સાહિત્યકાર મુજબ સંગ્રહ... : જનક ઝીંઝુવાડિયા


વાચકોની પદ્યરચનાઓ – સંકલિત 4

વાચકમિત્રોની સંકલિત રચનાઓમાં આજે પ્રસ્તુત છે શ્રી મનુભાઈ દેસાઈની કૃતિ ‘વિશ્વબંધુત્વ’, શ્રી પી. કે. દાવડાની હાસ્ય પદ્યરચના એવી ‘ઈન્ટરનેટને આંગણે શ્રી ગિરધારી’ અને શ્રી જનકભાઈ ઝીંઝુવાડિયાની સચોટ ધારદાર રચના ‘ગુજરાત છે ભાઈ, અહીં રહો તો જ સમજાય…’ પદ્યરચનાઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ત્રણેય મિત્રોનો ખૂબ ખૂબ આભાર.


વાચકોની પદ્ય રચનાઓ – સંકલિત 2

આજે વાચકમિત્રો શ્રી જનકભાઈ ઝીંઝુવાડીયા, શ્રી રમેશભાઈ ચાંપાનેરી ‘રસમંજન’ અને શ્રી રાહુલભાઈ શાહની પદ્યરચનાઓ પ્રસ્તુત કરી છે. વાચકોને આવી કૃતિઓના સર્જનની પ્રેરણા મળે, કેટલાક સિદ્ધહસ્ત વાચકોના સર્જનો પણ નવલોહીયા રચનાકારોને પ્રેરણા આપે અને તેમના સર્જનો વધુ ને વધુ પ્રાણવાન અને સત્વશીલ બને એવી આશા સાથે ત્રણેય સર્જકોને અનેક શુભકામનાઓ અને અક્ષરનાદને આ કૃતિઓ પાઠવવા બદલ ખૂબ ખૂબ આભાર.


વાચકોની પદ્યરચનાઓ – સંકલિત 2

અક્ષરનાદનું એ સદભાગ્ય છે કે ઘણા વાચકમિત્રો તેમની કાવ્યસર્જનની યાત્રા અક્ષરનાદની સાથે કરી રહ્યા છે, ઘણા મિત્રો નિયમિતપણે તેમની પદ્યરચનાઓ અક્ષરનાદને પાઠવતા રહે છે. એ મિત્રોની રચનાઓ સતત પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરતો રહું છું, જે દર વખતે શક્ય થતું નથી. છતાંય સમયાંતરે એ રચનાઓ પ્રસ્તુત થવી જ જોઈએ એ ઇચ્છાને અનુસરીને આ કૃતિઓ ઘણી વાર મૂકાઈ છે અને આજે પણ મૂકી છે. એ સર્વે મિત્રોનો ખૂબ આભાર જેઓ અક્ષરનાદને નિયમિત તેમની રચનાઓ પાઠવવા યોગ્ય સમજે છે. કાવ્યસર્જનની પ્રક્રિયા સાથે સંકળાવા ઈચ્છતા દરેક રચનાકારને કોઈ માર્ગદર્શક કે ગુરુ મળતા નથી – અક્ષરનાદના માધ્યમથી આપ સર્વે સુજ્ઞ વાચકો આવા મિત્રોને આપના સાચા પ્રતિભાવ દ્વારા રસ્તો બતાવી શકો છો. આજે શ્રી કુસુમ પટેલ, શ્રી જનક ઝીંઝુવાડીયા, શ્રી રમેશભાઈ ચાંપાનેરી અને શ્રી વિજય જોશીની પદ્ય રચનાઓ પ્રસ્તુત છે.


વાચકોની કાવ્યરચનાઓ – સંકલિત 2

આજે જેમની રચનાઓ પ્રસ્તુત કરી છે એ ચારેય વાચકમિત્રોની રચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે. આજે તેમની નવી રચનાઓ પ્રસ્તુત છે. ધવલભાઈ સોની રચિત પ્રથમ રચના છે પ્રેમ અને સંવાદની, પ્રેમ હમેશા આપવાથી વધે છે, પણ જ્યાં પ્રેમ હોય ત્યાં ઝઘડા હોય જ…. મીઠા ઝઘડા પ્રેમ વધારે છે… પહેલી રચનાનું શીર્ષક ‘સંવાદ તો કર’ કહે છે તેમ તેમાં એક યુગલની, એક સંબંધની વાત કરી છે. એક જ છત નીચે રહેતા હોવા છતાં બંને વચ્ચે જે અંતર છે તે દૂર કરવાની વાત કરી છે. તો તેમની જ બીજી કવિતા ‘પંખી તડપતુ મળ્યું’ માં કવિએ જિંદગીનાં અંત સમયને વણી લીધો છે. ત્રીજી કવિતા શ્રી રમેશભાઈ ચાંપાનેરીની રચના છે જેમાં તેઓ સંબંધોમાં વિશ્વાસના વિષયને અનોખી રીતે સ્પર્શે છે. ચોથી રચનામાં જનકભાઈ ઝીંઝુવાડીયા શહેર અને ગામડાના જીવન વચ્ચેની સરખામણી અનોખી અને પ્રભાવશાળી રીતે કરે છે. તો અંતિમ રચનામાં વિજયભાઈ જોશી અનોખી રીતે આગવી વાત મૂકે છે. સર્વે વાચકમિત્રોની કલમને અનેક શુભકામનાઓ અને અક્ષરનાદને રચનાઓ પાઠવવા બદલ સર્વેનો ધન્યવાદ.


ત્રણ પદ્ય રચનાઓ – જનક ઝીંઝુવાડિયા 5

વાચકોની રચનાઓને યોગ્ય સ્થાન અને પ્રસિદ્ધિ અપાવવાનો અક્ષરનાદનો સદા પ્રયત્ન રહો છે. અક્ષરનાદના વાચક અને હવે મોટાભાગે સતત પોતાની કૃતિઓ પાઠવતા શ્રી જનકભાઈ ઝીઁઝુવાડિયાની ત્રણ કાવ્યરચનાઓ આજે અત્રે પ્રસ્તુત છે. આશા છે તેમના આ પ્રયત્નને વાચકમિત્રો વધાવશે. આ રચનાઓ અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી જનકભાઈનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


વાચકોની રચનાઓ – સંકલિત 9

આજે એક સાથે ચાર વાચકમિત્રો દ્વારા પાઠવવામાં આવેલી પાંચ રચનાઓ અત્રે પ્રસ્તુત કરી છે. વડોદરાના શ્રી કમલેશભાઈ વ્યાસનું સર્જન વતન મારું ઘવાયું છે’ દેશપ્રેમની ભાવનાઓનો અનોખો ચિતાર છે, શ્રી હસમુખભાઈ યાદવ દ્વારા રચિત ‘તે છે ગઝલ’ ચાર શે’રની સુંદર ગઝલ છે. જનકભાઈ ઝીંઝુવાડિયાની કાવ્યરચનાઓ આ પાહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે, તેમની બે નવી રચનાઓ આજે પ્રસ્તુત કરી છે અને અંતે શ્રી યોગેશભાઈ ચુડગર દ્વારા પાઠવવામાં આવેલ ધર્મ અને વિજ્ઞાન એ એક અનોખી સરખામણીઓની હારમાળા સર્જે છે. આમ આજે વિવિધરંગી સર્જનોની વાછટમાં વાચકોને મહાલવાનો અવસર મળશે.


ત્રણ કાવ્યરચનાઓ – સંકલિત 3

અક્ષરનાદના ત્રણ વાચકમિત્રો, શ્રી ધવલભાઈ સોની, શ્રી જનકભાઈ ઝીંઝુવાડિયા તથા શ્રી હર્ષદભાઈ દવેએ પાઠવેલી તેમની મૌલિક રચનાઓ આજે પ્રસ્તુત છે. ત્રણેય રચનાઓના વિષયોની વિવિધતા અને રચનાનું અનોખું ભાવવિશ્વ એ રચનાઓની વિશેષતા છે. ત્રણેય મિત્રો – વડીલોનો આ રચનાઓ પાઠવવા બદલ ખૂબ ખૂબ આભાર. તેમની કલમે આવી વધુ રચનાઓ મળતી રહે તેવી શુભેચ્છાઓ.


ત્રણ કાવ્ય રચનાઓ – જનક ઝીંઝુવાડિયા 1

અમદાવાદના રહેવાસી શ્રી જનકભાઈ હરિભાઈ ઝીંઝુવાડીયા વ્યવસાયે સિવિલ ઇજનેર છે. તેમની પ્રસ્તુત ત્રણ કાવ્ય રચનાઓ વિવિધ વિષયોને આવરી લઈને તેમણે કરેલા સુંદર સર્જનનું પ્રતીક છે. પ્રથમ કાવ્યમાં તેઓ પૃથ્વીની, ધરતીની કેટલીક વિશિષ્ટતાઓ વર્ણવી છે, બીજી કાવ્ય રચનામાં તેમણે હરીયાળી વિશે મનોહર વર્ણન કર્યું છે અને ત્રીજા કાવ્યમાં જીઁદગીની વિવિધ પરિસ્થિતિઓને આલેખવાનો સુંદર પ્રયાસ એમણે કર્યો છે. ત્રણેય કાવ્યરચનાઓ સુંદર થઈ છે એ બદલ શ્રી જનકભાઈને અભિનંદન અને તેમની કલમને અનેક શુભકામનાઓ. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


રક્ષાબંધન વિશેષ કાવ્યરચનાઓ – સંકલિત 1

અમદાવાદના રહેવાસી શ્રી જનકભાઈ હરિભાઈ ઝીંઝુવાડીયા વ્યવસાયે સિવિલ ઇજનેર છે. તેમની પ્રસ્તુત રચના રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે તેમની કલમે થયેલું સુંદર સર્જન છે શ્રીમતી ડિમ્પલ આશાપુરીની રચનાઓ આ પહેલા ઘણી વખત અક્ષરનાદ પર પ્રસ્તુત થતી રહી છે. આજે તેમની કલમે પ્રસ્તુત રચનાના માધ્યમથી તેઓ ભાઈને રક્ષાબંધનના કાવ્યમય મુબારક પાઠવે છે. બંને મિત્રોનો આ સુંદર રચનાઓ અક્ષરનાદને મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.