Monthly Archives: May 2013


ગોરખપુરનો કલાકાર.. – ગુણવંત વૈદ્ય 14

પ્રસ્તુત લઘુકથા શ્રી ગુણવંતભાઈ વૈદ્યએ ઈ. સ. 1969 માં લખી હતી અને તેમના ભણતર દરમ્યાન – કોલેજમાં યોજાતી વાર્તાસ્પર્ધામાં એ પ્રથમ વિજેતા ઘોષિત થઇ હતી. તેમના લેખનકાર્યની સહુ પ્રથમ રચના આ વાર્તા જ હતી. એટલે કે વાર્તા ક્ષેત્રે તેમનું પ્રથમ સંતાન આ ‘ગોરખપુરનો કલાકાર’ વાર્તા. આશા છે કે આપને તેમનો વીતેલા વખતનો આ પ્રયાસ ગમશે. આ વાર્તા અંગેના પ્રતિભાવો આપ જરૂરથી આપશો. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી ગુણવંતભાઈ વૈદ્યનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.


ડ્રાઉં ડ્રાઉં (બાળવાર્તા) – ઉદયન ઠક્કર 7

એનસીઈઆરટી – દિલ્હી દ્વારા પ્રાયોજીત ૨૮મી રાષ્ટ્રીય પારિતોષિક સ્પર્ધામાં વર્ષ ૧૯૯૪-૯૫માં સર્વોત્તમ પુસ્તકનું ઈનામ પ્રાપ્ત કરનાર શ્રી ઉદયનભાઈ ઠક્કરના બાળવાર્તાઓના પુસ્તક ‘એન મિલાકે ટેન મિલાકે છૂ…’ માંથી આજની વાર્તા સાભાર લીધી છે. રોજીંદા જીવનના સરળ અને સહજ પ્રસંગો બાળમન પર અસર છોડે છે, એવા જ પ્રસંગો બાળકને કુદરત અને પ્રાણીજગત સાથે પણ જોડી આપે છે. અક્શરનાદને પ્રસ્તુત પુસ્તકની સામગ્રી પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી ઉદયનભાઈનો અને મદદ માટે શ્રી દિનેશભાઈ બૂચ સાહેબનો ખૂબ ખૂબ આભાર.


મહાદેવ ગોવિંદ રાનડેના પ્રેરક જીવનપ્રસંગો 4

શ્રી મહાદેવ ગોવિંદ રાનડેનો જન્મ મહારાષ્ટ્રના નાસિક જીલ્લામાં થયેલો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપનામાં તેઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી, ન્યાયાધીશ તરીકે પોતાની ભૂમિકા ભજવવા ઉપરાંત સામાજ સુધારણાના અનેક કાર્યોમાં તેમણે નેતૃત્વ પૂરું પાડીને પ્રજાને જાગૃત કરવાનું કાર્ય કર્યું હતું. તેમના જીવનના કેટલાક પ્રસંગો ખૂબ પ્રેરણાદાયક છે, તેમાંથી બે પ્રસંગો અત્રે પ્રસ્તુત કર્યા છે. શ્રી યશવન્ત મહેતા દ્વારા સંકલિત અને શ્રી એમ પી પટેલ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત ‘અત્તરનાં પૂમડાં’માંથી આ પ્રસંગો સાભાર લેવામાં આવ્યા છે.


અક્ષરનાદનો સાતમો જન્મદિવસ… 101

અક્ષરનાદ આજે ગુજરાતી વેબવિશ્વમાં છ વર્ષ પૂર્ણ કરીને સાતમા વર્ષમાં પ્રવેશી રહ્યું છે. ‘અધ્યારૂનું જગત’થી શરૂ થયેલી યાત્રા જે સુંદર અને સ્વચ્છ રીતે સતત આગળ ધપી રહી છે એ જોઈને સહજ સંતોષ અને આનંદ થાય એ સ્વભાવિક છે, તો સફરની પોતાની મોજ પણ આગળ વધવાનું સતત ઈજન આપતી રહે છે. આવા પ્રસંગો વાચકમિત્રો સાથે સંવાદનું માધ્યમ બની રહે એવા પ્રયત્ન કર્યા છે અને આજે પણ એવી જ રીતે અક્ષરનાદ વિશેની, અમારા વિશેની અને આ યાત્રા વિશેની કેટલીક વાતો આપની સાથે વહેંચવી છે, પણ એ પહેલા એક વેબસાઈટ તરીકે, રોજ સવારે પ્રેમપૂર્વક હાજરી નોંધાવીને, ઈ-મેલમાં મળતા નવી કૃતિઓના સંદેશા જોઈને તેને વધાવીને – પ્રતિભાવ આપીને, ફોન – ઈ-મેલ દ્વારા સ્નેહાળ ઉઘરાણી રૂપે પુસ્તકની કે લેખની માંગણી કરીને અને એમ દરેક વખતે ઉત્સાહ વધારીને આગળ વધવાની પ્રેરણા આપતા સર્વે વાચકમિત્રોને સાદર પ્રણામ.


દીવાનો બની જા સમજદાર જેવો.. – ગની દહીંવાળા 5

આજે પ્રસ્તુત છે ગની દહીંવાળાની મશહૂર ગઝલ ‘દીવાનો બની જા સમજદાર જેવો’ જે લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ‘કોડીયા’ માંથી લેવામાં આવી છે..

દીવાનો બની જા સમજદાર જેવો,
મળે યશ જગતમાં તિરસ્કાર જેવો;
બને તો કરી લે ગુનો પ્યાર જેવો…


બે ટૂંકી વાર્તાઓ… – નિમિષા દલાલ 22

નિમિષાબેનની બે ટૂંકી વાર્તાઓ આજે પ્રસ્તુત કરી છે, સરપ્રાઈઝ અને અંતિમ – એ બે વાર્તાઓનું વિષયવસ્તુ તદ્દ્ન ભિન્ન અને જુદા જુદા દ્રષ્ટિકોણને સ્વરૂપ આપનારું છે, ટૂંકી વાર્તા અને લઘુકથાના સ્વરૂપની વચ્ચે સ્થિર થયેલ પ્રસ્તુત રચનાઓ નિમિષાબેનની સબળ તથા અર્થપૂર્ણ કલમની પરિચાયક છે. આપનો આ વાર્તાઓ વિશેનો પ્રતિભાવ જાણવા તેઓ આતુર છે. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ નિમિષાબેનનો ખૂબ ખૂબ આભાર તથા તેમની કલમને અનેક શુભકામનાઓ.


ઉનાળા વિશે… (ખલિલ જીબ્રાનના ‘ધ પ્રૉફેટ’ ના ગદ્ય સ્વરૂપમાં) 11

પહેલેથી આપવામાં આવેલા – નિશ્ચિત કોઈક વિષયવિશેષને અનુલક્ષીને લખી હોય એ પ્રકારની આ મારી પ્રથમ કૃતિ છે. ખલિલ જિબ્રાનના ‘ધ પ્રૉફેટ’ ના ગદ્ય સ્વરૂપે લખાયેલ ઉપરોક્ત ‘ગ્રીષ્મ’ વિશેષ કૃતિ થોડાક કટાક્ષ અને થોડાક ચિંતન સાથેની સંમિશ્રિત કૃતિ છે. ઉનાળો એ આપણી ત્રણ ઋતુઓમાંની એક એવી આગવી ઋતુ છે જેમાં ઋતુલક્ષી અનેક ફાયદા – ગેરફાયદાઓ નિહિત છે. આ જ વાતને ધ્યાનમાં લઈને આજના વગ્રની તે સમયના ‘પ્રૉફેટ’ સાથેની વાત અહીં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. ક્યાંક ભાષા ભદ્રંભદ્રીય પણ થઈ જતી લાગે એ શક્ય છે. આશા છે આપને ગમશે.


નોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) – હાર્દિક યાજ્ઞિક 18

હાર્દિકભાઈ યાજ્ઞિકની કલમના અનેક ચાહકોમાં એક હું પણ છું, ઘણા વખતે અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ રહેલી તેમની પ્રસ્તુત કૃતિ એક પુરૂષની અનોખી અસમંજસને દર્શાવે છે, આમ તો આ વાર્તા કોઈ સસ્પેન્સ સ્ટોરી નથી, પરંતુ વાચકને વાર્તાના અંતે એવો જ કાંઈક અહેસાસ જરૂર થશે…. અને છતાંય જાતિ આધારીત ભિન્નતા ધરાવતા સમાજની બીક એક પુરુષને કેવી બાબતોમાં ડર ભોગવતો કરી દે છે એ પ્રસ્તુત વાર્તા પરથી સ્વયં સ્પષ્ટ છે. નવા વિષયો, અનોખા ઘટનાક્રમ અને માનવ લાગણીઓને સહજતાથી પ્રગટ કરી શકવાની હાર્દિકભાઈની ક્ષમતા ખરેખર કાબિલેદાદ છે. વાચકમિત્રોના પ્રતિભાવોની તેઓ રાહ જોઈ રહ્યા છે. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


અડકીને ચાલો તોય અળગા, સાજન.. – હરીન્દ્ર દવે 7

પ્રેમરસની, શૃંગારની વાતો વ્યક્ત કરવામાં આપણું સાહિત્ય આજે પણ એટલું જ સમૃદ્ધ અને સદ્ધર છે જેટલું એ સદાકાળ રહ્યું છે. જ્યાં આજના સર્જકો ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓમાં પ્રસ્થાપિત બંધનો તોડીને આગળ વધી રહ્યા છે ત્યાં આપણા સદાબહાર કવિઓ-ગઝલકારોએ કરેલ કૃતિઓ હજુ તેમની સિદ્ધહસ્ત સર્જકતાનો પરિચય આપતી અડીખમ ઊભી છે. પ્રસ્તુત કૃતિ એક પ્રેમીકાની તેના પ્રિયતમ વિશેની લાગણીઓને ખૂબ સુંદર રીતે વાચા આપે છે, શ્રી હરીન્દ્ર દવેની સર્જકતાનું આ એક ઓછું જાણીતું પણ અતિશય સબળ ઉદાહરણ છે.


ત્રણ પ્રસંગકથાઓ… – હર્ષદ દવે 8

હર્ષદભાઈ દવેના પુસ્તક ‘પલ દો પલ’માંથી સાભાર લેવામાં આવેલ પ્રસ્તુત ત્રણ મોતીઓ વિશેષ બોધપ્રદ પ્રસંગો છે. પ્રથમ ઘટનાક્રમ પ્રેમ અને તેની અભિવ્યક્તિના ખયાલોને સુંદર રીતે વર્ણવે છે અને તેની જરૂરત વિશે સહજતાથી ઘણું બધું કહી જાય છે. એક અનાથ બાળકીના જીવન વિશે કહેતી કહેતી બીજી વાત ભાગ્ય અને તકના ચક્રને વર્ણવે છે તો ત્રીજો પ્રસંગ ભાષાકીય દ્રષ્ટિએ રૂમાલ શબ્દના ઉંડાણમાં લઈ જાય છે. ત્રણેય પ્રસંગો અહીં પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી હર્ષદભાઈનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.


ગુલમ્હોર મ્હોર્યા એટલે.. (વસંતગઝલ) – રમેશ પારેખ 9

વસંત આવી અને ગુલમ્હોર મ્હોર્યા એટલે કવિહ્રદયમાં પણ અનન્ય સ્પંદનો ઉદભવવાના શરૂ થયાં, છાપરાં રાતાં થયા અને રસ્તા મદમાતા થયા, બે આંખો વચ્ચેના સંવાદમાં દ્રશ્યો ગવાતા હોય એવી ભાવવિભોર કલ્પના, અણીયાળો વાયુ વાય તેના લીધે ઉઝરડાતા મનની વાત તથા શબ્દકોશો અને શરીરકોષોની પેલે પારના પર્વો ઉજવવાની વાત તો ફક્ત રમેશ પારેખ જ આ સહજતાથી કરી શકે. ર.પા ની આ જ વિશેષતાઓએ તેમની ગઝલના અનેક ચાહકો તેમની રચનાઓને ફરી ફરીને રસપૂર્વક માણે છે. વસંતના વૈભવ તથા માનવજીવન પર તેની અસર દર્શાવતી પ્રસ્તુત ગઝલ આપણી ભાષાની વસંતઋતુને લગતી કૃતિઓમાં શીર્ષસ્થાન પર શોભે છે.


દીકરો – વિનોદિની નીલકંઠ 13

પીતાંબરનો નાનો ભાઇ કાંતિ હડકાયું કૂતરું કરડવાથી બાવીશ વર્ષની ભરજુવાન વયે જ્યારે ગુજરી ગયો, ત્યારે ઘરની મોટી વહુ અંબાએ જે કલ્પાંત કરી મૂક્યું, જે છાતી-માથાં કૂટી નાખ્યાં, તે ઉપરથી સૌ કોઇને એમ જ લાગી આવે કે તે એના પેટનો દીકરો જ ગુમાવી બેઠી હશે. અને તે અનુમાન ઘણું ખોટું પણ ન ગણાય.

પંદર વર્ષની અંબા પરણીને સાસરે આવી ત્યારે સસરા આગલી સાલ ગુજરી ગયેલા હતા, સાસુને ક્ષયરોગ લાગુ પડેલો હતો. અંબાએ ઘરમાં પ્રવેશ કર્યો કે તરત સાસુએ તેને પોતાની પથારી પાસે બોલાવી ને બેસાડી. કાંતિ ત્યારે ફક્ત બે વર્ષનો હતો. પગ આવી ગયા હતા, પણ બોલતાં પૂરું શીખ્યો નહોતો. સાસુએ કાંતિને પાસે બોલાવી અંબાના ખોળામાં મૂક્યો ને કહ્યું: “જો બેટા કાંતિ, આ તારી બીજી બા.”


પીર રે પોકારે મુંજાં ભાવરાં રે ! – જેસલ પીર 6

સર્જનનું આ સ્ત્રોત જેસલ નામના સંતે પોતાની તોળલ નામની સ્ત્રી-સંત-ગુરુના મુર્ચ્છિત દેહને સજીવન કરવા માટે એ દેહની સન્મુખ, જ્યોતપૂજનના રાત્રી સમારંભમાં ગાયું હતું એવી લોકકથા છે. આમાં ઉત્પત્તિનું તેમજ ભવિષ્યના વિલયનું પણ ગાન છે. કચ્છની ધરણીને ધ્રુજાવનાર ડાકુ જેસલ જાડેજામાંથી જેને પ્રતાપે સંત જેસલ પીર બન્યા તેવા પોતાના ગુરુ સતી સંત તોળલના માટે સર્જાયેલું આ ભક્તિગાન જેસલની સમર્પિતતાની સાથે સાથે તેના ઉર્ધ્વગમનનો પણ પ્રતિઘોષ પાડે છે. સૌરાષ્ટ્રની રસધારમાં જેસલ જાડેજાને પોતાની તલવાર, તોળલ ઘોડી અને સાથે સાથે પોતાના પત્નિ એવા સતી તોળલનું પણ સહજતાથી જેસલને દાન આપતા કાઠી સંત સાંસતીયાજી તોળલને એ દાનનો મર્મ સમજાવે છે. સાંસતીયાજીના પાત્રને અવાજ આપ્યો ત્યારે મને અદભુત લાગણી થઈ હતી, એ સંત તોળલને સમજાવતા કહે છે, “સતી, એ ડાકુ છે, લૂંટારો છે, અને પોતાના માર્ગમાં આવનારને દૂર હટાવી ધ્યેયથી જરા પણ ડગવું નહીં એવો એનો ધર્મ છે, આવા મક્કમ મનોબળવાળા જો પોતાની સૂરતા બદલે અને હરીને મારગે વળે તો ! એને હરીના પંથે લાવવો તમારું કામ છે તોળલ !” આજે ફરી એ જ સંવાદનું સ્મરણ થાય છે.


વિચારકણિકાઓ… – ધૂમકેતુ 6

ગુજરાતી સાહિત્યના નભોમંડળમાં સૂર્યશી આભા પ્રસરાવનાર ધૂમકેતુથી આપણું સાહિત્યજગત ઉજ્જવળ છે, 500થી વધુ ટૂંકી વાર્તાઓ, પચીસથી વધુ ઐતિહાસીક – સામાજીક નવલકથાઓ, ઉપરાંત નાટ્યલેખન અને સાહિત્યના અન્ય પ્રકારોમાં પણ તેમનું નોંધપાત્ર સર્જન છે. ચિંતનકણિકાઓના તેમના ત્રણ પુસ્તકો ‘પદ્મરેણું’, ‘જલબિંદુ’ અને ‘રજકણ’ માંથી કેટલીક વિચારપ્રેરક ચિંતનકણિકાઓ અત્રે સંપાદિત કરી છે. આશા છે વાચકમિત્રોને આ પ્રેરક વાતો મમળાવવી ગમશે.


સિલ્લક સુંદર શ્યામ… – સ્નેહલ મઝુમદાર 9

શ્રી સ્નેહલ મઝુમદાર સાથેની ઓળખાણ તદ્દન પ્રોફેશનલ, તેઓ અમારી કંપનીમાં એક્સ્ટર્નલ ઑડીટર તરીકે આવે, મારે તેમને અથવા તેમના સ્ટાફને જરૂરી માહિતી ઉપલબ્ધ કરાવવાની અને સાઈટ પર ફેરવી રિપોર્ટ આપવાનો. પણ મારી તેમની સાથે પહેલી ઓળખાણ કાંઈક અજબ અંદાઝમાં થઈ.

કંપનીનું કદાચ પ્રથમ ઑડીટ ચાલતુ હતું ત્યારે મીટીંગમાં જરૂરી ડેટા લઈ આવવા મને કહેવાયું અને હું આવ્યો એટલે તેમની સાથે ઓળખાણ કરાવતા અમારા ચીફ ઑપરેટીંગ ઑફીસરે કહ્યું, “મીટ હીમ, હી ઈઝ જીજ્ઞેશ અધ્યારૂ, હી હેન્ડલ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એક્ટીવીટીઝ હીયર” પણ મઝુમદાર સાહેબ મારા નામ પર જ અટકી ગયેલા, તેમની યાદશક્તિની ખાસીયત કહો કે ગમે તેમ, એકાદ મિનિટ પછી પૂછી બેઠા, “નવનીત સમર્પણમાં પેલો શિયાળબેટ વિશેનો લેખ તમારો હતો?” હવે આશ્ચર્ય પામવાનો વારો મારો હતો. તે પછી તો ઓળખાણ વધી, હવે ક્યારેક ગીરમાં સાથે જવાના તેમના પ્રસ્તાવને પણ અમલમાં મૂકવો છે. એક મિત્રના સંગ્રહમાંથી મળી આવેલી તેમની જ આ રચના પ્રસ્તુત કરતા આનંદ થાય છે. શ્રી સ્નેહલ મઝુમદાર સંતુર વિશે પણ સારુ જ્ઞાન ધરાવે છે, શાસ્ત્રીય સંગીતની તેમની અને અમારા ચીફ ઑપરેટીંગ ઑફીસરની ગહન ચર્ચાઓના તો અમે અનેક વખત સાક્ષી રહ્યા છીએ. કૃષ્ણભક્તિ અને અકાઉન્ટ વિભાગનો અનોખો સુમેળ ધરાવતી તેમની આ રચના આજે પ્રસ્તુત કરી છે.


જીવનમાં વણી લેવા જેવાં નીતિસૂત્રો (૧) – સંકલન – સુમિત્રાબેન નિરંકારી 8

શ્રી સુમિત્રાબેન નિરંકારી દ્વારા ટહુકાર’ માંથી સંકલિત ઉપરોક્ત નીતીસૂત્રો જીવન જીવવામાટેની આદર્શ રૂપરેખા છે. વત્તાઓછા અંશે આપણે બધા ક્યારેક મૂલ્યોને ચૂકીને જીવનમાં કાંઈક વધુ મેળવ્યાનો સંતોષ માનતા હોઈએ છીએ એવા અપવાદરૂપ સંજોગોને પણ જો કાબૂ કરી શકીએ તો જીવનને સંતોષ, સુખ અને શાંતિપૂર્વક જીવી શકાય. અધધધ કહી શકાય એવી સંખ્યામાં પ્રસ્તુત થયેલ આવા નીતીસૂત્રોના કુલ સાત ભાગ અક્ષરનાદને સુમિત્રાબેન દ્વારા મળ્યા છે જેમને સમયાંતરે આપણે માણીશું. આજે પ્રસ્તુત છે આ માળાનો પ્રથમ ભાગ.


ગુજરાતની સ્થાપના પ્રસંગે… – રવિશંકર મહારાજ 6

આજથી ત્રેપનવર્ષ પહેલા ગુજરાત રાજ્યના ઉદઘાટન પ્રસંગે શ્રી રવિશંકર મહારાજે વ્યક્ત કરેલી લાગણી, ગુજરાત પ્રત્યેની તેમની અપેક્ષાઓ અને લોકજીવનને વધુ સગવડભર્યું બનાવવાનું માર્ગદર્શન આપતા તેમણે કહ્યું છે, ‘સમગ્ર રાજ્ય કે દેશના હિત ખાતર પક્ષનું મહત્વ ઓછું આંકવાની પરિપાટી આપણે શરૂ કરવા જેવી છે. વિરોધી પક્ષે વિરોધ ખાતર વિરોધ કરવાનો ન હોય અને રાજ્યકર્તા પક્ષે વિરોધપક્ષની વાત છે માટે એનો વિરોધ કરવાની પ્રથામાંથી બચવા જેવું છે. પક્ષો એ ખરેખર તડાં છે, ગામનાં તડાં પડવાથી જેમ ગામની બેહાલી થાય છે, એમ રાષ્ટ્રના તડા પાડવાથી રાષ્ટ્રની બેહાલી થાય છે.’ આવા અનેક સુંદર વિચારો સાથે આજના દિવસે આ સંદેશ સમયસરનો બની રહેશે.


ગુજરાત ગૌરવગાન.. (બે ગીત) – જીજ્ઞા ત્રિવેદી 10

આજે ગુજરાતના જન્મદિવસે પ્રસ્તુત છે ભાવનગરના ગઝલકાર શ્રી જીજ્ઞાબેન ત્રિવેદીની કલમે પ્રગટ થયેલ બે સુંદર ગુજરાત – ગુજરાતી ગીત, ગુર્જરગીરાના ગૌરવગાન કરતા અને તેની ભાતીગળ પ્રકૃતિ તથા અનેકતામાં એકતાનો સંદેશો આપતી સંસ્કૃતિના દર્શન તો આ ગીતમાં થાય જ છે, સાથે સાથે એક સુરક્ષિત, સુવિકસીત અને સુનિયોજીત એવા ભવિષ્યની કલ્પના પણ અહીં સુપેરે વ્યક્ત થઈ છે. ગુજરાત રાજ્ય અને ગુજરાતી ભાષાના ગૌરવની વાત કરતાં આ ગીતો ખરેખર ઉમદા છે. પ્રસ્તુત ગીત અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી જીજ્ઞાબેનનો ખૂબ ખૂબ આભાર.