સાહિત્યકાર મુજબ સંગ્રહ... : લીરલબાઈ


ઘટમાં ચાંદો ને ઘટડામાં સૂરજ – લીરલબાઈ 1

પોરબંદર પાસેના બોખીરા ગામે વિક્રમની ચૌદમી સદીમાં લીરલબાઈ કે નીરલદેનો જન્મ થયો હોવાનું મનાય છે. લીરલબાઈએ ઉગમશી ગુરુ પાસે દીક્ષા લીધેલ. પ્રસ્તુત ભજનમાં શરીરની અંદર વસતા આતમતત્વને જ લીરલબાઈ સમગ્ર જીવનનો સાર બતાવે છે, જે કાંઈ પડ્યું છે તે માંહ્યલામાં જ છે અને એટલે જ જે શોધ કરવાની છે તે પણ અંતરમાં જ થવી જોઈએ એ અર્થનું આ ભજન ખૂબ જ માર્મિક છતાં લોકભોગ્ય છે.


નમીયા સો સાહેબકું ગમીયા.. – લીરલબાઈ 2

પોરબંદર પાસેના બોખીરા ગામે વિક્રમની ચૌદમી સદીમાં વીરાજી આંબાજી નામે પીઠવા શાખાના લુહાર રહેતા હતાં, એમને ત્યાં મીણલદેની કુખે લીરલબાઈ કે નીરલદે નામની દીકરીનો જન્મ થયો. પ્રસ્તુત ભજનમાં નમ્રતાનો મહિમા વ્યક્ત થતો હોય એવું ઉપરછલ્લું ચિત્ર, પણ તેના મૂળભૂત ભાવમાં ભક્તિ અને સમર્પણની વાત પડી છે. ધાર્મિક પાત્રોના ઉદાહરણો સાથે ખૂબ સુંદર એવા આ ભજનની રચના જેટલી સરળ દેખાય છે એટલી જ તેની અભિવ્યક્તિ ગહન છે