સાહિત્યકાર મુજબ સંગ્રહ... : મનસુખલાલ ઝવેરી


અપાઈ મુજથી ગયું… – મનસુખલાલ ઝવેરી 3

એક નાનકડી ક્ષણમાંજ કવિહ્રદયને મળેલી અનુભૂતિની સુંદર વાત પ્રસ્તુત સોનેટ બખૂબી વર્ણવે છે. લાખો લોકો મહેનતના જોરે – મજૂરી દ્વારા પોતાના પેટની ભૂખ ભાંગવાનો પ્રયત્ન કરે છે અને ઘણાંય તે છતાં સફળ થતાં નથી, જ્યારે સામે પક્ષે ભિખારીઓ સમાજ માટે ભારરૂપ છે – વગર મહેનતે પ્રાપ્ત કરવાની લાલસા તેમને આવું કાર્ય કરાવે છે. એટલે કવિ ભિખારીની દયા ખાતા નથી, તેના વિકારને – આળસને તેઓ પોષવા માંગતા નથી. પણ ભિખારણની કાંખમાં બેઠેલ પેલા નિર્દોષ અબૂધ બાળકની સામે તેમનાથી જોવાઈ જાય છે ત્યારે એ બાળકે આપેલા નિર્ભેળ સ્મિતે તેઓ પીગળી જાય છે – અને ભીખ ન આપવી હોવા છતાં અપાઈ જાય છે એ અર્થનું સુંદર કાવ્ય કવિએ સર્જ્યું છે.


અને શબમાં સંજીવની પ્રકટી – મનસુખલાલ ઝવેરી 1

શ્રી કાકા કાલેલકરે કહ્યું છે કે માણસજાતને માણસાઈની દીક્ષા આપનાર ઋષિમુનિઓ અને પયગમ્બરોની પરંપરાના ગાંધીજીએ પોતાના જીવન દ્વારા માણસજાતની એવી તે સેવા કરી, એટલી પ્રેરણા, શ્રધ્ધા અને દીક્ષા આપી છે કે તે જીવનમાં ઉતારતાં, વિસ્તારતાં અને આત્મસાત કરતાં હજાર વરસનો પુરૂષાર્થ માણસજાતે વાપરવાનો રહેશે. ગાંધીજી વિશે ઘણુંય લખાયું છે, લખાય છે અને લખાતું રહેશે. ગાંધીજી વિશેના આવા સુંદર લખાણોને વીણી વીણીને સંકલન કરનાર શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીના ગાંધી-ગંગા એ નામના બંને પુસ્તકો ખૂબ હોંશથી વંચાય છે, વહેંચાય છે, તેમાંથી પ્રસ્તુત રચના લીધી છે. ગાંધીજીએ જાણે કે ભારતના શબવતજનોમાં સંજીવની પ્રગટાવી, શ્રધ્ધા અને આત્મવિશ્વાસનું સિંચન કર્યું, અને તેમની દોરવણી હેઠળ આખાય દેશને સ્વરાજ્યનો એક માર્ગ મળ્યો અને જ્યારે વિદેશથી પાછા ફરી ગાંધીજીએ ભારતની ભૂમી પર પગ મૂક્યો હતો એ દિવસે ભારતમાં સૂરજ ઉગેલો એ મતલબની પ્રસ્તુત રચના ખૂબ મનનીય છે.