સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ધીરુબહેન પટેલ


કેવડિયાનો કાંટો – ધીરુબહેન પટેલ 4

દિવાળીની સાફસફાઈ કરતાં પુસ્તકો માટે એક કબાટ લેવામાં આવ્યું, તેમાં પુસ્તકો – સામયિકો વગેરે ગોઠવતા નવનીત સમર્પણનો નવેમ્બર ૨૦૦૬નો અંક હાથમાં આવ્યો. ધીરુબહેન પટેલની વાર્તા પુસ્તકોના ઢગલાની વચ્ચે બેસીને વાંચી અને આપણા અસ્તિત્વના, હોવાપણા અને નહીં હોવાપણા વચ્ચેની ભેદરેખાના સવાલને સ્પર્શવાનો પ્રયત્ન કરતી આ સુંદર વાત ગમી ગઈ. ધીરુબહેન પટેલના આગોતરા આભાર સાથે આજે પ્રસ્તુત છે એ વાર્તા…


રાઘવનના સહકાર્યકરો – ધીરુબહેન પટેલ 6

પ્રસ્તુત વાર્તામાં મદ્રાસથી મુંબઈ નોકરી કરવા આવેલો રાઘવન સહકાર્યકરોથી અતડો રહી, પોતાના કામમાં મશગૂલ રહેતો હતો. આ કારણે એ શેઠનો માનીતો બન્યો, પણ સહકાર્યકરોમાં અપ્રિય બન્યો. સૌની મજાક-મશ્કરીનું પાત્ર બન્યો. રાઘવનના અતડાપણા પાછળ ને કામના ઢસરડા પાછળ એની ગરીબાઈ, કૌટુંબિક જવાબદારી અને કૉલેજનો અભ્યાસ પૂરો કરવાનું ધ્યેય કારણભૂત છે, એવું સાથીઓને જ્યાં સુધી સમજાયું નહિ ત્યાં સુધી રાઘવન અને એના સહકાર્યકરો વચ્ચે ખેંચતાણ ચાલતી રહી. પણ રાઘવનની ગંભીર માંદગીના પ્રસંગે રાઘવનને તેનાં સાથી પ્રેમ અને સહાનુભૂતિનો તો એ સાથીઓને રાઘવનની ગરીબીમાં પણ ટકી રહેલી અભ્યાસની ધગશનો ખ્યાલ આવે છે. સમજણની આ ભૂમિકા બંધાયા પછી અંતર ઘટી જાય છે. હદયની એકતા સ્થપાય છે. આપણે જુદા જુદા પ્રાંતના રહેવાસીઓ હોઈએ તો પણ એક જ રાષ્ટ્રના નાગરિક છીએ એવો રાષ્ટ્રીય એકતાનો સંદેશ પણ વાર્તામાં રહેલો છે.