1984 કોમી રમખાણોની સ્મૃતિઓ – ભક્તિ કૌર, અનુ. વિનોદ મેઘાણી
વિકૃત માનસ કેટલું નુકસાન કરી શકે તેનાથી આપણને સતત ચેતતાં રાખવા માટે કેટલીક સ્મૃતિઓ ધબકતા ઝખ્મોની જેમ મગજમાં સદા સળવળતી રહેવી જ જોઈએ. શ્રી વિનોદ મેઘાણી દ્વારા અનુવાદિત અને સંપાદિત પુસ્તક “તેજોમયી” મૌખિક ઈતિહાસને લગતી કાર્યશિબિરોમાં રજૂ કરાયેલી મહિલાઓની કેફિયતો પર આધારિત વૃત્તાંતોનું ધ્રૃજાવી દેનારું સંકલન છે. એકે એક પાને, એકે એક શબ્દે આપણા સમાજે સ્ત્રિઓને આપેલા હ્રદયદ્રાવક ઝખ્મોનો ચિતાર તેમાં છે. ૧૯૮૪ માં દિલ્હીમાં થયેલા શિખ વિરોધી હુલ્લડો દરમ્યાન ઘણાં શીખ બાળકો અને પુરૂષોને રહેંસી નાખવામાં આવેલા. આવી નિર્મમતાનો, આવી અમાનવીય હીનતાનો દાખલો ઈતિહાસમાં જડવો મુશ્કેલ છે. આ ઘટના ભોગવનારા શ્રી ભક્તિ કૌરની જે કેફિયત એ પુસ્તકમાં આપેલી છે તેનો એક ભાગ અહીં લીધો છે. સમાજને એક સુઘડ અને સ્વસ્થ વ્યવસ્થાતંત્રથી ચલાવવા આવી અમાનવીય ઘટનાઓ ન સર્જાય એ જ સૌના હિતમાં છે એ આ વૃતાંત પરથી સ્પષ્ટ જોઈ શકાય છે.
ચિંતન કણિકાઓ – સંકલિત
ચિંતનકણિકાઓ મનનો મુખવાસ છે, એકાદ વાક્ય ક્યાંક વાંચવામાં આવ્યું હોય અને તે પછી સમયાંતરે મનમાં પડઘાયા કરે, દરેક વિચાર વખતે તેના વધુ ગહન અર્થો સમજાવે ત્યારે એ વિચારમોતીઓનું મૂલ્ય સમજાય છે. આજે પ્રસ્તુત છે કેટલાક સંકલિત આવાં જ વિચારમોતીઓ. ઈન્ટરનેટ પરથી વિવિધ માધ્યમો દ્વારા મળેલા આ સુ-વાક્યો અનુવાદ કરીને અહીં મૂક્યાં છે. એક એક કણિકા એક સાથે ન વાંચતા સમયાંતરે તેની મજા લેવામાં આવે તો વિચારરસ વધુ ઘેરો બનશે એ નિશ્ચિત છે.
એક ક્ષણને જીવવાને … – જીજ્ઞેશ અધ્યારૂ (ગઝલ)
હમણાં થોડાક વખત ઉપર એક વડીલના સંપર્કમાં આવેલો, વાત પરથી તેઓ દુઃખી જણાતા હતાં, કહે, “ભગવાને કાયમ અન્યાય જ કર્યે રાખ્યો, તેનામાં આસ્થા રાખનાર પર કાયમ તે કસોટીઓ અને પરીક્ષાઓના ડુંગર ખડક્યા જ કરે છે. તેના પરની શ્રદ્ધા કદી ડગી નથી, પરંતુ એનો પ્રત્યુત્તર તેણે કદી સાનુકૂળ આપ્યો નથી.” જો કે તેમના દુઃખો વ્યાજબી હતા, એમના પુત્રો તેમને મૂકવા કોઈ “વ્યવસ્થિત” વૃદ્ધાશ્રમ શોધતા હતાં. જો કે તેમની પાસે એટલી મિલ્કત છે કે તે પોતે એક આખોય વૃદ્ધાશ્રમ ખોલી અને પાલવી શકે, પણ એ મિલ્કત માટેના કારસાઓ પણ ચાલ્યા જ કરે છે. એમની વેદનાઓ અને શ્રધ્ધા વચ્ચે અથડાતી લાગણીઓને સ્વરૂપ આપવાનો આ ગઝલ એક નાનકડો પ્રયત્ન છે.
પરંપરાગત વિરુદ્ધ પ્રગતિશીલ કેળવણી – જોન ડ્યૂઈ, અનુ. નટવરલાલ બુચ
જોન ડ્યૂઈ છેલ્લા પોણોસો વર્ષોમાં કેળવણીના ક્ષેત્રમાં પ્રયોગો કરી તેમાંથી નવી પેઢીને સારી અને ઉપયોગી કેળવણી મળે તેવા પ્રયત્નો કરતા વિચારકોમાં મોખરે છે. તેમના નાના પણ ઘણાં ઉપયોગી પુસ્તક “Experience and Education” નો ગુજરાતીમાં અનુવાદ શ્રી નટવરલાલ બૂચ ગુજરાતીમાં “અનુભવ અને કેળવણી” અંતર્ગત કર્યો છે. આપણી સમજમાં કેળવણી શબ્દનો સ્પષ્ટ અર્થ શું થાય? જોન ડ્યૂઈ કહે છે, “કેળવણીનું વસ્તુ તે ભૂતકાળમાં તૈયાર થયેલ માહિતિના જથ્થા અને આવડતોનું બનેલ છે; તેથી શાળાનું મુખ્ય કામ આ બન્નેને નવી પેઢીને પહોંચાડવાનું છે.” પ્રસ્તુત લેખ જે પુસ્તક “અનુભવ અને કેળવણી” માંથી લેવામાં આવ્યો છે તેમાં લેખક પરંપરાપ્રાપ્ત અને પ્રગતિશીલ એ બંને કેળવણી પ્રવાહોનું પૃથક્કરણ કરે છે. મૂલતઃ અમેરિકન શિક્ષણશાસ્ત્ર અને વ્યવસ્થા ઉપર આધારિત આ પુસ્તક આપણી શિક્ષણવ્યવસ્થાને એથીય વધુ લાગુ પડે છે. અહીં એક એવી શિક્ષણ વ્યવસ્થાનું સ્વરૂપ વિચારાયું છે જે નકારાત્મક નહીં, વિધેયાત્મક રચના અને કેળવણી પર આધારિત હોય. પ્રસ્તુત લેખ આ પુસ્તકના પ્રથમ પ્રકરણ માંથી લેવામાં આવ્યો છે.
|
કવિતા, ગઝલ, મુક્તકો, અછાંદસ રચનાઓ સાથે અન્ય બધાં પ્રકારની પદ્ય રચનાઓનો વિશાળ રસથાળ એટલે...પદ્ય વિભાગ | ||
| સોરઠી સંસ્કૃતિનો પરિચય કરાવતા અને ગુજરાતના ગૌરવસમા ગીર જંગલમાં વિહરતા થયેલા અનુભવોનું સ્મરણ એટલે....પ્રવાસ વર્ણન વિભાગ | ![]() |
||
![]() |
ખડખડાટ હસવું હોય અથવા તો મનમાં મરકવું હોય, તો ઉજવો ગુજરાતી સાહિત્યની કેટલીક સુંદર હાસ્ય વ્યંગ રચનાઓનો મેળો એટલે હાસ્ય વ્યંગ્ય વિભાગ... | ||
| બાળગીતો, હાલરડાં, બાળકાવ્યો, બાળવાર્તાઓ, જોડકણાં અને અન્ય વિવિધ પ્રકારના બાળસાહિત્યનો ગુલદસ્તો એટલે...બાળ સાહિત્ય વિભાગ | ![]() |
||






Thanks Wordpress
આપના પ્રતિભાવો