સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ડો. નિરંજન રાજ્યગુરુ


જેસલ જાડેજા અને સતી તોરલની કથા – ઝવેરચંદ મેઘાણી (Audiocast) ભાગ ૨ 6

પરંપરિત કથાઓ અને લોકવાણીના સંશોધન અને લોકજીવનની પરાક્રમગાથાઓ આલેખવા સૌરાષ્ટ્રની આખીય ભોમકા અગણિતવાર ખૂંદી વળનાર શ્રી ઝવેરચંદ મેઘાણી એક વખત મછવામાં એવા જ કોઈક કામે નીકળ્યા છે, આવી એક અંધારી માઝમ રાતે સામતભાઈની સાથે તેઓ સંત સાંસતિયા, સતી તોરલ અને જેસલ જાડેજાની વાત માંડે છે. સૌરાષ્ટ્રના લોકજીવન પર આધારિત ‘પુરાતન જ્યોત’ પુસ્તકમાંથી જેસલ તોરલ કથાનું ‘સોરઠ સરવાણી સંપુટ’ હેઠળ થયેલું બિનધંધાદારી ઑડીયો રેકોર્ડીંગ આજે પ્રસ્તુત છે, કથાકાર છે સંતસાહિત્યના મર્મજ્ઞ અને વિદ્વાન શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ, સાથે ભજનસુરો છે પુષ્પા છાયા, નેહા ત્રિવેદી અને બ્રિજેન ત્રિવેદીના.


જેસલ જાડેજા અને સતી તોરલની કથા – ઝવેરચંદ મેઘાણી (Audiocast) ભાગ ૧ 10

પરંપરિત કથાઓ અને લોકવાણીના સંશોધન અને લોકજીવનની પરાક્રમગાથાઓ આલેખવા સૌરાષ્ટ્રની આખીય ભોમકા અગણિતવાર ખૂંદી વળનાર શ્રી ઝવેરચંદ મેઘાણી એક વખત મછવામાં એવા જ કોઈક કામે નીકળ્યા છે, આવી એક અંધારી માઝમ રાતે સામતભાઈની સાથે તેઓ સંત સાંસતિયા, સતી તોરલ અને જેસલ જાડેજાની વાત માંડે છે. સૌરાષ્ટ્રના લોકજીવન પર આધારિત ‘પુરાતન જ્યોત’ પુસ્તકમાંથી જેસલ તોરલ કથાનું ‘સોરઠ સરવાણી સંપુટ’ હેઠળ થયેલું બિનધંધાદારી ઑડીયો રેકોર્ડીંગ આજે પ્રસ્તુત છે, કથાકાર છે સંતસાહિત્યના મર્મજ્ઞ અને વિદ્વાન શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ, સાથે ભજનસુરો છે પુષ્પા છાયા, નેહા ત્રિવેદી અને બ્રિજેન ત્રિવેદીના.


બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના અને મહાપંથી સંતોની વાણી – ડૉ. નિરંજન રાજ્યગુરૂ (ઈ પુસ્તક ડાઉનલોડ) 1

પ્રસ્તુત – હાલ અપ્રાપ્ય પુસ્તક ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રાપ્ત થયેલ સંશોધન ફેલોશીપ અન્વયે તૈયાર થયેલ સંશોધન ગ્રંથ છે, જેમાં કંઠસ્થ પરંપરામાં જળવાયેલા‚ ક્ષેત્રકાર્ય દ્વારા ધ્વનિ મુદ્રણ સ્વરૂપે પ્રાપ્ત કરેલા‚ ગૂઢ સાધનો સાથે સંકળાયેલા ગુપ્ત મંત્રો‚ વિધિ વિધાનો અને ભજનવાણી વિશે સંશોધન કરવામાં આવ્યું છે. આજ સુધી કશે પ્રકાશિત ન થયેલું આ ગુપ્ત સાહિત્ય પ્રથમવાર સંપાદિત થયું છે. અક્ષરનાદના ડાઊનલોડ વિભાગમાં ઉપલબ્ધ કરાવવા માટે આ પુસ્તક મોકલવા બદલ શ્રી ડૉ. નિરંજનભાઈ રાજ્યગુરૂનો ખૂબ ખૂબ આભાર.


ગુજરાતી લોકસંગીત : થોડું ચિંતન થોડી ચિંતા – ડૉ. નિરંજન રાજ્યગુરુ 2

લોકસંગીતના, લોકસાહિત્યના અભ્યાસુ અને મર્મજ્ઞ એવા ડૉ. શ્રી નિરંજનભાઈ રાજ્યગુરુ પ્રસ્તુત ચિંતનલેખમાં ગુજરાતી લોકસંગીત વિશે પોતાના વિચારો અભિવ્યક્ત કરે છે. લોકસંગીતના ઉદભવ અને વિશેષતાઓ દર્શાવવા સાથે પ્રસ્તુત સમયમાં ગુજરાતી લોકગીત-સંગીતના થઈ રહેલા હ્રાસ સામે તેઓ લાલબત્તી ધરે છે. આપણી આ આગવી ધરોહરને સંકલન – સંમાર્જન – સંપાદન અને તેમાં સંશોધન કરી શકાય અને તેની પૂર્ણપણે મૂળ સ્વરૂપમાં જાળવણી કરી શકાય તે માટે નિરંજનભાઈ સતત કાર્યરત છે, એ માટેની તેમની ચિંતા પણ પ્રસ્તુત લેખમાં દેખાઈ આવે છે.


ગુજરાતી ઈ-પુસ્તકના ક્ષેત્રમાં નવી પહેલ 8

ગુજરાતી ઈ-પુસ્તક પ્રકાશનના ક્ષેત્રમાં એક નવી શરૂઆત થઈ રહી છે ત્યારે આજે આપની સાથે હમણાં જ ઉપલબ્ધ થયેલી અને સતત વિકાસ પામવા તત્પર એવી એક સરસ સુવિધા વિશે જાણકારી વહેંચવા ઈચ્છું છું. આશા છે ગુજરાતી ઈ-પુસ્તકોનો આ નવો ખજાનો આપ સૌને ઉપયોગી થશે અને આપણી સંસ્કૃતિ – સંત પરંપરાને વધુ સારી રીતે સમજવામાં મદદરૂપ થશે.


ગુજરાતી (ઇન્ટરનેટ) સાહિત્ય વિશે એક દ્રષ્ટિકોણ – ડૉ. નિરંજન રાજ્યગુરૂ 4

શબ્દસૃષ્ટિ સામયિકનો ડિસેમ્બર ૨૦૧૦નો અંક વાંચી રહ્યો હતો ત્યારે તેના છેલ્લા થોડાંક પૃષ્ઠો પર ‘સંવાદ – વિવાદ’ ના વિભાગ તરફ નજર ગઈ. વાંચકો ને ભાવકોના પ્રતિભાવો – પ્રત્યાઘાતો દર્શાવતા આ વિભાગમાં પ્રસ્તુત અંકમાં દીપોત્સવી વિશેષાંક ‘પાંચ દાયકાનું પરિદર્શન’ ના લેખો વિશે અનેક પ્રતિભાવો વડે સમૃદ્ધ હતો. સાહિત્યના અનેક સ્વરૂપો અને તેની ક્ષમતાઓ વિશે ચર્ચા કરતો પ્રસ્તુત પ્રતિભાવ શ્રી નિરંજનભાઈ રાજ્યગુરૂનો છે. ઈન્ટરનેટના-ગુજરાતી બ્લોગ વેબસાઈટ જગતના સાહિત્ય વિશે પણ અહીં વાત કરાઈ છે. એ પ્રતિભાવ અહીં પ્રસ્તુત કર્યો છે.


આરાધ સ્વરૂપ દર્શન – નિરંજન રાજ્યગુરુ (સંતવાણી વિચારગોષ્ઠી ૨૦૧૦ – ભાગ ૫) 1

એક નવી શરૂઆતના આયામને ઉપસાવતી સંતવાણી વિશેની એક વિચારગોષ્ઠીનું આયોજન કારતક વદ બીજ, 23 નવેમ્બર 2010 ને મંગળવારે, સાંજે ૪ થી ૭ વાગ્યા દરમ્યાન તલગાજરડા, ચિત્રકૂટધામ ખાતે કરાયું હતું. ભજન વિશેની વિચારગોષ્ઠિમાં – ચર્ચામાં ત્રણ વિદ્વાનો ડૉ. નિરંજન રાજ્યગુરુ, ડૉ. નાથાલાલ ગોહિલ અને ભાણદેવજીના વિવિધ રસપ્રદ વિષયો પર વિચારો વ્યક્ત થયા તેનો એક અહેવાલ અહીં મૂકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એ અંતર્ગત આજે ડૉ. નિરંજન રાજ્યગુરુના ‘આરાધ સ્વરૂપ વિચાર’ એ વિષય પરના વિચારો અને સંશોધન પ્રસ્તુત છે.


આરાધ સ્વરૂપ દર્શન – નિરંજન રાજ્યગુરુ (સંતવાણી વિચારગોષ્ઠી ૨૦૧૦ – ભાગ ૪) 1

એક નવી શરૂઆતના આયામને ઉપસાવતી સંતવાણી વિશેની એક વિચારગોષ્ઠીનું આયોજન કારતક વદ બીજ, 23 નવેમ્બર 2010 ને મંગળવારે, સાંજે ૪ થી ૭ વાગ્યા દરમ્યાન તલગાજરડા, ચિત્રકૂટધામ ખાતે કરાયું હતું. ભજન વિશેની વિચારગોષ્ઠિમાં – ચર્ચામાં ત્રણ વિદ્વાનો ડૉ. નિરંજન રાજ્યગુરુ, ડૉ. નાથાલાલ ગોહિલ અને ભાણદેવજીના વિવિધ રસપ્રદ વિષયો પર વિચારો વ્યક્ત થયા તેનો એક અહેવાલ અહીં મૂકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એ અંતર્ગત આજે ડૉ. નિરંજન રાજ્યગુરુના ‘આરાધ સ્વરૂપ વિચાર’ એ વિષય પરના વિચારો અને સંશોધન પ્રસ્તુત છે.


પ્યાલો મેં પીધેલ છે ભરપૂર – દાસી જીવણ 2

જીવનના જ્ઞાનને, ગુરૂએ આપેલા પ્રેમરસને ભક્તકવિ અમૃત સાથે સરખાવતાં કહે છે કે તેમણે અમૃતનો પ્યાલો ભરપૂર પીધો છે. શરીરની માયા છૂટી ગઈ છે અને પ્રભુભક્તિનો રંગ લાગતાંજ તેમને રોમેરોમ નૂર પ્રગટ્યાં છે, સતગુરૂ તો બધાંયને સાનમાં જીવનનો સાચો મર્મ સમજાવતાં જ હોય છે, પરંતુ જે એ અર્થને પામી જાય છે, તેમની કૃપાથી, સાક્ષાત્કારથી સદાય જીવનમાં ભરપૂર રહે છે એમ અહીં કવિ વર્ણવે છે. શ્રી હેમંત ચૌહાણના કંઠે ઉપરોક્ત ભજન પ્રથમ વખત સાંભળ્યું હતું.


સંતત્વના બે સ્વરૂપો…. – ડો. નિરંજન રાજ્યગુરૂ 2

ડો. નિરંજન રાજ્યગુરૂ ગુજરાતી સંત સાહિત્યના અલગારી સારથી છે, અને તેમની પાસેનો સંત સાહિત્યના જ્ઞાન અને સાહિત્યનો અદભુત ખજાનો એ ક્ષેત્રના રસિકો માટે તેમણે ખૂબ ભાવથી, ખૂબ જવાબદારીથી જાળવ્યો અને ઉછેર્યો છે. તેમની રચનાઓમાં એક અગાધ વાણી સહજતાથી કહેવાની અનોખી પધ્ધતિ છે. સાચા સાધુ વિશેની તેમની પ્રસ્તુત રચના કદાચ ગીરના કોઈક અલગારી બાપુને ઉદેશીને લખાઈ હોય તો નવાઈ નહીઁ, ખૂબ સહજતાથી, સરળ રીતે એ કેટલું સરસ કહી જાય છે. તેમની હમણાં જ શરૂ થયેલી વેબસાઈટ આનંદ આશ્રમ પર પણ તેમના પરિચય અને પ્રવૃત્તિઓની જાણકારી સાથે તેમની ઘણી રચનાઓ માણી શકાય છે, હજી બની રહેલી આ વેબસાઈટ સંત સાહિત્યમાં સીમાચિહ્ન રૂપ બની રહે તે માટે તેમને ખૂબ શુભેચ્છાઓ….


આપણી કંઠસ્થ પરંપરાના ભજનો – નિરંજન રાજ્યગુરુ 4

પરંપરિત ભજનવાણીના સર્જકો – સંતો – ભક્તો – લોકકવિઓની વાણી આજે પણ ગામડાંના લોકભજનિકોની મંડળીઓમાં કંઠસ્થ પરંપરાથી જળવાઇને ગવાતી રહી છે. આ ભજનવાણીની પધ્ધતિ અને તેના અનુક્રમ વિશે બહુ ઓછા લોકોને ખબર છે. ડો. નિરંજનભાઇ રાજ્યગુરુના પુસ્તક “સતની સરવાણી” ની પ્રસ્તાવનામાંથી આજે જાણો પ્રાચીન ભજંનવાણી અને કંઠસ્થ પરંપરાના ભજનો વિશે પધ્ધતિસાર તથા ભજન સાહિત્ય વિશે અનન્ય સુંદર માહિતિ.