અક્ષરનાદ વિશે

અક્ષરનાદ માં આપનું હાર્દિક  સ્વાગત છે !

‘અધ્યારૂ નું જગત’ સ્વરૂપે શરૂ થયેલી એક તદ્દન સાહજીક યાત્રા આજે ફરીથી એક વખત નવા સ્વરૂપે, એ જ ધ્યેય સાથે અને વધુ વિસ્તૃત ક્ષિતિજો સાથે આગળ વધવા જઇ રહી છે.

ગુજરાતી સાહિત્ય વિશાળ દરિયા સમાન છે. એનો કોઈ છેડો દેખાય તેમ નથી. અનેક પ્રકારના સાહિત્ય પૈકી કેટલુંક એવું સાહિત્ય હોય છે જે હૃદયને સીધું સ્પર્શી જાય છે. એ પ્રકારના લેખો સમાજ અને વ્યક્તિગત જીવન માટે પ્રેરણારૂપ બને છે. ક્યારેક એવું પણ બને કે કોઈ લેખમાંનું એકાદ વાક્ય મનમાં પથ્થરની લકીરની જેમ કોતરાઈ જાય. એ વાક્યમાંના શબ્દો અને પછી એ શબ્દોમાં રહેલા અક્ષરોનો નાદ આપણામાં સતત ગૂંજ્યા કરે. બસ, એ અવાજ તે જ ‘અક્ષરનાદ’ ! અક્ષરનાદ એટલે ભીતરની અનુભૂતિનો ધ્વનિ. જીવનને સ્પર્શી ગયેલી વાતોનું ગૂંજન. પરંતુ એ માત્ર અંદરનો જ અવાજ બની રહેતો નથી. ક્યારેક એ પ્રકૃતિનું ગાન બની જાય છે. એ વાદળોની ગડગડાહટ છે તો એ ક્યારેક દરિયાનો ઘૂઘવાટ છે. એ પવનનો સૂસવાટ છે તો અગ્નિનો તરવરાટ છે. આ એવો નાદ છે જે આપણી અંદરની અવસ્થાને બહારના વાતાવરણ સાથે કોઈક અ-ક્ષર આત્મતત્વથી જોડે છે.

અક્ષરનાદનું સર્જન એ વાંસમાંથી વાસંળી અને એ વાંસળીમાંથી રેલાતા નાદના ઉદભવની પ્રક્રિયા જેવું છે. એ કપાય છે, છોલાય છે, ઘડાય છે, છેદાય છે અને પછી મધુર સંગીત રેલાવે છે. શું માનવીનું પણ એવું નથી ? જીવનના ચઢાવ-ઉતરાવથી માનવી ઘડાય છે અને છેદાય છે ત્યારપછી જ તેનામાં ભીતરનો મધુર નાદ પ્રગટે છે. જેમ એ સ્વર વાંસળીના એક જ છીદ્રમાંથી આવતો નથી, તેમ જીવનનો નાદ પણ એક જ પ્રકારે સંભળાય તેવું હોતું નથી. એ ક્યારેક જીવનચરિત્રોમાંથી સંભળાય છે, ક્યારેક ગિરિ કંદરાઓમાં પડઘાય છે. કોઈવાર એ પ્રાર્થના કે દેશભક્તિના ગીતો દ્વારા રેલાય છે તો ક્યારેક લોકસાહિત્યના સ્વરૂપે ગુંજતો રહે છે. એના સ્વરૂપ જુદા જુદા હોઈ શકે પરંતુ તે અક્ષર અ-ક્ષર જ હોવાનો !

અહીં અક્ષરનાદમાં આ જીવનના નાદને સાંભળવાનો ઉપક્રમ છે. રોજિંદા જીવનની ઘટમાળ અને ઘોંઘાટ વચ્ચે જે કંઈ હૃદયને તીવ્રતાથી સ્પર્શી ગયું, જાણ્યું-માણ્યું કે અનુભવ્યું; તેને આપ સૌ વાચકમિત્રો સાથે વહેંચવાનો એક પ્રયાસ છે. એ ગીરના જંગલોનું પરિભ્રમણ હોય કે લોકસાહિત્યનો ડાયરો. એ મધ્યમવર્ગના માનવીની વાત હોય કે અચાનક સ્ફૂરેલા ગીતની બે પંક્તિઓ, એ કોઇક પરોપકારી રસિક સજ્જન સાથે મુલાકાત હોય કે સાવ સામાન્ય ઘટનામાંથી ઉદભવેલો વિચાર હોય – બધા જ પ્રકારના નાદને અહીં ગુંજવવાનો સાત્વિક હેતુ છે. ‘અક્ષર’ એટલે કે સાહિત્યના માધ્યમ વડે, જેનો કદીયે નાશ નથી થતો એવા પરમ શાશ્વત તત્વ તરફ જવાની આ યાત્રા. એમ કહેવાયું છે કે આખરે કોઈ પણ કલાનો ઉચ્ચતમ હેતુ પરમ તત્વને અનુભવવાનો જ હોય છે. વાંચન-લેખનની આપણી બધી જ કલાઓ ત્યારે સાર્થક નીવડે છે જ્યારે તેમાં રહેલા એ પરમ તત્વને આપણે અનુભવી શકીએ અથવા એ નાદને સાંભળી શકીએ.

વિદ્વાનોએ એમ કહ્યું છે કે કવિતા અને છબીકલાને નજીકનો સંબંધ છે. ક્યારેક ફોટોગ્રાફ પરથી કવિતા રચાતી હોય છે તો ક્યારેક કવિતાના શબ્દોથી નજર સમક્ષ આખું ચિત્ર ખડું થતું હોય છે. એ સમયે એમ લાગે છે કે જાણે ચિત્ર પણ કંઈક બોલી રહ્યું છે, ગાઈ રહ્યું છે. એનો નાદ આપણે સ્પર્શે છે. તેથી અક્ષરનાદમાં છબીકલાને પણ ‘ફોટો-ગેલેરી’ વિભાગ દ્વારા સમાવી લેવામાં આવ્યો છે. આંખોની નાદને સાંભળવાની આ અનોખી વાત છે ! કેમેરાની આંખે પ્રકૃતિના ગાનને માણવાનો આ આગોતરો પ્રયાસ છે.

આમ તો વેબસાઈટ બનાવવી એ મારૂ કામ નહીં એટલે અક્ષરનાદ નામનો આ પ્રયત્ન એકલા હાથે કર્યો હોત તો કેટલો સમય થયો હોત અને છતાં પણ એ સંપૂર્ણ થયો હોત કે નહીં એ મહાપ્રશ્ન છે, મિત્રોના સૂચનો અને પ્રયત્નો સાથે નિસ્વાર્થભાવે કરેલી અથાગ મહેનત અને લગનનું પરીણામ આપની નજર સમક્ષ આજે અક્ષરનાદ બનીને ઉભું છે. આ અમૂલ્ય મદદ બદલ તેમનો આભાર કયા શબ્દોમાં માનવો?. અક્ષરનાદ તમારી મહેનત, મદદ અને ધગશનું જ પરીણામ છે અને એ માટે આપનું ઋણ ઉતારવું એ મારા ગજા બહારની વાત છે.

આશા છે કે અક્ષરનાદનો આ નાદ આપ સૌના હૃદયને સ્મિત અને સ્નેહથી ભરી દેશે. જીવન, પ્રકૃતિ અને પરમનું મધુર ગાન આપ સૌને આહલાદકતા આપનારું નીવડે એ જ શુભેચ્છાઓ. અક્ષરનાદની મુલાકાત લઈને આપના પ્રતિભાવો અને સૂચનો જરૂરથી જણાવશો. ફરી એકવાર, આપ સૌનું અક્ષરનાદ પર સ્વાગત છે !

ધન્યવાદ

જીગ્નેશ અધ્યારૂ.

Share this article... spread the word
  • Digg
  • StumbleUpon
  • Facebook
  • Yahoo! Buzz
  • Twitter
  • Google Bookmarks
  • Orkut
  • del.icio.us
  • Google Buzz
  • Technorati
  • #1 written by M.D.Gandhi, U.S.A. 
    about 1 year ago

    “ઉર્મિસાગર”ની વેબસાઈટ ઉપરથી તમારી વેબસાઈટ મળી અને આ તમારી વેબસાઈટ જોવાની પણ બહુ મજા આવી. સરસ બનાવી છે. અહીં અમેરીકામાં ઘરમાં બેઠાં બેઠાં પણ ગુજરાતી વાંચવા મળે એ ભાગ્યની વાત કહેવાય. તમને “Best Of Luck”ને ગુજરાતીમાં શું કહેવાય?, “બહુ ભાગ્યશાળી હો” કે તમારું “ભાગ્ય ખીલી ઉઠે”, જે પણ કહેવાય તે, પણ મજા આવી ગઈ.

    મનસુખલાલ ડી.ગાંધી
    લોસ એન્જલસ,
    યુ.એસ.એ.

    • #2 written by ashwin borad 
      about 11 months ago

      આ તમારી વેબસાઈટ જોવાની પણ બહુ મજા આવી. સરસ બનાવી છે. અહીં ઘરમાં બેઠાં બેઠાં પણ ગુજરાતી વાંચવા મળે એ ભાગ્યની વાત કહેવાય.
      અશ્વિન બોરદ

  • #3 written by Dr.Kusum Rawal 
    about 1 year ago

    Namaskar,
    Gujarati ma lakhta shikhva mate Keyboard Khub upayogi bani shake.
    Akshrnad—Sara vibhago sathe khub saro prayatna chhe.Gamyu.
    Dhanyavad..
    Kusum…

  • #4 written by ajay joshi 
    about 1 year ago

    heloo jignesh bhai

    aksharnaad ek khrekhar kubj sundar site che.gujrati bhasha nu sahitya ketlu badhu rich che.wali juda juda vibhago pan khubj intersting che.
    aaje aaveli yaad kiya dile ne…hasrat jaipuri..git mari pasandgi nu
    che ane mane khubj pasand aavyu..aam to sangit mane priy che.
    thank u for sendig
    regds…ajay

  • #5 written by FunnyBird 
    about 1 year ago

    આ તમારી વેબસાઈટ જોવાની પણ બહુ મજા આવી. સરસ બનાવી છે. અહીં અમેરીકામાં ઘરમાં બેઠાં બેઠાં પણ ગુજરાતી વાંચવા મળે એ સરસ વાત કહેવાય.

  • #6 written by jjugalkishor 
    about 1 year ago

    સ્વાગતમ્ !!

  • #7 written by Deepak 
    about 1 year ago

    kharekhar bahu j saras website che. Gujarati bhasha ne 21 century ma takavi rakhe teli samarth che..

  • #8 written by Bhupendrasinh R.Raol 
    about 10 months ago

    શ્રી જીગ્નેશ ભાઈ ,તમારી વેબ સાઈટ જોવાની મજા આવી.અભિનંદન.અહી અમેરિકા માં આવ્યા પછી ગુજરાતી ભાષા સાથે નાતો ફરી જોડાઈ રહ્યો છે.કાન્તીભાઈ કરશાળા ની વેબ પરથી તમારી વેબ મળી છે.શરુ માં મેં દિવ્યભાસ્કર માં મારા વિચારોને ફીડબેક માં લખવાનું શરુ કર્યું,એમાંથી ત્રણ ફીડબેક ને સિટીજન જર્નાલીજમ વિભાગ માં છાપ્યા છે.એમાંથી વિચાર આવ્યો બ્લોગ બનાવાવનો. કારણ ફીડબેક તો સમાચાર બદલાય એટલે ફરી દેખાય નહિ.એટલે મારા બ્લોગ માં સ્ટોર કરી લઉં.બ્લોગ નું નામ સ્વોર્ડ ઓફ રાજપૂત છે.અંધવિશ્વાસ અને અવૈજ્ઞાનિક માન્યતાઓ નો છેદ ઉડાડવા કલમની જરા આકરી લાગતી તલવાર ચલાવી છે.ઈ મેલ દ્વારા મારા વિચારો મોકલી આપીશ,યોગ્ય લાગે તો છાપસો.ધન્યવાદ.

  • #9 written by Bhanuprakash Swami, Swaminarayan Gurukul,Chhaya - Porbandar 
    about 8 months ago

    Today I have heared about worldspace Radio Channal” Umang” regarding lituareture of Gujarat language and also heard Pratibha Adhyaru of this web.
    visited that web today.This is the best idea how to spread the Gujarati languge and lituareture for Gujarati all over the world using the modern technology.

    Congratulation…

    Thanks…..

    • #10 written by Bhanuprakash Swami, Swaminarayan Gurukul,Chhaya - Porbandar 
      about 8 months ago

      Today I have heared on worldspace Radio Channal” Umang” regarding lituareture of Gujarat language and also heard Pratibha Adhyaru of this web.

      visited that web today.This is the best idea how to spread the Gujarati languge and lituareture for Gujarati all over the world using the modern technology.

      Congratulation…

      Thanks…..

  • #11 written by naina 
    about 7 months ago

    first time i m visit youe web site . & i like so much . i want to know more about ramanbhai neelkanth .
    Thanks

  • #12 written by Sushma Mevacha 
    about 6 months ago

    ખુબ જ સરસ….

  • #13 written by માનવ 
    about 6 months ago

    જીજ્ઞેશભાઇ,

    આપનું કાર્ય ખરેખર ઉત્ક્રુષ્ટ છે.

    “માનવ”

  • #14 written by VISHWAMITRA 
    about 5 months ago

    નોતુ વાચવુ નૅ વંચાઈ ગયુ

    નોતુ લખવુ ને લખાઈ ……

  • #15 written by MADHAV DESAI 
    about 1 month ago

    Hi,
    Great to read your blog. Do visit my one as I just started blogging recently after being motivated from Gujarati Blogs like your one.

    http://www.madhav.in

    Do leave a comment so I know what to improve.
    Kind Regards,

  • #16 written by manoj kheni 
    about 1 month ago

    VERY NICE AND HEARTY LOVING SITE… BECAUSE OUR GUJARATI IS SICK… YOU GIVING A GOOD TREATMENT… THANK YOU VERY MUCH… MANOJ KHENI . editor,JEEVAN YATRI madazine surat0 guj.

 

No trackbacks yet.