વૈવિધ્યસભર સાહિત્યનો રસથાળ

1
અમદાવાદમાં અમારા પુસ્તકવિમોચન પ્રસંગે જાણીતા આરજે દેવકીએ ચંદ્રકાન્તભાઈ શાહના સ્મરણમાં એમના અદના ચાહક તરીકે આ કાવ્યનું પઠન કર્યું હતું. પ્રસ્તુત છે એ કાવ્ય અને એના પઠનનો વિડીયો.

ધોવા નાખેલા જીન્સનું ગીત – ચંદ્રકાન્ત શાહ; પઠન RJ દેવકી


picturesque scenery of blooming sakura growing near tall broadcasting tower under blue sky 1
જપાનમાં ૪-૫ ખાનગી કંપનીઓ રેલવે ચલાવે છે. રેલવેસ્ટેશન પર તેમની અલગ—અલગ વ્યવસ્થા હોય અને ક્યાંક તો ત્રણ-ચાર માળનું રેલવેસ્ટેશન હોય! ટોક્યો રેલવેસ્ટેશનની આગળ ખુલ્લું મેદાન છે, મુંબઈના વી.ટી. સ્ટેશનની યાદ અપાવે તેટલી ભીડ છે, છતાં ક્યાંય ધક્કામુક્કી કે અવ્યવસ્થા નથી.

પ્રાચીન અને અર્વાચીન ટોક્યો – દર્શા કિકાણી





ટ્વિટર બોટ એ વિશેષ કામ માટે બનવાયેલો નાનકડો સોફ્ટવેર પ્રોગ્રામ છે.. તમે એ ટ્વિટર હેન્ડલને ટેગ કરો તો એ તમને અપેક્ષિત કામ કરી આપે છે. જાણીએ એવા જ કેટલાક ઉપયોગી બોટ્સ વિશે!

ટ્વિટરના કેટલાક ઉપયોગી બોટ્સ – જિજ્ઞેશ અધ્યારૂ


3
જીજાજીના પિતા કશુંક મોટા અવાજે બોલી રહ્યા હતા. હું એ તરફ ગયો ત્યાં નંદિની દોડતી બહાર આવતી દેખાઈ. “પ્લીઝ, બંટી... તું ત્યાં ન જઈશ, અમારા એ ફૈબા છે જ કજીયાળા... તમે લોકો એની વાત ન સાંભળશો.

જોજો પાંપણ ના ભીંજાય.. – કમલેશ જોષી



2
ઇતિહાસવિદો અને પુરાતત્ત્વવિદો એવું માને છે કે ઇ.સ. પૂર્વે ૧૮૦૦ માં ધોળાવીરાનો વિનાશ થયો હશે, જેનું કારણ મહાભયાનક ધરતીકંપ હોઈ શકે અથવા સતત પડતો દુષ્કાળ પણ હોઈ શકે.

ધોળાવીરા : એક અવર્ણનીય અનુભવ (ભાગ ૨) – અમી દોશી


ચોરસ આકારમાં વિસ્તરેલું, ૧૨૦ એકરમાં ફેલાયેલું, રહસ્યમય નગર તરીકે ઓળખાતું આ શહેર એટલે ધોળાવીરા. તેનું સ્થાનિક નામ છે 'કોટડા ટિંબા'. ધોળાવીરાનો અર્થ થાય છે 'સફેદ કૂવો'

ધોળાવીરા : એક અવર્ણનીય અનુભવ – અમી દોશી


મહાશિવરાત્રી પાપમુક્તિનો, શિવભક્તિનો દિવસ છે. અજાણતાં પણ શિવરાત્રી વ્રતથી શિવકૃપા મળે છે એમ શિવપુરાણમાં આ કથા દ્વારા કહેવાયું છે.

પારધી અને સત્યવચની હરણાંની કથા : તર્કથી અર્ક સુધી.. – જિજ્ઞેશ અધ્યારુ



મહારાજ નવલકથા સૌરભ શાહ અક્ષરનાદ પુસ્તક સમીક્ષા 4
છત્રીસ પ્રકરણમાં ફેલાયેલી આ દીર્ઘ નવલકથા ખૂબ સરળ રીતે લખાયેલી છે. તે સમયનાં ઘણાં તળપદી શબ્દો અને તે સમયની કોર્ટની કાર્યવાહીમાં વપરાતાં શબ્દોથી આ નવલકથાનું વાતાવરણ જીવંત બની જાય છે.

સૌરભ શાહના ‘મહારાજ’ પુસ્તકનો પરિચય – રિપલ પરીખ


2
કર્ણના જીવનની અધૂરપને પૂર્ણ કરનારી, એના વિષાદનું શમન કરનારી, એની પીડા, અપમાન, ક્રોધ અને શોકના દરેક પ્રસંગે પડછાયો બનીને ઉભી હતી એની પત્ની વૃષાલી.

સૂતપુત્રી, કર્ણપત્ની, અંગરાજ્ઞી વૃષાલીની ગાથા : પ્રવેશ


દક્ષિણ-આફ્રિકાના-સત્યાગ્રહનો-ઇતિહાસ-ગાંધીજી-પુસ્તક-પરિચય
પૃથ્વી સત્યના બળ પર ટકેલ છે. અસત્ - અસત્ય - એટલે 'નથી', સત્ - સત્ય - એટલે 'છે'. અસત્ને જ્યાં હસ્તી જ નથી ત્યાં તેની સફળતા શી હોય? અને 'છે' તેનો નાશ કોણ કરી શકનાર છે? આટલામાં સત્યાગ્રહનું આખું શાસ્ત્ર છે.

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ – પુસ્તક પરિચય



આપણે સૌ હાલમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દિ ઉજવી રહ્યાં છીએ! અસંખ્ય લોકોના જીવન પર તેમની સામાજિક-આધ્યાત્મિક અને સેવાકીય પ્રવૃતિઓનો પ્રભાવ પડ્યો છે. મૃદુભાષી અને સદાય પ્રસન્નચિત્ત રહેતાં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું વ્યક્તિત્ત્વ તદ્દન સરળ, સાત્વિક અને સંવેદનાસભર હોવાને કારણે તેમના શબ્દોની જાદુઈ અસર થતી.

બીજાનાં સુખમાં આપણું સુખ.. – પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની જન્મશતાબ્દિ વિશેષ


5
આર્ટિફિશિઅલ ઇન્ટેલિજન્સ (AI) સુવિધાઓ અદ્વુત કામ આવી રહી છે. આ સુવિધાઓ રોજિંદા જીવનમાં સમય માંગી લેતા અને ખર્ચાળ કામ સાવ સરળતાથી નિઃશુલ્ક કરી આપે છે જેથી આપણો સમય વધુ રચનાત્મક અને આનંદપ્રદ કામમાં વાપરી શકીએ. પ્રસ્તુત છે એવી કેટલીક ખૂબ ઉપયોગી વેબસાઈટ્સ. #ChatGPT #Lexica #AI #Tools #Gujarati #ContentWriting

ગજબ કામ કરતી આર્ટિફિશિઅલ ઇન્ટેલિજન્સ (AI) સુવિધાઓ


2
કલ્પના કરો કે જો તમને તમારા જ ઘરમાં - દેશમાં એવું કહેવામાં આવે કે, 'ધર્માંતરણ કરો, મૃત્યુ પામો અથવા ભાગી જાવ.' તો તમને કેવું લાગે? તમે એવું જ પૂછો કે, 'મારો ધર્મ હું કેવી રીતે છોડી શકું? મારો ધર્મ જ મારું ગુમાન છે. જો હું ધર્માંતરણ ન કરું તો તેઓ મને શા માટે મારી નાખે? મારો ગુનો શું?' #Kashmir #KashmiriPandits #TheKashmirFiles

અમારું રક્તરંજિત વતન – રાહુલ પંડિતા; પરિચય – રિપલકુમાર પરીખ



“જોષીભાઈ છે?” બહાર કોઈ કડક અવાજે પૂછી રહ્યું હતું. ચકુ પાણીના ગ્લાસ મૂકવા ઉભી જ થઈ હતી. “હું જોઉં છું." એ બોલી. ચકુ ઉતાવળે પાછી આવી. એની આંખોમાં ગભરાટ હતો. “કોઈ પોલીસવાળા આવ્યા છે.”

કંકુ છાંટીને લખજો કંકોત્રી.. – કમલેશ જોષી


Useful Android Applications 2
આ લેખમાં પેઇડ એપ્લિકેશન તદ્દન નિઃશુલ્ક મેળવવા, રસપ્રદ ગેમ, ગૂગલ મેપ્સને ટક્કર આપતી ભારતીય સુવિધા, મોબાઇલનો વપરાશ ધટાડવા અને આયુર્વેદિક ચિકિત્સા માટે ઉપયોગી અને રસપ્રદ એપ્લિકેશનની વાત મૂકાઈ છે.

ઉપયોગી એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ – ભાગ ૬




woman in yellow long sleeves carrying blue yoga mat 2
સવાર સવારમાં ચાલવા જાવ ત્યારે ખાસ ધ્યાનમાં રાખો કે ચાલવા પર જ ધ્યાન રાખો. આપણે સીધી લીટીમાં જ ચાલવાનું છે, ક્યાંય આડી લાઈને ચડવાનું નથી. એટલે કે રૈખિક ગતિમાં ચાલવુ, એમાં કોઈ જાતની પ્રગતિ કરવાની નથી. તમારી આગળ ભલે પ્રગતિ રુમઝુમ રુમઝુમ ચાલી જતી હોય પણ તમારે તેને 'ઝૂમ' કરીને જોવાની નથી.

શિયાળાની વહેલી સવારે ચાલવું… – નટવર પંડયા


man wearing pink suit jacket holding using tablet computer 4
કોઈ કહેતું હતું, "મારો આ ચોથો ઇન્ટરવ્યૂ છે." કોઈ કહે "હું તો ખાલી ટાઇમપાસ કરવા આવ્યો છું, મારી તો માર્કેટમાં દુકાન છે." કોઈ બોલ્યું, "પચાસ હજાર રૂપિયા ભાવ ચાલે છે."

અજીબ દાસ્તાં હૈ યે.. – કમલેશ જોષી


શ્રી પુરુષોત્તમ સોલંકીએ લખેલું પ્રસ્તુત પુસ્તક ‘લોકમાતાઓ’ નવદુર્ગાનાં પ્રાચીન નામ, દેવીઓની નામાવલી, સર્વકલ્યાણકારી દેવીની ઉત્પત્તિ, ચમત્કારિક પરચા, પ્રત્યેક દેવીના સ્થાનકનું ભૌગોલિક-ઐતિહાસિક વર્ણન અને કથાઓ, દેવીઓની સાવળો, ગરબા અને દોહરાનો પરિચય કરાવે છે.

લોકમાતાઓ: પુરુષોત્તમ સોલંકી, પુસ્તકસમીપે – અંકુર બેંકર 



red and white volkswagen van 14
"શું હું ભેંસ છું? એમ કરો, ગાડી તમે ચલાવો, હું ઉતરી જઊં." ડ્રાઇવર ગાડી રસ્તાની વચ્ચોવચ ઊભી રાખી હેઠે ઉતરી ગયો. પાછળ ટ્રાફિક જામ થવા માંડ્યો. બહાર હોર્નનો ઘોંઘાટ વધ્યો અને ગાડીની અંદર માનુનીઓનો.

સરગમ સહેલી સંઘ… – સુષમા શેઠ


7
અશ્વિની ભટ્ટની કે હરકિશન મહેતાની વાર્તાઓની જેમ આપણી વારતાનો અંત આવે એ આપણને પણ ગમતું નથી. એ સુખકર, રસપ્રદ ભ્રમણાઓ છે જેમાં રહેવાનું આપણને ગમે છે..

તો વારતા પતી જશે.. – વિરલ દેસાઈ






4
કઈ રીતે વિદેશી એજન્સીએ ભારતના કેટલાક ઇન્ટેલિજન્સ ઑફિસર્સને ખરીદી લીધાં હશે અને ઇસરો જાસૂસી કાંડ ઘડી કાઢ્યો હશે જેથી ભારતનો સ્પેસ રિસર્ચનો આખો કાર્યક્રમ તોડી પડાય.

રોકેટ્રી : એક રાષ્ટ્રવાદી વૈજ્ઞાનિકનો ન્યાય માટેનો સંઘર્ષ…



4
પુસ્તક 'શબ્દનાં સગાં' ફક્ત ગુજરાતી સાહિત્યકારોના જીવનચિત્રો અને સંસ્મરણોનું ભાથું જ નથી, એમાં છે એક આખી પેઢીના સાહિત્યકારો વચ્ચેના સંબંધોનો ધબકાર!

શબ્દનાં સગાં (૩૮ સાહિત્યકારોનાં સંસ્મરણો) – રજનીકુમાર પંડ્યા


5
એવી માન્યતા છે કે ઋગ્વેદમાં મુખ્ય સ્તુતિ અને જ્ઞાન, યજુર્વેદમાં કર્મ, સામવેદ માં ઉપાસના અને અથર્વવેદમાં જીવન વિજ્ઞાનનું નિરૂપણ છે.

સામવેદ વિશે… – શ્રદ્ધા ભટ્ટ