વાંચનને તદ્દન સરળ અને મૂળભૂત બનાવવાનો અક્ષરનાદનો એક પ્રયત્ન - કૃતિની નીચે "સરળ અને સગવડભર્યુ વાંચન" કડી પર ક્લિક કરીને અનુભવો મૂળભૂત 'વાંચન'

નવી પ્રસ્તુતિ...


  • જેને વાગ્યા શબદના બાણ રે… રવિ સાહેબ

    પ્રેમ એટલે ઈશ્વર અને ઈશ્વરનો આવિર્ભાવ એટલે પ્રેમ. પ્રેમ એ માનવજાતને પરમેશ્વરની પરમ ભેટ છે. પ્રેમ દુનિયાને જીવવાલાયક બનાવે છે. પરમાત્મા તરફ જેમ જેમ પ્રેમ વધે તેમ તેમ મન શુદ્ધ થાય – પવિત્ર થાય છે અને શુદ્ધ પ્રેમમાં વીંધાયેલુ મન જાણે પરમેશ્વરનો સાક્ષાત્કાર કરે છે. દુન્યવી પ્રેમમાં જો અદભુત શક્તિ હોય તો પ્રભુ પ્રત્યેના પ્રેમમાં કેટલી શક્તિ હોઈ શકે? રવિસાહેબ જેવા મર્મજ્ઞોના વચનો શબ્દોના બાણ છે. એ બાણ અધિકારી જીવને જ વાગે છે. અને એ બાણ વાગે પછી હૈયું વીંધાતા, પ્રભુના રંગે રંગાતા વાર નથી લાગતી. રવિસાહેબ ઉપરોક્ત ભજનમાં પ્રીત થઈ હોય, ગુરુના વચનો રૂપી બાણ જેના મર્મસ્થાને વાગ્યા હોય એવાની સ્થિતિ વર્ણવે છે. તેઓ કહે છે કે ગુરુની કૃપાથી સાચી દીક્ષા મળી અને પ્રભુપ્રેમના વચનોથી – શબ્દોથી મારુ મન વીંધાઈ ગયું. આ પ્રેમની વાત જ ન્યારી છે. જેના પતિ પરદેશ ગયા છે એવી પતિવ્રતા નારીને વિરહની જ્વાળા કેવી દઝાડે! માછલી અને પાણી, દિપક અને પતંગીયું – એ બધાં સાચી પ્રીતના પ્રમાણ છે – એક વિના બીજું જીવી શકે જ નહીં. ગુરુ મળ્યા અને તેમના શબ્દે મારા અંતરમનમાં રહેલા અંધકારને વીંધીને સાચો પ્રકાશ – જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો એમ તેઓ અહીં કહે છે.

  • બે ગાંધી રચનાઓ – ધવલ સોની

    અક્ષરનાદના સર્વે વાચકોને પ્રજાસત્તાક દિવસની અનેક શુભકામનાઓ. દેશના આગવા આ બે તહેવારો અવસર આપે છે ધર્મ, જાતિ, ભાષા, પ્રદેશ જેવા ભેદોથી પર એક રાષ્ટ્ર તરીકે તેની સિદ્ધિઓ અને આગવી લોકતાંત્રિક પદ્ધતિ પર ગર્વ કરવાની, તેની રક્ષા માટે કટિબદ્ધ થવાની. આજે ૨૬મી જાન્યુઆરીએ પ્રસ્તુત છે અક્ષરનાદના વાચક મિત્ર શ્રી ધવલભાઈ સોની રચિત બે ‘ગાંધી’ રચનાઓ. પ્રથમ પદ્ય રચના ગાંધી નામના ઉપયોગ દુરુપયોગ અને તેમના સિદ્ધાંતોના ખુલ્લેઆમ ઉડાવાઈ રહેલા મજાક વિશે કહે છે, જ્યારે બીજી રચના ગાંધીજીના સ્વમુખે તેમની છબી જ્યાં જ્યાં મૂકાઈ છે એ સ્થળોએ થઈ રહેલા દ્રોહના કાર્યો વિશે જણાવે છે. નેતાઓ, કાળુ નાણું, કૌભાંડો, મોંઘવારી અને દેશદ્રોહ જેવી વાતો અહીં સંકળાઈ છે.

  • ઈશ્વરનું સરનામું આપું… – હાર્દિક યાજ્ઞિક (Audiocast)

    અક્ષરનાદના એક આગવા સહયોગી, લેખક કવિ, મખમલી અવાજના માલિક અને ખરા અર્થમાં કળા અથવા સાહિત્ય કહી શકાય તેવા અનેક ક્ષેત્રોમાં પ્રતિભા ધરાવતા મિત્ર શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિકનું એક ગીત આજે પ્રસ્તુત છે. ગીતને અવાજ આપ્યો છે ખ્યાતનામ ગાયક શ્રી જીતેન્દ્રભાઈ જોશીએ. ઈશ્વરને શોધતા માણસને સાચી દિશામાં આંગળી ચીંધવાનું પુણ્ય લેતા આ કાવ્યમાં હાર્દિકભાઈ સરળ રીતે ઈશ્વરના અસ્તિત્વ વિશેની માર્મિક વાત કહે છે. તેમની મોટાભાગની રચનાઓની જેમ સાચી સર્વધર્મસમાનતાની વાત અહીં તેઓ ચર્ચે છે. મંદિરો દુકાનો બની ગયા છે અને માણસ માણસને આભડછેટને લીધે ઉંચ નીચના ભાવોમાં અટવાય છે ત્યારે સાચા ઈશ્વરની શોધ કઈ રીતે કરી શકાય તે હાર્દિકભાઈ બતાવે છે. પ્રભુ તેમને પણ રચનાત્મકતારૂપી સાચા ઈશ્વરની સદાય સમીપ રાખે તેવી ઈચ્છા અને શુભકામનાઓ સાથે આજે તેમના જન્મદિવસે તેમનું જ આ ગીત તેમને સાદર.

  • મને મંતોલે તલ્લી રે તલ્લી (બાળવાર્તા) – ગિજુભાઈ બધેકા

    બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપતી અનેક બાળવાર્તાઓ ગિજુભાઈએ ગુજરાતી બાળકોને તેમની પોતાની ભાષામાં સાહિત્યવારસામાં આપી છે. આ વાર્તાઓનું એક સંકલન પુસ્તક ટૂંક સમયમાં અક્ષરનાદ પરથી પ્રસ્તુત થશે. આજે પ્રસ્તુત છે એ જ સંકલનમાંથી એક સુંદર અને ખડખડાટ હસાવતી તોતડી રાણીઓની વાર્તા, “મને મતોલે તલ્લી રે તલ્લી”.





  • ઑડીયો પ્રસ્તુતિ...
    અક્ષરનાદમાંના 'નાદ'ને સાર્થક કરતો, વિવિધરંગી ઑડીયો સમાવતો વિભાગ, જુઓ આ ઑડીયો વિભાગની સંપૂર્ણ સૂચી
    વિવિધ વિભાગો...

    કવિતા, ગઝલ, મુક્તકો, અછાંદસ રચનાઓ સાથે અન્ય બધાં પ્રકારની પદ્ય રચનાઓનો વિશાળ રસથાળ એટલે...પદ્ય વિભાગ
    સોરઠી સંસ્કૃતિનો પરિચય કરાવતા અને ગુજરાતના ગૌરવસમા ગીર જંગલમાં વિહરતા થયેલા અનુભવોનું સ્મરણ એટલે....પ્રવાસ વર્ણન વિભાગ
    ખડખડાટ હસવું હોય અથવા તો મનમાં મરકવું હોય, તો ઉજવો ગુજરાતી સાહિત્યની કેટલીક સુંદર હાસ્ય વ્યંગ રચનાઓનો મેળો એટલે હાસ્ય વ્યંગ્ય વિભાગ...
    બાળગીતો, હાલરડાં, બાળકાવ્યો, બાળવાર્તાઓ, જોડકણાં અને અન્ય વિવિધ પ્રકારના બાળસાહિત્યનો ગુલદસ્તો એટલે...બાળ સાહિત્ય વિભાગ