સાહિત્યકાર મુજબ સંગ્રહ... : જલન માતરી


ત્રણ ગઝલો – જલન માતરી 9

કેટલીક સદાબહાર ગઝલો, કોઈક ગઝલના શે’ર સમયની સાથે સાથે કહેવતોનું, લોકોક્તિઓનું સ્વરૂપ લઈ લે એટલા સચોટ અને મર્મવેધી હોય છે. આપણી ભાષાના આવા જ કેટલાક નમૂનેદાર શે’ર આપણને શ્રી જલન માતરી પાસેથી મળ્યા છે. શ્રી ચિનુ મોદી અને શ્રી કૈલાસ પંડિત દ્વારા સંપાદિત શ્રી જલન માતરીનો ‘સુખનવર શ્રેણી’ (૧૯૯૧) એ ગઝલસંગ્રહ આવી ગઝલોનો ભંડાર છે. એ જ સંગ્રહમાંથી આજે ત્રણ સુંદર ગઝલો પ્રસ્તુત છે.


વેળાસર જતા રહીએ – જલન માતરી 5

મૃત્યુ એ કદી અવગણી ન શકાય એવી હકીકત છે. મૃત્યુને ઘણાં સહજતાથી સ્વીકારે છે, ઘણાં તેનાથી ડરે છે, ઘણાં તેને ઉમંગથી આવકારે છે. મૃત્યુના વિવિધ રસ્તાઓ છે અને ફક્ત એક મંઝિલ છે. પ્રસ્તુત ગઝલમાં શ્રી જલન માતરી સાહેબ મૃત્યુને સહજતાથી, આવકારે છે, પરંતુ એ મૃત્યુના સમયે મનમાં સર્જાતી ભાવનાઓને વાચા આપી રહ્યા છે. વેળાસર જતા રહેવાની તેમની આ વાત ખૂબ સરળ પણ ગહન છે.