે. આ આખી વાર્તાની સાંકળની કડીઓ ખૂબજ સરસ રીતે ગોઠવેલી છે અને એ કડી ક્યાંય તૂટતી નથી કે તમે વાર્તાના પ્રવાહમાં કડીને ભૂલી જતા નથી. વાર્તાના મુખ્ય પ્રવાહને લીધે તદન સાહજીકતાથી આપણી સમક્ષ આવે છે તાલિબાન અને તેમનો ત્રાસ, અહીં તાલીબાન પહેલાનું, તે દરમ્યાનનું અને તે પછીનું જીવન ખૂબ સુંદર રીતે વર્ણન કરેલુ છે,  મજા પડી, તેનો કદાચ ગુજરાતી અનુવાદ થયો છે પણ મારા ધ્યાનમાં તે પુસ્તક આવ્યું નથી. પુસ્તકના કેટલાક અંશોનો આ અનુવાદ મેં કર્યો છે તમને પુસ્તકની માહિતિ આપવા…..આશા છે આપને ગમશે… (આ પુસ્તક વિશે ઓરીજીનલ પોસ્ટ મેં લખી હતી મારા અંગ્રેજી બ્લોગ પર @ ૭ ડીસેમ્બર ૨૦૦૭. A Thousand Splendid suns ****   **** હવે કોણ શું બોલી રહ્યું છે તે વિશે મરીયમને જરાય પરવા નહોતી, તેણે તો ફક્ત જલીલની સામે તાક્યા કર્યું, જાણે કે તે હમણા કહેશે કે આમાંથી કાંઈ સત્ય નથી, “તું કાંઈ આખી જિંદગી અહીં ના જીવી શકે” “શું તારે પોતાનો પરિવાર જોઈતો નથી? “હા, એક ઘર, પોતાના બાળકો…” “તારે આગળ વધવું જ રહ્યું” “સાચી વાત છે કે તારે કોઈ નજીકના, કોઈ તાજીકને જ પરણવું જોઈએ પણ રશીદ તંદુરસ્ત છે, અને તારામાં તેને રસ છે, તેની પાસે કામ છે અને પોતાનું ઘર છે, અને આ જ છે જેની જરૂર છે, કે જે ખરેખર અગત્યનું છે. અને કાબુલ સુંદર અને […]


તમે મારા દેવના દીધેલ છો – ઝવેરચંદ મેઘાણી 5

તમે મારા દેવના દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો, આવ્યા ત્યારે અમર થઈને રો’! મા’દેવ જાઉં ઉતાવળીને જઈ ચડાવું ફૂલ, મા’દેવજી પરસન થિયાં ત્યારે આવ્યાં તમે અણમૂલ, તમે મારૂં નગદ નાણું છો, તમે મારૂં ફૂલ વસાણું છો, આવ્યા ત્યારે અમર થઈને રો’! મા’દેવ જાઉં ઉતાવળીને જઈ ચડાવું હાર, પારવતી પરસન થિયાં ત્યારે આવ્યા હૈયાના હાર. – તમે. હડમાન જાઉં ઉતાવળીને જઈ ચડાવું તેલ, હડમાનજી પરસન થિયાં ત્યારે ઘોડિયાં બાંધ્યા ઘેર. – તમે (પછી નામ મૂકીને માતા થોડો વિનોદ કરી લે છે…) ચીંચણ પાસે પાલડીને ત્યાં તમારી ફૈ, પાન સોપારી ખાઈ ગઈ, કંકોતરીમાંથી રૈ. – તમે ભાવનગરને વરતેજ વચ્ચે બાળુડાની ફૈ, બાળુડો જ્યારે જલમીયો ત્યારે ઝબલા ટોપીમાં થી ગૈ, બાળુડો જ્યારે પરણશે ત્યારે નોતરા માંથી રૈ, – તમે. – – ઝવેરચંદ મેઘાણી


હાલરડું અને મમત્વ 9

” આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ – બાળુડાને માત હીંચોળે, ધણણણ ડુંગરા બોલે. શિવાજીને નીંદરું ના’વે, માતા જીજાબાઇ ઝુલાવે. “ આ કે આવા અન્ય કેટલાંય હાલરડાં એ દરેક નાનકડા ભૂલકાંનો હક છે અને દરેક માતા પિતા કે દાદી કે દાદાની ફરજ….આપણી સંસ્કૃતિનું એક મોટામાં મોટું જમાપાસુ છે કે બાળક હજીતો તમારી ભાષાય નથી જાણતું કે સમજતું તે જ વખતે સંસ્કૃતિ અને સમાજજીવનની વાતો તેના લોહીમાં દૂધ સાથે ઉતારવાની આ એક સર્વોત્તમ ગોઠવણ છે. બાળક ભલે ગમે તેટલું રડતું હોય કે તોફાન કરતું હોય, પણ માતાના મોંઢે જેવુ હાલરડું સાંભળે છે ત્યારે તદ્દન નિર્ભેળ આનંદ તેના ચહેરા પર છલકાય છે, જાણે ભોળા શંકર આ વિશ્વની તમામ ખરાબીઓ, તમામ અનાચારને હણીને શાંત થઈ સૂતા હોય તેમ તેના ચહેરા પર તદ્દન સામાન્ય પણ ખૂબ ઉંડી શાંતિ છલકાય છે. દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે, વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે. જેવા હાલર્રડાઓ ખબરનહીં કઈ રીતે એ નાનકડા બાળ મન પર એવી અસર નાખે છે કે બાળક પોતાની માતાના ખોળામાં પરમાનંદની જાણે કે સમાધિની અવસ્થામાં સૂઈ જાય છે … હું જ્યારે જોઉં છું કે મારી પુત્રી તેની મમ્મી કે ફઈના ખોળામાં હાલરડુ સાંભળતાવેંત જ સૂઈ જાય છે ત્યારે થાય કે આ થી વધારે સંતોષની ઉંધ કઈ હોઈ શકે. મારા મમ્મી મને કહેતા કે નાનપણમાં તને ખોળામાં લઈ આંખ મારી ઉઘડે ત્યાં તો…..કે મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારો….વાળી પ્રાર્થના ગાતા કે હું તરત સૂઈ જતો…..તો મારી દીકરી “પરી રાણી…તમે આવો..ઉડતા ઉડતા દેશ તમારે, હાર્દીને લઈ જાઓ….”વાળુ હાલરડુ સાંભળી સૂઈ જાય છે… અજબની દુનિયા છે હાલરડાની … આજના આધુનિક સમયમાં જ્યારે દૂધ બોટલોમાં […]


એક દિકરીની લાગણી – વિકાસ બેલાણી 23

“હેલ ભરીને હું તો હાલું ઉતાવળી,                        નક્કી આંગણીયે કોક મે’માન આવે” સૌરાષ્ટ્રના એક પ્રસિધ્ધ લોકગીતની આ પંક્તિઓ છે. ગુરૂવાર તારીખ ૨૮/૦૮/૨૦૦૮ ના રોજ બપોરે ત્રણ ને વીસે એક મોંઘેરા મહેમાને મારા ઘરમાં, હ્રદયમાં પા પા પગલી પાડી, તીણા મધુર રૂદનથી મારા જીવનમાં સંગીતના સુરો રેલાવ્યા, અને એક પુત્ર, ભાઈ અને પતિ પછી પિતાનું બિરૂદ અપાવ્યું. હા….મારે ત્યાં એક વ્હાલસોઈ દિકરીનો જન્મ થયો. જરા વિસ્તારથી કહું તો ગંભીર થઈ ગયેલી શારીરિક પરીસ્થીતિઓ વચ્ચે જ્યારે મારી પત્નીએ ઓપરેશન દ્વારા તેને જન્મ આપ્યો, ત્યાં સુધી મારા શ્વાસો મારા કાબૂમાં નહોતા….પણ જ્યારે ઓપરેશન સફળતા પૂર્વક પૂરૂં થયુ અને મારી દિકરી મારા હાથમાં આવી ત્યારે આંખમાંથી દડ દડ આંસુ નીકળી ગયા….એ હતા ખુશીના, સંતોષના. મારી હંમેશાની ઈચ્છા કે મારે એક દિકરી હોય અને દેખાવમાં તેની મમ્મી જેવી હોય, તેને ઈશ્વરે પૂરેપૂરૂં માન આપ્યું. મને એક સુંદર દીકરીની ભેટ આપી, એક દિકરીનો બાપ બનવાની ખુશી જેને મળી, તે મહાભાગ્યશાળી. મેં મારી આ ખુશીને ખૂબ માણી….મારી ગોદમાં જ્યારે મારી દિકરીને પહેલીવાર મારા ખોળામાં લીધી તો લાગ્યું કે જગતની તમામ સંપત્તિ, સમૃધ્ધિ અને ખુશી મને મળી છે. કહે છે કે બાપને પોતાની દિકરી અને માંને તેનો દિકરો વહાલો હોય છે. આજે જ્યારે લોકો બેટી બચાવો આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે અને હજીય જે લોકો દિકરીને ગર્ભમાં જ મારી નાખવા માંગે છે તેમને મારે એટલું જ કહેવાનું કે એકવાર તમારી એ માસૂમ દિકરીને ગોદમાં લો, તેની આંખોમાં જુઓ, તેના માથા પર હાથ ફેરવો, અને જો તોય તમને એવી જ ક્રૂર ઈચ્છા થાય તો તમને ગમે તેમ કરો. પણ એવું બનવુ શક્ય જ નથી, તેનો સ્પર્શ તમને પથ્થર માંથી […]


એક ડોક્ટરની પ્રાર્થના 8

હે પ્રભુ ! આ વિધિની વિડંબના જ છે કે મારી આજીવિકા અન્ય લોકોના દુઃખ અને તકલીફ પર આધાર રાખે છે. પણ એ તારી કૃપા જ છે કે તેં મને તેમના દુઃખ દૂર કરવાને લાયક ગણ્યો, મને તેં એવી કાબેલીયત આપી કે તકલીફમાં પીડાતા લોકોની પીડા હું મારી અલ્પબુધ્ધિથી શમાવી શકું. મારી શક્તિ મુજબ હું તેમને મદદરૂપ થઈ શકું, આ માટે હું સદાય તમારો આભારી રહીશ આમ તો આ સઘળું તમારૂં જ કર્યું છે, તમે જ દુઃખ આપો છો અને તમે જ શાતા આપો છો, તમે જ મને માધ્યમ બનાવો છો કે જેથી હું આ લોકોની તકલીફો ઓછી કરી શકું. મને આ પ્રકારે પ્રેરણા આપવા બદલ પણ તમારો આભાર… ( From a wallpaper @ Dr. Rajendra P Padiya Clinic @ Mahuva )


क्या खोया क्या पाया – અટલ બિહારી વાજપેયી

અટલ બિહારી વાજપેયી એ ભારતના એવા રાજકારણી છે જેમણે રાજકારણ માં પ્રવૃત હોવા છતાં પોતાની સંવેદનશીલતાને જાળવી રાખી છે. એક રાજકારણી ત્યારે જ કવિ હોઈ શકે જો તેની અંદરનો સહાનુભૂતીવાળો માણસ જાગતો હોય, ભારતીય રાજનીતીમાં તેમના જેવા સપૂતો ખૂબ ઓછા થયા છે તે અફસોસની વાત છે પણ આવા વિરલા આપણને મળ્યા છે તે ગર્વ લેવા જેવી વાત છે. આજે પ્રસ્તુત છે તેમની એક એવી કવિતા જેમાં તેઓ એ પોતાના મનની ભાવનાઓ પ્રસ્તુત કરી છે, તે કહે છે કે આ જીવનમાં કાંઈ મેળવ્યુ કે ગુમાવ્યું એમ નથી, જીવન તો અનંત સફર છે અને દરેક પગલે છલનાઓ હોવા છતાંય તેમને કોઈ સાથે તકલીફ નથી. મૃત્યુ આવે ત્યારે જાતે જ તેનું સ્વાગત કરવાની વાત કરી અનંત સફરે જવા તૈયાર હોવાનું સૂચવે છે…તેઓ કહે છે કે આ અસીમીત જગતમાં કાલે ક્યાં હોઈશું તે કોને ખબર છે? સંવેદનાસભર આ કાવ્ય ખરેખર સુંદર છે. – જીગ્નેશ અધ્યારૂ क्या खोया क्या पाया जग में मिलते और बिछड़ते मग में मुझे किसी से नहीं शिक़ायत यद्यपि छला गया पग पग में एक दृष्टि बीती पर डालें यादों की पोटली टटोलें अपने ही मन से कुछ बोलें प्रथ्वी लाखों वर्ष पुरानी जीवन एक अनन्त कहानी पर तन की अपनी सीमाएँ यद्यपि सौ शरदों की वाणी इतना काफ़ी है अंतिम दस्तक पर ख़ुद दरवाज़ा खोलें अपने ही मन से कुछ बोलें जन्म मरण का अविरत फेरा जीवन बंजारों का डेरा आज यहां कल कहाँ कूच है कौन जानता किधर सवेरा अँधियारा आकाश असीमित प्राणों के पंखों को तौलें अपने ही मन से कुछ बोलें By Atal Bihari Vajpayee.


અધ્યારૂ નું જગત – ત્રીસ હજાર ક્લિક્સ

મિત્રો, આપ સર્વે વાચકો, વિવેચકો, અને બ્લોગ જગતના તમામ મિત્રોના સહકાર અને શુભકામનાઓ સાથે આજે અધ્યારૂ નું જગત ત્રીસ હજાર ક્લિક્સ પાર કરી ગયું છે. આશા છે આપ સર્વે આમ જ પ્રોત્સાહન અને ઉત્સાહ પૂરો પાડતા રહેશો. ગુજરાતી બ્લોગ જગત અથવા ગુજરાતી સાહિત્ય જગતને જે સમૃધ્ધિની જરૂર છે તે અપાવવા અધ્યારૂ નું જગત અને હું જીગ્નેશ અધ્યારૂ સદા કટીબધ્ધ છીએ….આશા છે આપ અહીં આનંદ મેળવી રહ્યા હશો…૧૮ જુલાઈ થી ૧૦ સપ્ટેમ્બર આમ ફક્ત બે જ મહીનાથીય ઓછા સમયગાળામાં દસ હજાર ક્લિક્સ મળી છે જે આપ સર્વેના અપાર પ્રેમ અને સહકારનું જ પ્રમાણ સૂચવે છે. આ પહેલા આમ જ બે મહીનામાં દસ હજાર ક્લિક્સ મંળી હતી, આપ સૌની સાથે ગુજરાતી જગતના એક અંગ બની રહ્યા હોવાની આ લાગણી જ સાચો આનંદ અને સંતોષ છે. ધન્યવાદ


श्रीमद भगवदगीता પંદરમો અધ્યાય – પુરૂષોત્તમયોગ 6

ॐ श्रीपरमात्मने नमः ”’अथ पञ्चदशोऽध्यायः”’ श्रीभगवानुवाच ऊर्ध्वमूलमधःशाखमश्वत्थं प्राहुरव्ययम् । छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् ॥१५- १॥ શ્રી ભગવાન બોલ્યા; જેના મૂળ ઉર્ધ્વ છે (સંસાર વૃક્ષના મૂળ એવા પ્રભુ શ્રી વિષ્ણુ સર્વેથી ઉપર અને સર્વેશક્તિમાન છે તે) અને જેની શાખાઓ નીચે તરફ ફેલાયેલી છે (બ્ર્હ્માજી ગૌલોકની નીચે તરફ બ્રહ્મલોકમાં છે, તે સર્વે સંસારની મુખ્ય શાખા છે)  એવા અવિનાશી સંસાર વૃક્ષ, જેના પત્તા વેદો છે, તેને જે પુરૂષ મૂળ થી સત્વ સુધી જાણે છે તે વેદના તાત્પર્યને જાણવા વાળો છે. अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखा गुणप्रवृद्धा विषयप्रवालाः । अधश्च मूलान्यनुसंततानि कर्मानुबन्धीनि मनुष्यलोके ॥१५- २॥ આ સંસાર વૃક્ષની ગુણોના જળથી સિંચન પામી વિકસેલી, વિષય ભોગ રૂપી કુંપણો વાળી, દેવ મનુષ્ય તથા તીર્યક રૂપી શાખાઓ સર્વત્ર ફેલાયેલી છે, તથા મનુષ્યને કર્મ અનુસાર બાંધનારી મમતા, અહં અને વાસના રૂપી જડો પણ બધે વ્યાપ્ત છે. न रूपमस्येह तथोपलभ्यते नान्तो न चादिर्न च संप्रतिष्ठा । अश्वत्थमेनं सुविरूढमूल- मसङ्गशस्त्रेण दृढेन छित्त्वा ॥१५- ३॥ આ સંસારનું સ્વરૂપ જેવુ જોવામાં સાંભળવામાં આવે છે તેવુ તત્વજ્ઞાન થયા પછી નથી જણાતુ કારણ કે તેની શરૂઆત કોઈને ખબર નથી અને તેનો અંત ક્યારે હશે તેની કોઈ માહીતી નથી. વાસ્તવમાં તે શણ ભંગૂર અને નાશવંત છે, એટલે વાસના, મમતા અને અહં જેવા દ્રઢ મૂળો વાળા આ સંસાર વૃક્ષને દ્રઢ વૈરાગ્ય જ કાપી શકે. ततः पदं तत्परिमार्गितव्यं यस्मिन्गता न निवर्तन्ति भूयः । तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तिः प्रसृता पुराणी ॥१५- ४॥ તે પશ્ચાત પરમ પદ સ્વરૂપ પરમેશ્વરને શોધવા જોઈએ, જેમની પાસે ગયા પછી કોઈ સંસાર રૂપી ચક્રમાં પાછુ આવતુ નથી તે આદિ પુરૂષ નારાયણ ની શરણ માં છું તેમ નિશ્વય કરી પરમેશ્વરનું ધ્યાન કરવું […]


સારા ભાષાંતરના ગુણ – ગાંધીજી 4

સારા ભાષાંતરમાં નીચેના ગુણ હોવા જોઈએ : એ જાણે સ્વભાષામાં જ વિચારાયું અને લખાયું છે તેવું સહજ અને સરળ હોવુ જોઈએ. જે ભાષામાંથી ઉતારાયું હોયતે ભાષાના રૂઢીપ્રયોગો અને શબ્દોના વિશેષ અર્થો ન જાણનાર એને સમજી ન શકે એવું તે ન હોવું જોઈએ. ભાષાંતરકારે જાણે મૂળ પુસ્તકને પી જઈને તથા પચાવીને એને ફરીથી સ્વભાષામાં ઉપજાવ્યું હોય તેવી કૃતિ લાગવી જોઇએ. આથી સ્વતંત્ર પુસ્તક કરતા ભાષાંતર કરવાનું કામ હંમેશા સહેલુ નથી હોતું. મૂળ લેખક સાથે જે પૂરેપૂરો સમભાવી અને એકરસ થઈ શકે નહીં અને તેના મનોગતને પકડી લે નહીં, તેણે તેનું ભાષાંતર ન કરવું જોઈએ. ભાષાંતર કરવામાં જુદી જુદી જાતનો વિવેક રાખવો જોઈએ. કેટલાંક પુસ્તકોનું અક્ષરશઃ ભાષાંતર કરવું આવશ્યક ગણાય, કેટલાંકનો માત્ર સાર આપી દેવો બસ ગણાય તો કેટલાંક પુસ્તકોનાં ભાષાંતર સ્વ સમાજને સમજાય એ રીતે વેશાંતર કરીને જ આપવાં જોઈએ. કેટલાંક પુસ્તકો તે ભાષાના ઉત્કૃષ્ટ હોવા છતાં પોતાનો સમાજ અતિશય જુદા પ્રકારનો હોવાથી તેના ભાષાંતરની સ્વભાષામાં જરૂર જ ન હોય; અને કેટલાંક પુસ્તકોના અક્ષરશઃ ભાષાંતર ઉપરાંત સારરૂપ ભાષાંતરની પણ જરૂર ગણાય.  – મોહનદાસ ક. ગાંધી


માતૃભાષા નું મહત્વ – ગાંધીજી 8

(બળવંતરાય ક. ઠાકોરનો એક અંગ્રેજી પત્ર ગાંધીજીને મળેલો, તેના જવાબમાં ગાંધીજીએ તારીખ ૨૪-૦૭-૧૯૧૮ એ લખ્યું) જ્યારે આપણી પાર્લામેન્ટ થશે ત્યારે ફોજદારી કાયદામાં એક કલમ દાખલ કરવાની હિલચાલ કરવી પડશે એમ હું જોઉં છું. બંને હિંદુસ્તાની એક જ ભાષા જાણતા હોવા છતાં એક માણસ બીજાને અંગ્રેજીમાં લખે, અથવા બીજા સાથે તે ભાષામાં બોલે તેને ઓછામાં ઓછી છ માસની સખત મજૂરી સાથે સજા કરવામાં આવે. આવી કલમ વિશે તમારો અભિપ્રાય જણાવશોજી. અને સ્વરાજ મળ્યું નથી તે દરમિયાન જે ગુનો કરે તેને સારૂ શો ઈલાજ લેવો ઘટે તે પણ જણાવશો. મો. ક. ગાંધી


રામ રાખે ત્યમ રહીયે – મીરાંબાઈ (શાળાની પ્રાર્થનાઓ) 6

રામ રાખે ત્યમ રહીયે, ઓધવજી, રામ રાખે ત્યમ રહીયે આપણે ચીઠ્ઠીના ચાકર છૈયે….ઓધવજી કોઈ દિન પહેરીયે હીરનાં ચીર, તો કોઈ દિન સાદાં ફરીયે કોઈ દિન ભોજન શીરો ને પૂરી તો કોઈ દિન ભૂખ્યાં રહીયે….ઓધવજી કોઈ દિન રહેવાને બાગ બગીચા તો કોઈ દિન જંગલ રહીયે કોઈ દિન સૂવાને ગાદી તકીયા તો કોઈ દિન ભોંય પર સૂઈએ….ઓધવજી બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, તો સુખદુઃખ સર્વે સહિયે…. ઓધવજી  – મીરાંબાઈ


જ્યારે મેં પ્રભુ પાસે માંગ્યું – સ્વામી વિવેકાનંદ 16

જ્યારે મેં પ્રભુ પાસે શક્તિ માંગી તેણે મને સામનો કરવા મુશ્કેલીઓ આપી જ્યારે મેં પ્રભુ પાસે ચતુરાઈ અને બુધ્ધિ માંગી તેણે મને જીવનના અજીબોગરીબ કોયડા ઉકેલવા આપ્યા જ્યારે મેં પ્રભુ પાસે ખુશીઓ માંગી તેણે મને અન્ય દુઃખી લોકો બતાવ્યા પ્રભુ પાસે જ્યારે મેં અઢળક સંપત્તિ માંગી તેણે મને સખત મહેનત કરવાના રસ્તા બતાવ્યા પ્રભુ પાસે જ્યારે મેં આશિર્વાદ માંગ્યા તેણે મને મહેનત કરી તકો મેળવતા શીખવ્યું પ્રભુ પાસે મેં મનની શાંતિ માંગી તેણે મને મુસીબતમાં આવેલાની મદદ કરતા શીખવ્યું. પ્રભુ એ મને જે જોઈતું હતું એ કાંઈ ન આપ્યું તેણે મને એ બધુંય આપ્યું જેની મને જરૂર હતી. – સ્વામી વિવેકાનંદ


કહી રહ્યો છું – જીગ્નેશ અધ્યારૂ 6

સૂકી આંખો, છૂપા મર્મને, કળવા મથી રહ્યો છું, શું તે મુજને પ્રેમ કરે? ખુદને પૂછી રહ્યો છું. શ્વાસે શ્વાસે, આજ અંતરે, તુજને ભરી રહ્યો છું, વધી રહ્યો છું તારામાં ને, ખુદમાં ઘટી રહ્યો છું. તને પામવા, સ્વ ભૂલીને આગળ વધી રહ્યો છું, સપ્તપદીના સાતે વચનો, મનમાં રટી રહ્યો છું. તારી આંખે આ જીવનના, સ્વપ્ન સેવી રહ્યો છું મારા થાઓ ફક્ત આટલી વાત હું કહી રહ્યો છું. – – જીગ્નેશ અધ્યારૂ (લખ્યા તારીખ ૧ સપ્ટેમ્બર ૨૦૦૮)


પાપા, આ ચું ચે? – જીગ્નેશ અધ્યારૂ 18

હું ઓફીસથી આવીને ડ્રોઈંગ રૂમમાં ટીવી જોતો હતો, અને મારી પત્ની રસોડામાં રસોઈ કરી રહી હતી. મારી દોઢ વર્ષની દીકરી તેના રમકડાં સાથે રમી રહી હતી. હું ટીવી પર કોઈક સારો કાર્યક્રમ શોધવાની પેરવીમાં હતો કે અચાનક મારી પુત્રી મને પૂછી બેઠી, “પાપા આ શું છે?” હું અવાચક થઈ ગયો. અમે તેને શીખવતા હતા કે આને હાથ કહેવાય, આને પગ કહેવાય, કે હાર્દીની આંખો ક્યાં છે ને હાર્દીના કાન ક્યાં છે, વગેરે વગેરે અને તે અમને ઈશારાથી જવાબ આપતી. પણ આમ તેના મોઢે પહેલી વાર આવો પ્રશ્ન સાંભળ્યો, મારી પત્ની ખુશ થતી રસોડામાં થી ત્યાં આવી ઉભી અને ખેલ જોઈ રહી. મેં તેને જવાબ આપ્યો, “બેટા એને હાથ કહેવાય”. ફરી તે જ પ્રશ્ન, “પાપા આ શું છે?” અને મેં ફરી એ જ જવાબ આપ્યો “આ હાથ છે.” મને તેના હાવભાવ જોવાની મજા આવવા લાગી. તેને કદાચ સંતોષ નહીં થયો હોય એટલે તેણે પાછું ફેરવ્યું “પાપા, આને હાથ કહેવાય?” એને એમ કે આમાં એવુ તો શું છે કે આને હાથ કહેવો પડે? ડોકીને ઉંચી નીચી કરી, ઝાટકો મારી આવા પ્રશ્નો પૂછવાની તેની આવડત પહેલી વાર જોઈ રહેલા અમે તેના જવાબો આપવા તત્પર હતા. “હા આને હાથ કહેવાય……” થોડા સમય પછી ફરી “પપ્પા આ શું છે?”, મેં જવાબ આપ્યો “આને રીમોટ કહેવાય”, તો તે ફરી પૂછે “મીમોટ કહેવાય?” “હા દીકરા” મેં કહ્યું. જમતી વખતે “પપ્પા આ શું છે?” “બેટા આ રોટલી કહેવાય” “રોતલી?” “હા રોટલી” તેની મમ્મી એ જવાબ આપ્યો. અને તેને ખવડાવવાનો પ્રયત્ન પાછો શરૂ કર્યો. એકવાર મકોડાને પકડીને પૂછે “પપ્પા આ શું છે?” તેની મમ્મી તેને ખીજાઈ ને કહે “ફેંકી દે […]


અંત નો આરંભ – હેમ્બર્ગ ૧૯૪૩

ક્યારેક શનિવારની મોડી રાત્રે કે રવિવારે સવારે મિસિ મને ઉઠાડતી. તે ઉપરના માળ પરથી બૂમો પાડતી  “તને સંભળાતુ નથી? જલ્દી કેમ ઉભો થતો નથી?” હું માંડ માંડ સુતો હોઉં….ફક્ત જ્યારે હવા ની દિશા તમારી તરફ હોય તો તમે દૂરના ગામડાઓ પર થયેલા હુમલાના લીધે વાગતા સાયરન સાંભળી શકો., પણ આ સિવાય, ઘણા સમયથી અમે આવા સાયરન વાગે તો ય પથારીમાં પડ્યા રહેવા ટેવાઈ ગયા હતા, અને ત્યાં સુધી ઉભા ન થતા જ્યાં સુધી એન્ટી એરક્રાફ્ટ ફાયર સૂચવે કે ખરેખર આપણા પર હુમલો થયો છે. આ આદતે હજારોનો ભોગ લીધો હશે… હું આવો ચીડાયેલો જવાબ જ આપવાનો હતો અને પડખું ફરવા જ જતો હતો કે જ્યારે મેં આવો અવાજ સાંભળ્યો, હું પથારી માં થી ઉભો થઈ ગયો, કહો કે કૂદી પડ્યો અને ખુલ્લા પગે દોડ્યો. જો કે આ સંજોગોમાં ફસાયેલા બધાને ખબર હતી કે ન ઉપર, ન નીચે, આનાથી બચવાનો કોઈ રસ્તો નથી….હું તેનો તાગ લેવા મથી રહ્યો. ઉતર પશ્વિમમાં એલ્બ ગામની બંને તરફના પહાડો શાંત ઉભા હતા, આકાશમાં પાતળી પ્રકાશ રેખા એક ગયેલા દિવસની ઝાંખી કરાવતી હતી, પહાડો પણ જાણે કે શ્વાસ રોકીને ઉભા હતા. બહુ દૂર નહીં એવી એક સર્ચલાઈટ હવામાં પ્રકાશના શેરડા રેલાવી રહી હતી, હુકમો છૂટ્યા અને સર્ચલાઈટ પૃથ્વી છોડીને આકાશમાં ભમવા લાગી, ક્યારેક તેના પ્રકાશનો શેરડો આવી જ કોઈક બીજા પ્રકાશને મળતો અને આકાશમાં સરસ ભૌમિતિક આકૃતિઓ રચાતી, અને વિખેરાઈ જતી. જાણે કે સ્વર્ગ અને પૃથ્વી વચ્ચેનો અવકાશ તેમનો પ્રકાશ ગળી જતો હોય તેમ તે સાવ અન્યમનસ્ક પણે ફર્યા કરતી, અજાણ્યા અંધારા ને ઉલેચતી એક સર્ચલાઈટ. વાતાવરણ એવું ભારે થઈ ગયું કે આવામાં જાણે કે કોઈ શ્વાસ […]


દુખી થવું છે?….આ રહ્યા રસ્તા – ચંદ્રકાંત કાજી 10

તમારી જ વાત કર્યા કરો તમારો જ વિચાર કર્યા કરો ‘કદર’ ‘કદર’ ઝંખ્યા કરો કોઈ તમારી ઉપેક્ષા કરે તો બળ્યા કરો કોઈનો ય વિશ્વાસ ન કરો તમારી ફરજમાં થી છટકતા રહો ‘હું’ શબ્દનો મહત્તમ ઉપયોગ કરો બીજા માટે બને એટલું ઓછું કરો તમારી મહેરબાની બદલ કોઈ આભાર ન માને તો સમસ્યા કરો દરેક બાબતમાં તમારો જ કક્કો ઘૂંટ્યા કરો (આના પરથી સુખી થવાના રસ્તા શોધવાની છૂટ છે)  – ચંદ્રકાંત કાજી