સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ગિજુભાઈ બધેકા


આપણાં બાળકોની ખાતર.. – ગિજુભાઈ બધેકા 4

ગુજરાત પર શ્રી ગિજુભાઈ બધેકાનું અમિટ ઋણ છે, વીસમી સદીની ત્રીશીના દાયકા અગા ઉના અને એ પછીના શિક્ષણમાં / અધ્યાપનમાં ક્રાંતિકારી પરિવર્તન છે. અને તેને માટે વધારેમાં વધારે યશ ગિજુભાઈને જાય છે. અગા ઉના ‘સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે રમઝમ’ના હિંસક શિક્ષણ સિદ્ધાંતને સ્થાને બાળકને પ્રેમ, સ્નેહ, સમજાવટ, સહાનુભૂતિ, હળવાશ, રસમયતા અને સંવેદનશીલતા સાથે ભણાવવાના આગ્રહો કેળવાયા તેના માટેનો પાયાનો પરિશ્રમ ગિજુભાઈએ કર્યો હતો. ગિજુભાઈએ જેવા શિક્ષકની, શાળાની અને સાહિત્યની ભાવના સેવી હતી એવું સર્વત્ર બનેલું હજુ જોઈ શકાતું નથી. ઘણી ઘણી ઊણપો છે. આ માટે શિક્ષકની નિષ્ઠાને જ નહીં, કદાચ વાતાવરણ, સાધનો અને સત્તાનીય ઊણપો જવાબદાર હશે, પરંતુ આપણે પ્રયત્ન જારી રાખવા રહ્યાં. પુસ્તક ‘માબાપોને..’ આગવું પુસ્તક છે અને વિશ્વમાં ભાગ્યે જ બાળકોના પક્ષે માબાપોને માટે આવું લખાયું હશે. અહીં ગિજુભાઈએ બાળકોની વકીલાત કરી છે, તેમના સુખ માટેના પ્રયત્નો કરવાની ટહેલ, તેમને સમજવાને માટે યાચના કરી છે. આપણાં બાળકોને ખાતર આપણે શું કરવું જોઈએ એ સમજાવવાનો નિષ્ઠાપૂર્વકનો અને સંવેદનશીલ પ્રયાસ છે. આશા છે વાચકમિત્રોને આવી અનોખી કૃતિઓ માણવાનું ગમશે.


બાળવાર્તાઓ – ગિજુભાઈ બધેકા (ઈ-પુસ્તક ડાઉનલોડ) 7

બાળવાર્તાઓ બાળકોને ભાવવિશ્વની અનોખી સફરે લઈ જાય છે, કલ્પનાના વિશ્વમાં લટાર કરાવે છે, પક્ષીઓ, પ્રાણીઓ અને અન્ય પાત્રોના માધ્યમ દ્વારા તેમને જીવનની ગળથૂથી પીવડાવવામાં આવે છે. ગુજરાતી ભાષાના માધ્યમથી બાળકોને એ ભાવવિશ્વનું સરનામું ચીંધ્યુ છે ગિજુભાઈ બધેકાએ, એ ગુજરાતી બાળકોની મૂછાળી માં છે. પ્રસ્તુત સંકલન લોકમિલાપ દ્વારા પ્રકાશિત તેમની વાર્તાઓના સંકલન રોજેરોજનું વાંચન માંથી લેવામાં આવ્યું છે. તેમની પચીસેક બાળવાર્તાઓ અત્રે મૂકી છે, આશા છે ઈ-પુસ્તક સ્વરૂપે ગુજરાતી બાળસાહિત્યમાં થયેલા નગણ્ય યોગદાનને અહીંથી એક નવી શરૂઆત મળી રહેશે.


મને મંતોલે તલ્લી રે તલ્લી (બાળવાર્તા) – ગિજુભાઈ બધેકા 5

બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપતી અનેક બાળવાર્તાઓ ગિજુભાઈએ ગુજરાતી બાળકોને તેમની પોતાની ભાષામાં સાહિત્યવારસામાં આપી છે. આ વાર્તાઓનું એક સંકલન પુસ્તક ટૂંક સમયમાં અક્ષરનાદ પરથી પ્રસ્તુત થશે. આજે પ્રસ્તુત છે એ જ સંકલનમાંથી એક સુંદર અને ખડખડાટ હસાવતી તોતડી રાણીઓની વાર્તા, “મને મતોલે તલ્લી રે તલ્લી”.


ત્રણ બાળવાર્તાઓ – ગિજુભાઈ બધેકા 6

નાનપણમાં બાળવાર્તાઓની અને જોડકણાઓની નાનકડી પુસ્તિકાઓનો એક સેટ મને કોઈએ આપેલો. કોણે આપ્યો હતો એ તો યાદ નથી, પણ એ જોડકણા અને વાર્તાઓ આજે પણ હજી યાદ આવે ને આનંદ આનંદ થઈ જાય છે. આજે એવી જ સરસ ત્રણ વાર્તાઓ મૂકી છે. ખડબડ ખડબડ ખોદત હૈ… એક બ્રાહ્મણની અને તેના નસીબની વાત છે, બીજી – અકબર બિરબલની, બીરબલની ચતુરાઈની વાત છે તો ત્રીજી ઠાકોર અને રંગલાની ધમાકેદાર હાસ્યવાતચીત છે. ત્રણેય વાર્તાઓ ગિજુભાઈની – મૂછાળી માંની ગુજરાતના બાળકોને ભેટ છે. બાળપણથી વધુ આપણને કયો સમય વહાલો હોય? આજે એ સમયમાં એક નાનકડી ડૂબકી મારીએ.


બાળકનું ઘરમાં સ્થાન કયું? – ગિજુભાઈ બધેકા 7

આપણે ઇચ્છીએ છીએ કે જેવાં આપણે છીએ તેવાં બાળકો થાય. આપણે પોતે જ ઠરાવી દીધું છે કે બાળકો માટે આપણો આદર્શ પૂરતો છે. આપણાથી ઉચ્ચ વૃત્તિનાં ને શક્તિનાં બાળકો થઈ શકે એ ખ્યાલ આપણામાં છે? દુનિયા આગળ વધે છે કે પાછળ જાય છે? બાળવિચારને આપણા હદયમાં કેટલું સ્થાન છે? આપણે કહીએ છીએ કે એનાથી એ ન બને; આપણે માનીએ છીએ કે એનામાં વ્યવસ્થા કરવાની શક્તિ જ નથી. પણ આપણને આંખ જ ક્યાં છે? અજ્ઞાન ઘોર અંધારું આપણી ફરતું ફરી વળ્યું છે. એના ઉપરના વિશ્વાસથી એને કોઇવાર આપણને તક આપી છે? બાળકો વિશેના આવા જ વિચારો સાથે આંખો ખોલી નાંખે તેવા તથ્યો સાથે ગિજુભાઈ બધેકાના આ લેખને આજે ‘મા બાપોને’ એ પુસ્તકમાંથી અહીં લીધો છે.


પુસ્તકાલય એટલે મહાશાળા – ગિજુભાઈ બધેકા 1

આપણા દેહને ટકાવવા અને તેનો ઉપયોગ કરવા દરરોજ તેને અન્ન આપીએ છીએ તે જ રીતે આપણાં ચિત્તને વાચન રૂપે રોજ પોષણ આપવાની જરૂર છે. અને આ વાંચનક્ષુધા છીપાવવાની પરબો એટલે પુસ્તકાલયો, પુસ્તકાલયોનું મહત્વ આપણે ત્યાં હજી જોઈએ એટલું સમજાયું નથી. ગિજુભાઈ પ્રસ્તુત લેખમાં એ છતું કરે છે. ગુજરાત ઉપર સ્વ. ગિજુભાઈ બધેકાનું અમીટ ઋણ છે. વીસમી સદીના ત્રીશીના દાયકા અગાઊના અને એ પછીના શિક્ષણ અને અધ્યાપનની પધ્ધતિઓમાં ક્રાંતિકારી પરિવર્તનનો બધો યશ તેમને ફાળે જાય છે. આ યુગપરિવર્તનકારી ફેરફારો સાથે, એના વિશે એમને ઘણું લખવાનું થયું છે, એમના લખાણો સચોટ અને ઉપદેશોથી દૂર, સમજ આપનારા બની રહ્યાં છે. એમનાથી સ્થળ કાળથી દૂર અનેકોને તેનો લાભ મળ્યા કરે છે એ ખૂબ મહત્વની વાત છે. વાંચે ગુજરાત અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આ લેખ પ્રસ્તુત બની રહેશે એમાં કોઈ શંકા નથી.