<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>Aksharnaad.com &#187; ધર્મ અધ્યાત્મ</title>
	<atom:link href="http://aksharnaad.com/category/gujarati-religious-literature-dharma-and-adhyatm/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>http://aksharnaad.com</link>
	<description>અંતરની અનુભૂતીનો અ-ક્ષર ધ્વનિ</description>
	<lastBuildDate>Tue, 07 Sep 2010 18:31:54 +0000</lastBuildDate>
	<language>en</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.org/?v=3.0</generator>
		<item>
		<title>બાણશૈય્યા પર ભીષ્મ – યુધિષ્ઠિર સંવાદ – નાનાલાલ ભટ્ટ</title>
		<link>http://aksharnaad.com/2010/08/25/yudhisthir-bhishm-talk/</link>
		<comments>http://aksharnaad.com/2010/08/25/yudhisthir-bhishm-talk/#comments</comments>
		<pubDate>Tue, 24 Aug 2010 18:31:56 +0000</pubDate>
		<dc:creator>AksharNaad.com</dc:creator>
				<category><![CDATA[ધર્મ અધ્યાત્મ]]></category>
		<category><![CDATA[વિચારોનું વન]]></category>
		<category><![CDATA[નાનાલાલ ભટ્ટ]]></category>

		<guid isPermaLink="false">http://aksharnaad.com/?p=7152</guid>
		<description><![CDATA[મહાભારતના પાત્રો શ્રી નાનાલાલ ભટ્ટનું અમર સર્જન છે. આ કૃતિના ત્રીજા ભાગમાં બાણશૈય્યા પર પોઢેલા ભીષ્મ પિતામહ અને તેમની પાસેથી ધર્મની વિવિધ વાતો વિશેનું જ્ઞાન લેવા આવેલા યુધિષ્ઠિર વચ્ચેનો સુંદર ગહન સંવાદ પ્રસ્તુત થયેલો છે. આ સંવાદનો એક નાનકડો ભાગ અહીં લેવામાં આવ્યો છે. એક રાજાના માનવ ધર્મ વિશેની વાતો, વર્ણ વ્યવસ્થા અને ધર્મ સાથે પ્રભુપ્રાપ્તિની રીતો તથા આશ્રમવ્યવસ્થા વિશે વિશદ વાતો આ સંવાદના માધ્યમથી અભિવ્યક્ત થઈ છે. જો કે સમયની સાથે તેના અર્થ તારવવામાં ભેદ હોઈ શકે, પરંતુ તેનો તાત્વિક અર્થ સમાન જ રહે છે. આજના સમયમાં પણ તેની ઉપયોગીતા પ્રસ્તુત છે.]]></description>
		<wfw:commentRss>http://aksharnaad.com/2010/08/25/yudhisthir-bhishm-talk/feed/</wfw:commentRss>
		<slash:comments>1</slash:comments>
		</item>
		<item>
		<title>મારું વિલ અને વારસો – પં. શ્રીરામ શર્મા આચાર્ય (પુસ્તક ડાઉનલોડ)</title>
		<link>http://aksharnaad.com/2010/07/26/maru-vil-ane-varso-by-shriram-sharma-acharya/</link>
		<comments>http://aksharnaad.com/2010/07/26/maru-vil-ane-varso-by-shriram-sharma-acharya/#comments</comments>
		<pubDate>Sun, 25 Jul 2010 18:31:43 +0000</pubDate>
		<dc:creator>AksharNaad.com</dc:creator>
				<category><![CDATA[જીવન દર્શન]]></category>
		<category><![CDATA[ધર્મ અધ્યાત્મ]]></category>
		<category><![CDATA[ડાઉનલોડ]]></category>
		<category><![CDATA[પં. શ્રીરામ શર્મા આચાર્ય]]></category>

		<guid isPermaLink="false">http://aksharnaad.com/?p=6862</guid>
		<description><![CDATA[આચાર્ય શ્રીરામ શર્માની જીવન સાધનાનું બસો પાનાનું આ પુસ્તક પંદર વર્ષની ઉમ્મરથી ૭૫ વર્ષની ઉમ્મરે ૫હોંચ્યા ત્યાં સુધી સત્યની શોધ માટેની સાધકના પુરુષાર્થની એક વાસ્તવદર્શી અનુભવ કથા છે. આ બધા વર્ષો દરમિયાન પોતાને ક્યાંથી કેવી પ્રેરણા મળી. એ પ્રેરણા ૫છી એને સિદ્ધ્ કરવા પોતે કેવોને કેટલો પુરુષાર્થ ક્યો એનુ સુરેખ ને સુવાચ્ય આલેખન સમગ્ર પુસ્તકમાં થયું છે. પંડિત શ્રીરામ શર્મા આચાર્ય માત્ર ગાયત્રીના સાધક જ નથી ૫રંતુ એની મહાસાધના કરીને એમણે આત્મસાક્ષાત્કાર કરી એનુ ઊંડું સંશોધન કરી અનેક ગ્રંથો તૈયાર કરી સૌને પ્રેરણા આ૫તું વિશાળ સાહિત્ય તૈયાર કર્યુ છે એ નાનીસૂની સિદ્ધિ નથી. એક માનવી જાગ્રત જીવન સાધના દ્વારા પોતે કેવી મહાન સિદ્ધિ કરી શકે છે અને એ સિદ્ધિ દ્વારા અનેક માનવીઓને સાધકોને સાધના માટે કેવી પ્રેરણા આપી શકે છે તેનું દર્શન સમગ્ર પુસ્તકમાં પ્રતિ૫ળે થાય છે. "મારુ વિલ અને વારસો" એ એક સાધક ગુરુના જીવનની અનુભવ કથાને સિદ્ધિઓના નીચોડ સમું મહામૂલ્યવાન પુસ્તક બન્યું છે.]]></description>
		<wfw:commentRss>http://aksharnaad.com/2010/07/26/maru-vil-ane-varso-by-shriram-sharma-acharya/feed/</wfw:commentRss>
		<slash:comments>3</slash:comments>
		</item>
		<item>
		<title>અધ્યાપક માટે ઉપાસના-મૂર્તિ &#8211; કાકા કાલેલકર</title>
		<link>http://aksharnaad.com/2010/07/16/idol-for-a-preacher-by-kaka-kalelakar/</link>
		<comments>http://aksharnaad.com/2010/07/16/idol-for-a-preacher-by-kaka-kalelakar/#comments</comments>
		<pubDate>Thu, 15 Jul 2010 18:31:47 +0000</pubDate>
		<dc:creator>AksharNaad.com</dc:creator>
				<category><![CDATA[ધર્મ અધ્યાત્મ]]></category>
		<category><![CDATA[વિચારોનું વન]]></category>
		<category><![CDATA[કાકા કાલેલકર]]></category>

		<guid isPermaLink="false">http://aksharnaad.com/?p=6633</guid>
		<description><![CDATA[લાગણી અને પ્રેમસૂત્રમાં પરોવાયેલા ગુરૂ શિષ્યના સંબંધો વિશેનો એક લેખ શ્રી ક્ષિતિમોહન સેનની કલમે હમણાં જ માણ્યો. ગુરૂ શિષ્ય પરંપરા અને એ આખીય શિક્ષણ પધ્ધતિ વિશે ઘણુંય લખાયું છે. એક શિષ્ય માટે ગુરૂ તેની ઉપાસનામૂર્તી હોઈ શકે, પરંતુ એક અધ્યાપક માટે તેની ઉપાસના મૂર્તી કોણ હોવું જોઈએ એ વિષય પર શ્રી કાકા કાલેલકરના વિચારો અત્રે પ્રસ્તુત કર્યા છે. ગુરૂપૂર્ણિમા આવી રહી છે ત્યારે શિષ્યના ધર્મને એક ગુરૂની નજરોથી નિહાળવાની અને સન્માન આપવાની ઉચ્ચભાવના અહીં પ્રસ્તુત વાતમાં વર્ણવાઈ છે. ગુરૂપૂર્ણિમા આવી રહી છે ત્યારે આશા છે પ્રસ્તુત પ્રસંગ સમયોચિત બની રહેશે.]]></description>
		<wfw:commentRss>http://aksharnaad.com/2010/07/16/idol-for-a-preacher-by-kaka-kalelakar/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>મૂંઝવણમાંથી માર્ગ &#8211; ઈ. એફ. શૂમાખર, અનુ. જયન્ત પંડ્યા</title>
		<link>http://aksharnaad.com/2010/06/30/a-guide-for-perplexed-by-jp/</link>
		<comments>http://aksharnaad.com/2010/06/30/a-guide-for-perplexed-by-jp/#comments</comments>
		<pubDate>Tue, 29 Jun 2010 18:31:53 +0000</pubDate>
		<dc:creator>AksharNaad.com</dc:creator>
				<category><![CDATA[અનુવાદીત]]></category>
		<category><![CDATA[ધર્મ અધ્યાત્મ]]></category>
		<category><![CDATA[ઈ. એફ. શૂમાખર]]></category>
		<category><![CDATA[જયન્ત પંડ્યા]]></category>

		<guid isPermaLink="false">http://aksharnaad.com/?p=6443</guid>
		<description><![CDATA[શ્રી શુમાખર આ જમાનાના પ્રાજ્ઞ પુરુષ હતા. પ્રાજ્ઞ એટલે દૂરનું જોઈ શકે એટલું જ નહિં પણ તેમાં રહેલા સારસારને આપણા હાથમાં મૂકી શકે. પોતે જાણીતા અર્થશાસ્ત્રી પણ તેમણે અર્થનો અનર્થ ન થઈ જાય એ માટે વૈજ્ઞાનિક વિચારણાઓ કરી. અમેરિકાના પ્રમુખ કાર્ટર તેમના પુસ્તક 'નાનું તે રૂડું' ઉપર ફિદા હતાં. શૂમાખરનું આ પુસ્તક જીવનદર્શનનું, બુધ્ધિપૂર્વકની તત્વચર્ચાનું પુસ્તક છે. આટલા નાના પુસ્તકમાં આટલું બધું અર્થવાહક સત્ય તે વળી કેમ સમાવી શક્યા તેનું આશ્ચર્ય થાય પણ તત્વદર્શી ઋષિઓને શું શક્ય નથી? ભાષા વિચાર તેમની પાસે બાલવત આવીને બેસે છે. તો નિરીક્ષકના પૂર્વ તંત્રી શ્રી જયંત પંડ્યાનો અનુવાદ ખૂબ સુંદર છે. અને એટલે જ આ પુસ્તક એક ગુરૂની ગરજ સુપેરે સારે છે. પ્રસ્તુત લેખ પુસ્તકના નિચોડ રૂપ અંત્યકથન છે અને લેખના અંતે તેની અંગ્રેજી આવૃત્તિ ઓનલાઈન વાંચી શકાય તેની લિંક આપી છે જે ઉપયોગી થશે.]]></description>
		<wfw:commentRss>http://aksharnaad.com/2010/06/30/a-guide-for-perplexed-by-jp/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>વિદાય વેળાએ &#8230; &#8211; ખલિલ જિબ્રાન (અનુ. કિશોરલાલ મશરૂવાળા)</title>
		<link>http://aksharnaad.com/2010/05/29/religion-by-khalil-gibran/</link>
		<comments>http://aksharnaad.com/2010/05/29/religion-by-khalil-gibran/#comments</comments>
		<pubDate>Fri, 28 May 2010 18:31:44 +0000</pubDate>
		<dc:creator>AksharNaad.com</dc:creator>
				<category><![CDATA[ધર્મ અધ્યાત્મ]]></category>
		<category><![CDATA[કિશોરલાલ મશરૂવાળા]]></category>
		<category><![CDATA[ખલિલ જિબ્રાન]]></category>

		<guid isPermaLink="false">http://aksharnaad.com/?p=6309</guid>
		<description><![CDATA[ખલિલ જિબ્રાનના વિશ્વવિખ્યાત પુસ્તક "The Prophet " નો ગુજરાતી અનુવાદ શ્રી કિશોરલાલ મશરૂવાળાએ "વિદાય વેળાએ..." નામથી કરેલો છે. આ પુસ્તક વિશે જ્યોર્જ રસેલ કહે છે, "મને નથી લાગતું કે રવિન્દ્રનાથ ઠાકુરની ગીતાંજલી પછી પૂર્વમાંથી એવો સુંદર ધ્વનિ નીકળ્યો હોય જેવો - ખલિલ જિબ્રાન - જે ચિત્રકાર તેમજ કવિ છે - તેમના 'ધ પ્રોફેટ' માંથી સંભળાય છે. વિચારમાં આના કરતાં વધારે સુંદર પુસ્તક મેં વર્ષોથી જોયું નથી. અને એ વાંચતા સોક્રેટીસે 'ધ બેંક્વેટ' માં કહેલું વાક્ય કે - વિચારનું સૌંદર્ય આકૃતિના સૌંદર્ય કરતા વધારે જાદુઈ અસર ઉપજાવે છે - એ મને વધારે સ્પષ્ટપણે સમજાય છે." આ અનુવાદમાંથી આજે ધર્મ અને પ્રાર્થના વિશેના બે પ્રકરણો અહીં પ્રસ્તુત છે.]]></description>
		<wfw:commentRss>http://aksharnaad.com/2010/05/29/religion-by-khalil-gibran/feed/</wfw:commentRss>
		<slash:comments>1</slash:comments>
		</item>
		<item>
		<title>જ્ઞાનનો ઉદય – મહેન્દ્ર નાયક (પુસ્તક ડાઉનલોડ)</title>
		<link>http://aksharnaad.com/2010/05/21/rise-of-knowledge-book/</link>
		<comments>http://aksharnaad.com/2010/05/21/rise-of-knowledge-book/#comments</comments>
		<pubDate>Thu, 20 May 2010 18:31:47 +0000</pubDate>
		<dc:creator>AksharNaad.com</dc:creator>
				<category><![CDATA[જીવન દર્શન]]></category>
		<category><![CDATA[ધર્મ અધ્યાત્મ]]></category>
		<category><![CDATA[ડાઉનલોડ]]></category>
		<category><![CDATA[મહેન્દ્ર નાયક]]></category>

		<guid isPermaLink="false">http://aksharnaad.com/?p=6231</guid>
		<description><![CDATA[આપણાં માટે જ્ઞાનના મૂળભૂત સ્ત્રોત વેદો અને પુરાણો જ છે, જે આપણને આપણા પૂર્વજ ઋષિ મુનિઓએ વારસામાં આપ્યો છે. આ ઋષિ મુનિઓ પણ મંત્રદ્રષ્ટા જ કહેવાતા, દ્રષ્ટા એટલા માટે કે એમને આ મંત્રોનું કેવળ દર્શન થતું, જ્ઞાન થતું - એ યુગમાં જ્યારે અક્ષરની ઉત્પત્તિ હજી નહોતી થઈ ત્યારે આ મંત્રો એમને અસ્તિત્વ સાથે અનુસંધાન થતાં કેવળ નાદ કે અવાજ રૂપે જ પ્રાપ્ત થતાં અને એક પેઢીથી બીજી પેઢીને અપાતા. આપણે આજે એને શ્રૃતિ અને સ્મૃતિ સ્વરૂપે ઓળખીએ છીએ. આપણા વેદો, પુરાણો અને ઉપનિષદોમાં સંગ્રહાયેલું આ પાયાનું જ્ઞાન વહેંચવાનો આ એક પ્રયત્ન માત્ર છે, અને કોઈપણ ક્રિયા કે મંત્ર કોઈ એક માનવીનું સર્જન ન હોઈ શકે, એ તો કેવળ એની સમજ મુજબ એને અન્યો સમક્ષ રજુ માત્ર કરે છે. આવાં કેટલાક સુંદર વિચારોને અધ્યાત્મિક રીતે મૂકતું પુસ્તક "જ્ઞાનનો ઉદય" અત્રે મૂક્યું છે. અહીં શ્વાસ વિશે, શરીર અને મન વિશે, વિવિધ શક્તિચક્રો વિશે અને મનની કાર્યપ્રણાલી વિશેના વિચારો આ પુસ્તકમાં આવરી લેવાયાં છે. પ્રસ્તુત પુસ્તક ડાઉનલોડ વિભાગમાં સમાવેશ કરવાની પરવાનગી આપવા બદલ શ્રી મહેન્દ્ર નાયક નો ખૂબ ખૂબ આભાર.]]></description>
		<wfw:commentRss>http://aksharnaad.com/2010/05/21/rise-of-knowledge-book/feed/</wfw:commentRss>
		<slash:comments>2</slash:comments>
		</item>
		<item>
		<title>દાસ્યભક્તિ &#8211; આનંદશંકર ધ્રુવ</title>
		<link>http://aksharnaad.com/2010/04/08/dasya-bhakti-by-anandshankar-dhruv/</link>
		<comments>http://aksharnaad.com/2010/04/08/dasya-bhakti-by-anandshankar-dhruv/#comments</comments>
		<pubDate>Wed, 07 Apr 2010 18:31:49 +0000</pubDate>
		<dc:creator>AksharNaad.com</dc:creator>
				<category><![CDATA[ધર્મ અધ્યાત્મ]]></category>
		<category><![CDATA[આનંદશંકર ધ્રુવ]]></category>

		<guid isPermaLink="false">http://aksharnaad.com/?p=5944</guid>
		<description><![CDATA[આ અનોખા નિબંધમાં દાસ્યભક્તિનો મર્મ ખૂબ સુંદર અને અર્થદર્શક રીતે સ્ફૂટ થાય છે. દાસ્યભક્તિ નવધાભક્તિનો એક પ્રકાર છે. શ્રી આનંદશંકર ધ્રૃવ દ્વારા આલેખાયેલા આ નિબંધમાં ધર્મભક્તિ અને ધર્મતત્વ વિચારણા શબ્દરૂપ પામી છે. દાસ્યભક્તિ એટલે માત્ર શરણાગતિનો ભાવ નહીં, એમાં વિશુધ્ધ હ્રદયનો પ્રેમ પણ ભળેલો હોય છે. કૃષ્ણભક્તિમાં રત યોગીઓ કેટલા યત્ન અને તપથી તેમને મેળવે છે જ્યારે મીરાં તેમના પ્રતિ ઉત્કટ ભક્તિભાવ અનુભવે છે, પ્રેમમાર્ગ દ્વારા તેમને પામવાનો યત્ન કરે છે, પ્રાપ્ત કરે છે એ વાતનું પ્રતિપાદન મીરાંના જ એક પદ દ્વારા કર્યું છે. પ્રેમલક્ષણા ભક્તિનો આ આવિર્ભાવ ખૂબ ઉત્કટ આલેખન બની રહે છે.]]></description>
		<wfw:commentRss>http://aksharnaad.com/2010/04/08/dasya-bhakti-by-anandshankar-dhruv/feed/</wfw:commentRss>
		<slash:comments>2</slash:comments>
		</item>
		<item>
		<title>તને મળ્યો મનુષ્ય અવતાર&#8230;. &#8211; ગંગાદાસ</title>
		<link>http://aksharnaad.com/2010/03/27/manushya-avatar-by-gangadas/</link>
		<comments>http://aksharnaad.com/2010/03/27/manushya-avatar-by-gangadas/#comments</comments>
		<pubDate>Fri, 26 Mar 2010 18:31:53 +0000</pubDate>
		<dc:creator>AksharNaad.com</dc:creator>
				<category><![CDATA[ધર્મ અધ્યાત્મ]]></category>
		<category><![CDATA[પ્રાર્થના, ગરબા અને ભજન]]></category>
		<category><![CDATA[ગંગાદાસ]]></category>

		<guid isPermaLink="false">http://aksharnaad.com/?p=5830</guid>
		<description><![CDATA[તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને તેંતો ભજ્યા નહીં ભગવાન હેત ધરીને, તેથી ખાશો જમનો માર પેટ ભરીને, તેથી રામનામ સાંભળ&#8230;&#8230;તને. ગઇ પળ પાછી નહીં મળે, મૂરખ મૂઢ ગમાર, ભવસાગરની ભૂલવણીમાં, વીતી ગયા જુગ ચાર ફેરા ફરીને&#8230;..તને. જઠરાગ્નિમાં જુગતે રાખ્યો, નવમાસ નિરધાર, સ્તુતિ કીધી તેં અલબેલાની બહાર ધર્યો અવતાર, માયામાં મોહીને&#8230;તને. કળજુગ કુડો રંગ રૂડો,]]></description>
		<wfw:commentRss>http://aksharnaad.com/2010/03/27/manushya-avatar-by-gangadas/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>અસ્મિતાપર્વ &#8220;સ્વર અક્ષરનો મહાકુંભ&#8221; &#8211; હરિશ્ચંદ્ર જોશી (ભાગ ૨)</title>
		<link>http://aksharnaad.com/2010/03/26/asmitaparv-by-harischandra-joshi-p2/</link>
		<comments>http://aksharnaad.com/2010/03/26/asmitaparv-by-harischandra-joshi-p2/#comments</comments>
		<pubDate>Thu, 25 Mar 2010 18:35:57 +0000</pubDate>
		<dc:creator>AksharNaad.com</dc:creator>
				<category><![CDATA[ધર્મ અધ્યાત્મ]]></category>
		<category><![CDATA[લોક સાહિત્ય]]></category>
		<category><![CDATA[હરિશ્ચંદ્ર જોશી]]></category>

		<guid isPermaLink="false">http://aksharnaad.com/?p=5845</guid>
		<description><![CDATA[ગુજરાતી સાહિત્યના મર્મજ્ઞ - કવિ - અધ્યાપક એવા શ્રી હરિશ્ચંદ્રભાઈ મોરારિબાપુના જ્ઞાનયજ્ઞના સાક્ષી જ નહીં, જાણતલ છે. અસ્મિતાપર્વની સાચી સમજણ, અર્થ અને સમગ્ર ઉપક્રમ વિશે તેમના સિવાય બીજુ કોણ આપણને આવી સુંદર રીતે સમજાવી શકે. લેખક શ્રી રમેશ આચાર્યના મતે અસ્મિતાપર્વ એ ઈયળમાંથી પતંગીયું બનવાની પ્રક્રિયા છે. અસ્મિતાપર્વ ૧૩, તા. ૨૭ માર્ચ ૨૦૧૦ થી ૩૦ માર્ચ ૨૦૧૦ દરમ્યાન મહુવા ખાતે યોજાઈ રહ્યો છે ત્યારે આ સમજણ સમયોચિત અને યથાર્થ થઈ રહેશે તેમાં શંકાને સ્થાન નથી. પ્રસ્તુત લેખ જૂન ૨૦૦૮ના સમણું સામયિક માંથી સાભાર લેવામાં આવ્યો છે. આ લેખ પ્રસ્તુત કરવાની અક્ષરનાદને પરવાનગી આપવા બદલ શ્રી હરિશ્ચંદ્ર ભાઈનો ખૂબ ખૂબ આભાર.]]></description>
		<wfw:commentRss>http://aksharnaad.com/2010/03/26/asmitaparv-by-harischandra-joshi-p2/feed/</wfw:commentRss>
		<slash:comments>3</slash:comments>
		</item>
		<item>
		<title>અસ્મિતાપર્વ &#8220;સ્વર અક્ષરનો મહાકુંભ&#8221; &#8211; હરિશ્ચંદ્ર જોશી (ભાગ ૧)</title>
		<link>http://aksharnaad.com/2010/03/26/asmitaparv-by-harischandra-joshi/</link>
		<comments>http://aksharnaad.com/2010/03/26/asmitaparv-by-harischandra-joshi/#comments</comments>
		<pubDate>Thu, 25 Mar 2010 18:31:06 +0000</pubDate>
		<dc:creator>AksharNaad.com</dc:creator>
				<category><![CDATA[ધર્મ અધ્યાત્મ]]></category>
		<category><![CDATA[લોક સાહિત્ય]]></category>
		<category><![CDATA[હરિશ્ચંદ્ર જોશી]]></category>

		<guid isPermaLink="false">http://aksharnaad.com/?p=5832</guid>
		<description><![CDATA[ગુજરાતી સાહિત્યના મર્મજ્ઞ - કવિ - અધ્યાપક એવા શ્રી હરિશ્ચંદ્રભાઈ મોરારિબાપુના જ્ઞાનયજ્ઞના સાક્ષી જ નહીં, જાણતલ છે. અસ્મિતાપર્વની સાચી સમજણ, અર્થ અને સમગ્ર ઉપક્રમ વિશે તેમના સિવાય બીજુ કોણ આપણને આવી સુંદર રીતે સમજાવી શકે. લેખક શ્રી રમેશ આચાર્યના મતે અસ્મિતાપર્વ એ ઈયળમાંથી પતંગીયું બનવાની પ્રક્રિયા છે. અસ્મિતાપર્વ ૧૩, તા. ૨૭ માર્ચ ૨૦૧૦ થી ૩૦ માર્ચ ૨૦૧૦ દરમ્યાન મહુવા ખાતે યોજાઈ રહ્યો છે ત્યારે આ સમજણ સમયોચિત અને યથાર્થ થઈ રહેશે તેમાં શંકાને સ્થાન નથી. પ્રસ્તુત લેખ જૂન ૨૦૦૮ના સમણું સામયિક માંથી સાભાર લેવામાં આવ્યો છે. આ લેખ પ્રસ્તુત કરવાની અક્ષરનાદને પરવાનગી આપવા બદલ શ્રી હરિશ્ચંદ્ર ભાઈનો ખૂબ ખૂબ આભાર.]]></description>
		<wfw:commentRss>http://aksharnaad.com/2010/03/26/asmitaparv-by-harischandra-joshi/feed/</wfw:commentRss>
		<slash:comments>1</slash:comments>
		</item>
	</channel>
</rss>
