સાહિત્યકાર મુજબ સંગ્રહ... : પ્રવીણ ઠક્કર


ભોળાભાઈ પટેલ અને ‘ચિલિકા’નું વર્ણન – પ્રવીણભાઈ ઠક્કર

આપણી ભાષાના એક આગવા સર્જક, નિબંધકાર, વિવેચક અને અનુવાદક એવા શ્રી ભોળાભાઈ પટેલનું ગત અઠવાડીયે નિધન થયું, તેમના અનેક સર્જનોમાં વિદિશા (૧૯૮૦) એ તેમનો પ્રવાસનિબંધોનો આગવો સંગ્રહ. આ પુસ્તકનું મુખ્ય ક્લેવર પ્રવાસ નિબંધોનું છે. ‘વિદિશા’, ‘ભૂવનેશ્વર’, ‘માંડું’, ‘ઈમ્ફાલ’, ‘જેસલમેર’, ‘ચિલિકા’, ‘બ્રહ્મા’, ‘ખજુરાહો’, ‘કાશી’, ‘રામેશ્વરમ્’- એમ દસ સ્થળોનાં પ્રવાસ ઉપરાંત લેખકે પોતાના ગામનું ભ્રમણ પણ અહીં વર્ણવ્યું છે. વર્ણનોમાં અનેરુ તત્વ છે જે ચિત્રને આંખો સામે ખડું કરી દે છે. તેમના વર્ણનોમાં સૂક્ષ્મતા અને સૌંદર્ય ભારોભાર છે. તેમાંથી ચિલિકા’ ના વર્ણન અંગેની વાત શ્રી પ્રવીણભાઈ ઠક્કરે અહીં કરી છે. સદગતના આત્માને ઈશ્વર શાંતિ અર્પે એ પ્રાર્થના સાથે આવો તેમને શબ્દરૂપી શ્રદ્ધા સુમન અર્પીએ.


દેશ માટે બળતરા અને ચચરાટ… – પ્રવીણ ઠક્કર 6

કવિવર રવિન્દ્રનાથ ટાગોરે ઇશ્વરને સંબોધીને પ્રાર્થના કરી છે. પ્રાર્થના કોઇ અંગત સ્વાર્થ માટેની નથી. ભારત દેશ કેવો હોવો જોઇએ; તે માટે તેમના મનમાં એક ચિત્ર છે, દેશ માટે દિલમાં અરમાન છે. દેશ માટે ગૌરવ હોવાની વાત છે. પોતાનો દેશ પોતાને ગમે તેવો તો હોવો જોઇને? માતૃભૂમિ પ્રત્યેના અનેરા પ્રેમે કરીને આ મહર્ષિએ ઇશ્વર સમક્ષ માંગણી કરી છે. દેશ વિશે કવિવરને જે અપેક્ષા છે; તેની પ્રાર્થના પ્રયોજીને મહર્ષિએ ઇશ્વરને તે સંભળાવી છે. દુનિયાએ તે પ્રાર્થનાને કવિતા તરીકે ઓળખી છે. ક્યાં આ આશા અને સોનેરી સ્વપ્ન !! પરંતુ આજે વાસ્તવિક સ્થિતિ…. થોડુંક મનોમંથન કરાવતી અને ચચરાટ ઠાલવતી પ્રવીણભાઈની કલમે વિચારધારા.


મૃત્યુ, થોભી જા બે ઘડી – પ્રવીણભાઈ ઠક્કર 5

મૃત્‍યુને જીવનમાં ફેરવી દઉં   જીંદગીએ કરી નરી બેવફાઇ,   હે મૃત્યુ સાચી સમજ તું તો દેજે,   નફરત ને ધિક્કારને   પ્રેમમાં પલટાવવાની રીત તો દેજે.   કંઇક શબ્‍દોના વ્‍યર્થ પૃથ્થકરણે   જીવનના સંબંધો બગાડ્યા,   હે મૃત્‍યુ, તું તો સુધારી દે,   આપી અભય વરદાન એ શાશ્વત સ્‍નેહનું   પરીક્ષાની આગલી રાત્રિએ જ   ગણિતના અઘરા કોયડા ઉકલ્‍યા,   તેમ મૃત્યુએ તેના છેલ્લા પ્રકરણમાં   સ્‍નેહના પગરણ માંડ્યા   જીંદગી ફરી મળે તો,   પ્‍યાર વહાવી દઉં અફાટ અવકાશમાં   ધિક્કારના અવકાશને સ્‍નેહથી ભરી દઉં,   આપ ઘડી બે ઘડી, હે મૃત્‍યુ,     હે મૃત્‍યુ થોડું તો થોભી જા,   તું તો ના કર બેવફાઇ,   તું ક્યાં જીંદગી છે?   હે મૃત્‍યુ, તને વ્‍હાલ કરી લઉં   નફરતને પ્‍યારમાં ફેરવી દઉં,   મૃત્‍યુને જીવનમાં ફેરવી દઉં.   *********************   ઈશ્વર પ્રવેશે છે,   સ્નેહના આ સાગરમાં   અમારા દીપ પ્રગટી ઉઠ્યા.   શ્રધ્ધાના અમારા દીવડાઓમાંથી   નીકળતા કિરણોમાં જોયું તો   અહમના વજનથી મુક્ત એવા અમે   આયાસ વિના જ તરી રહ્યા હતા   એક આનંદ સાગરમાં   આનંદ સાગરના આ નવા અનુભવથી   રોમાંચિત થયું રોમે રોમ   અને હ્રદયતલમાંથી ઉભરી રહેલા આનંદ સાથે   વૃક્ષો રસ્તાઓ અને ગગન સાગર અને સર્વે   મંદ મંદ મુસ્કુરાતા લાગ્યા   એ સઘળામાંથી પ્રાપ્ત શાંતિના વિશ્વમાં   અભિન્ન લાગ્યા   દીપક કિરણો શ્રધ્ધા સ્નેહ સાગર અને સઘળા કદાચ એ જ દ્વાર છે   જ્યાંથી ઈશ્વર પ્રવેશે છે    – પી. યુ. ઠક્કર   ( પ્રવીણભાઈ ઠક્કરનો જ્યારે પ્રથમ વખત આ અઠવાડીયા માં લેખ આપવા માટે સંપર્ક કર્યો ત્યારે તેમણે એ શંકા […]