સાહિત્યકાર મુજબ સંગ્રહ... : અખંડ વ્યાસ


છાંયડી – અખંડ વ્યાસ

‘છાંયડી’ નો પરિચય આપતાં ક્યાંક આપણા સિદ્ધહસ્ત સાહિત્યકાર શ્રી ચિનુ મોદીએ લખ્યું છે, ‘મને છાંયડી અધ્યાપકીય કે સાક્ષરીય ઢબેછબે જાણીતી થયેલી નવલકથા સંજ્ઞાની વિભાવનાઓના તૈયાર બીબાંમાં ઢળે તેમ નથી લાગતી તેથી આ કૃતિને હું સ્વસ્વરૂપા કહું છું. અખંડ કલમઘસું વ્યવસાયિક કે ટેવ પડેલો લેખક નથી, અને એથી એ વહેવાર સિવાય પહેલી વાર ભાષા દ્વારા કળાનું કામ કરે છે.’ આ આખીય રચનામાં આધુનિકતા સાથે અખંડ શહેરનો અને તેની સામે સજ્જડ ઉભેલા એક ગ્રામ્ય પરિવેશનો અનોખો ચિતાર છે. ઘટનાઓ, વ્યક્તિઓ, લાગણીઓ, અનોખા પરિવેશ અને અનેકવિધ અભિવ્યક્તિઓનો આ એક અનોખો મહાસાગર છે. અને તેની સફર એક સુખદ ઘટના બની રહે છે. આ કૃતિમાંથી આજે એક નાનકડો અંશ અત્રે પ્રસ્તુત કર્યો છે.


શહેરમાં વસતો માણસ અને માણસમાં વસતું નગર – અખંડ વ્યાસ 16

અખંડ વ્યાસના બે સુંદર પુસ્તકો ‘છાંયડી’ તથા ‘શહેરમાં વસતો માણસ અને માણસમાં વસતું નગર’નું વિમોચન રવિવાર તા. ૨૬ ડિસેમ્બરે અમદાવાદ ખાતે કરવામાં આવ્યું. શ્રી ચિનુભાઈ મોદી, શ્રી ના હસ્તે પુસ્તકનું વિમોચન થયું આ પ્રસંગે ત્રણેય મહાનુભાવોએ ભાવકોને પુસ્તકનો રસાસ્વાદ તથા વિવિધ પાસાઓનું આલેખન કર્યું. આ સુંદર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટેના આમંત્રણ તથા પુસ્તકો બદલ શ્રી અખંડ વ્યાસ અને શ્રીમતિ બિનીતા વ્યાસનો ખૂબ ખૂબ આભાર. કલાકૃતિઓ જેવા સાદ્યાંત સુંદર બંને પુસ્તકોની અપાર સફળતા માટે ખૂબ શુભકામનાઓ.