Monthly Archives: February 2012


The Spy Who Came in from The Cold : એક બેઠકે વાંચવી પડે તેવી જાસૂસી નવલકથા – અશોક વૈષ્ણવ 2

બીજાં વિશ્વયુધ્ધ પછી તે યુધ્ધમા આગળ પડતો ભાગ લીધેલા ખેલાડીઓ સામ્યવાદી અને બીનસામ્યવાદી એમ બે મુખ્ય છાવણીઓનાં શીતયુધ્ધમાં વહેંચાઇ ગયા હતા. આર્થિક દ્રષ્ટિએ બન્ને વિચારધારાઓનો વિરોધાભાસ રાજદ્વારી દ્રષ્ટિએ એકબીજા માટે શંકા અને શકના મસાલાને કારણે એટલો બધો ગૂઢ બની ગયો હતો કે નવલકથાકારોને તો તેમાંથી રોચક કથાવસ્તુનો ખજાનો લાધી ગયો હતો. અંગ્રેજી ભાષામાં શીતયુધ્ધના સમયની જાસુસી નવલકથાઓ એક મહત્વનો અને લોકપ્રિય સાહિત્ય પ્રકાર બની રહ્યો. આ પ્રકારનાં સાહિત્યની લોકપ્રિયતા તો તેના પરથી બનેલી ફિલ્મોની પણ એટલી જ ચાહનામાં પણ દેખાઇ આવે છે. આજે આપણે વાત કરીશું મે ૧૯૭૦ની આસપાસ પહેલી વાર અને તે પછીથી દરેક દશકામાં ઓછામાં ઓછી એક વાર તો જરૂર વાંચેલી એક અનોખી નવલકથા ‘The Spy Who Came in from The Cold’ ની.


રણમાં મીઠી વીરડી એટલે પ્રેમ – જગદીશ જોશી 5

આંખ બંધ કરી તમને કોઈએ આપેલી ‘જાદુની ઝપ્પી’ને યાદ કરો, એ સમયે હ્રદયનો કોઈ છેડો ભીનો થઈ ગયો હશે અને એ ભીનાશ આંખમાં રેલાઈને ટપકી પડી હશે ગળામાં શ્વાસ અટકી ગયો હશે, જગત અને જીવનનું અસ્તિત્વ જ ઓગળી ગયું હશે. પણ આવું આલિંગન ક્યારેક અને કોઈકે જ આપેલું હોય છે. એમાં કોઈ લેતી દેતીનો વ્યવહાર નથી, બન્ને પક્ષોએ બસ આપવાનું જ છે. આ જોડાણ – સંબંધ એ પ્રેમસંબંધની ઝલક માત્ર છે. નાના બાળકના માથા પર ફરતો માંનો પ્રેમાળ હાથ બાળક માટે આનંદનું નિમિત્ત બને છે. કેડબરીની મીઠાસની અપેક્ષા વગર બહેનના હાથે ભાઈને બંધાતી રાખડી પ્રેમસંબંધનું પ્રતીક છે. પ્રશ્નોથી થાકી હારીને બેઠા હોઈએ ત્યારે ખભા પર મૂકાયેલો મિત્રનો હાથ એ પ્રેમસંબંધની અનુભૂતિ છે…..


ચાર અછાંદસ રચનાઓ – વિજય જોશી 5

ગાંધીજીને અસહકારની પ્રેરણા આપનારા મહાન અમેરિકન ફિલોસોફર હેન્રી ડેવિડ થરોં અછાંદસનું (Free Verse) વર્ણન કરતા કહે છે, “કદાચ કવિને ભિન્ન પ્રકારનો શબ્દનાદ સંભળાતો હશે, એ નાદ સાથે એને પગલાં માંડવા દ્યો – એક કે અગણિત.” તો ટી એસ ઈલિયટ કહે છે, ” “No verse is free for the man who wants to do a good job.” આજે પ્રસ્તુત છે શ્રી વિજય જોશી દ્વારા પ્રસ્તુત ચાર અનોખા અછાંદસ, વિષયો છે જીવ, કાળુ ગુલાબ, યેશુ અને ચિતા. ચારેય અછાંદસ ભિન્ન પૃષ્ઠભૂમિને અને નોખા વિષયોને રજૂ કરે છે.


અમિતાભ બચ્ચન (પુસ્તક સમીક્ષા તથા પ્રસંગો) ભાગ ૨ – સં. જીજ્ઞેશ અધ્યારૂ 5

અમિતાભ બચ્ચન પર હમણાં ૬૦૦થી વધુ પાનાંનું એક પુસ્તક વાંચી રહ્યો છું, જેની સમીક્ષા અને પ્રસંગોને વર્ણવતો પ્રથમ ભાગ ગઈકાલે પ્રસ્તુત કર્યો હતો. અમિતાભ બચ્ચનને આત્મકથા અથવા જીવનકથા એવા શબ્દો પ્રત્યે લગાવ નથી એટલે આ પુસ્તકનું નામ ફક્ત તેમના નામ પર જ છે. તેમના પિતાજી શ્રી હરિવંશરાય શ્રીવાસ્તવ વિશે, તેમની પ્રથમ પત્ની શ્યામાજી વિશે, અમિતજીની માતાજી તેજી સૂરી વિશે, અને અમિતજીના જન્મથી લઈને તેમના બાળપણ, સંઘર્ષ અને સફળતાની આખી દાસ્તાન આ દળદાર પુસ્તક વર્ણવે છે. તો સાથે સાથે તેમના 1982માં થયેલા અકસ્માતની અને તે પછી મૃત્યુના મુખમાંથી પાછા ફરવાની, રાજકારણમાં આવવાની અને રાજરમતનો ભોગ બનવાની વગેરે અનેક બાબતો વિગતે વર્ણવાઈ છે. આ પુસ્તક અમિતાભ બચ્ચન કેમ આ સદીના મહાનાયક છે એ વાત પ્રસંગોથી ખૂબ સરળ અને સબળ રીતે સાબિત કરે છે. જેમના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે આખો દેશ એક વાર પ્રભુભક્તિમાં ડૂબી ગયેલો એવા અમિતાભને દેશદ્રોહી ઠેરવવાના પ્રયત્નો પણ ઘણાં થયા, પરંતુ પોતાના આત્મવિશ્વાસ અને શ્રદ્ધાના જોરે તેઓ દર વખતે બેઠા થયા છે, સંઘર્ષને અંતે સિદ્ધિ મેળવી છે. આજે પ્રસ્તુત છે પુસ્તક સમીક્ષાનો બીજો અને અંતિમ ભાગ . . . . .


અમિતાભ બચ્ચન (પુસ્તક સમીક્ષા તથા પ્રસંગો) ભાગ ૧ – સં. જીજ્ઞેશ અધ્યારૂ 14

અમિતાભ બચ્ચન પર હમણાં ૬૦૦થી વધુ પાનાંનું એક પુસ્તક વાંચી રહ્યો છું. અમિતાભ બચ્ચનને આત્મકથા અથવા જીવનકથા એવા શબ્દો પ્રત્યે લગાવ નથી એટલે આ પુસ્તકનું નામ ફક્ત તેમના નામ પર જ છે. તેમના પિતાજી શ્રી હરિવંશરાય શ્રીવાસ્તવ વિશે, તેમની પ્રથમ પત્ની શ્યામાજી વિશે, અમિતજીની માતાજી તેજી સૂરી વિશે, અને અમિતજીના જન્મથી લઈને તેમના બાળપણ, સંઘર્ષ અને સફળતાની આખી દાસ્તાન આ દળદાર પુસ્તક વર્ણવે છે. અમિતાભ કહે છે કે મને સમજવા માટે મારા બાબુજી અને માંને સમજવાનો પ્રયત્ન કરજો, મને સમજવામાં તમને તકલીફ નહીં પડે. આ પુસ્તક અમિતાભ બચ્ચન કેમ આ સદીના મહાનાયક છે એ વાત પ્રસંગોથી ખૂબ સરળ અને સબળ રીતે સાબિત કરે છે. જેમના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે આખો દેશ એક વાર પ્રભુભક્તિમાં ડૂબી ગયેલો એવા અમિતાભ અંતર્મુખી છે, પરંતુ સ્પષ્ટવક્તા છે. પોતાના પર પુસ્તક લખવા તૈયાર થયેલા સૌમ્યો વંદ્યોપાધ્યાયને અમિતાભ ચેતવણી આપતા કહે છે, “તમને ખબર છે તમે કોના ઉપર પુસ્તક લખી રહ્યા છો? . . . . . .


શ્રી રામચરીત માનસ અનુસાર જ્ઞાન, ભક્તિ અને કર્મ – વિનોદ માછી 2

જ્ઞાન – ભક્તિ અને કર્મ, આ ત્રણે માર્ગનું જો કે પોતાનું અલગ અસ્‍તિત્‍વ છે તેમ છતાં ત્રણે એકબીજાથી પૂર્ણરૂપથી જુદા નથી. જિજ્ઞાસુ ભલે પોતાની સુવિધા અનુસાર ૫હેલાં કોઇ૫ણ માર્ગ ૫સંદ કરે અને તેનો અભ્‍યાસ કરવા લાગે, પરંતુ સમય આવે તેને બાકી બે માર્ગના સ્‍વરૂ૫ને જાણવા ૫ડશે જ તથા તેની સહાયતાથી જ પોતાના ધ્‍યેય તરફ આગળ વધી શકાશે. સામાન્‍ય રીતે રહસ્‍ય જાણી લીધા ૫છી જ્ઞાનીનું લક્ષ્‍ય બ્રહ્મમાં લીન થવાનું હોય છે, તેની ઉ૫લબ્‍ધિ સમર્પણ તથા આત્‍મનિવેદન (ભક્તિ) તથા આગામી કર્મ સિદ્ધાંતના બચાવ માટે અનાસક્ત કર્મના માધ્‍યમથી જ સંભવ બને છે. જ્ઞાની ભક્ત બનીને જ ભક્તિની શોધ કરવી ૫ડતી હોય છે. કર્મયોગના વિના તે પોતાને આત્‍મત્‍યાગી બનાવી શક્તો નથી. કર્મ૫થનો સાધક ૫ણ જ્ઞાન અને ભક્તિના આશ્રય વિના કર્મફળના મોહનો ત્‍યાગ કરી શકતો નથી, એટલે એ વાત નિર્વિવાદ સત્‍ય છે કે ત્રણે માર્ગો એકબીજાના બાધક નહી પરંતુ સાધક છે તથા ત્રણેનો સંયોગ જ ઇશ્વર મિલનરૂપી મહત લક્ષ્‍યને સાર્થક કરે છે. મહાત્‍મા તુલસીદાસજી મહારાજે રામચરિત માનસમાં વર્ણવેલ ભિન્‍ન ભિન્‍ન માર્ગોની મુશ્‍કેલીઓ તથા સુવિધાઓ વિશે વિગતવાર અભ્‍યાસ કરીએ.


આ ફક્ત એક મરઘાની વાત છે… – ઉદયન ઠક્કર 8

શ્રી ઉદયન ઠક્કરનું પ્રસ્તુત સચોટ અને સુંદર અછાંદસ એક સામાન્ય વાતને – જીવનની રોજીંદી ઘટનાને એક મરઘાના વિચારબિંદુથી વિચારપ્રેરક રીતે પ્રસ્તુત કરે છે. જો કે વાત ફક્ત એક મણિલાલ નામના મરઘાની છે, પણ એ ફક્ત તેની પણ નથી. અહીં કરેલી વાત કોની છે તે સમજવું વાચક પર છોડીને કવિ છેલ્લે એક સવાલ પૂછે છે – મણિલાલ જાય ક્યાં? મણિલાલ કરે શું? એ ફક્ત એક મરઘાની કથની નથી, ક્યાંક તેનું પરિપ્રેક્ષ્ય તેથી વિશાળ થઈ જાય છે. માણવી ગમે તેવી શ્રી ઉદયન ઠક્કરની આ સરસ વિચારપ્રેરક રચના શ્રી ચન્દ્રકાન્ત ટોપીવાળા સંપાદિત ‘આપણી કવિતાસમૃદ્ધિ’ માંથી સાભાર લીધી છે.


તપસ્યા (ટૂંકી વાર્તા) – નિમિષા દલાલ 5

અમદાવાદની શેઠ સી.એન વિદ્યાલયમાં ફક્ત દસમા ધોરણ સુધી ભણેલા અને હાલ સૂરત સ્થિત ગૃહિણી શ્રીમતિ નિમિષાબેન દલાલ વાંચનના શોખીન છે, ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ની વાતો સાંભળવાનો અલભ્ય અવસર જેમને શાળા સમયમાં મળેલો એવા નિમિષાબેનને સાહિત્યસર્જનમાં પણ આનંદ આવે છે. ઘરકામમાંથી નવરાશ મળતાં જ તેઓ વાંચન અને લેખનના શોખને આગળ ધપાવે છે. પ્રસ્તુત વાર્તા સામાન્ય જીવનમાં સર્જાતા પ્રસંગો અને સંબંધોની વાત કહી જાય છે. વાચકોના પ્રસ્તુત વાર્તા માટેના પ્રતિભાવ તેમને વધુ સર્જન માટે પ્રોત્સાહન આપશે. અક્ષરનાદ પર તેમની આ બીજી વાર્તા છે. મોકલવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ.


બે શિવસ્તવન – મૂળશંકર પ્રેમજી જોશી 5

મુંબઈના અગ્રગણ્ય વિસ્તાર એવા મૂળજી જેઠા માર્કેટમાં ચંપાગલી નામના વિસ્તારમાં આશરે ઇ.સ. ૧૯૩૫માં શ્રી શિવશંકર પુરુષોત્તમ જોશીએ ‘દિવ્યપ્રભા હિન્દુ લોજ’ શરૂ કરી. એ લોજમાં ભાવનગર સ્ટેટના એક નાનકડા ગામડામાંથી મુંબઈ આવીને શ્રી મૂળશંકર પ્રેમજી જોશી નોકરીએ રહ્યા. મુંબઈ વસતા અમારા વડીલો યાદ કરે છે તેમ તેમના માતા-પિતા ઘણી વખત દિવ્યપ્રભા લોજમાં સાંજના સમયે મૂળશંકરભાઈના ભજનો સાંભળવા જતા. નાનપણથી માતાપિતા ગુમાવ્યા હોવા છતાં, સંસ્કારોને આધીન શ્રી મૂળશંકરભાઈએ અનેક ખ્યાતનામ ભજનોની રચના કરી છે જે આજે ભારતભરમાં – વિશ્વમાં ખૂબ ભક્તિભાવપૂર્વક ગવાય છે પણ તેના રચયિતાનું નામ ભાગ્યે જ કોઈને ખબર છે. ‘શંભુ ચરણે પડી, માંગુ ઘડીએ ઘડી…’, ‘હરિ તારા છે હજાર નામ, કયા નામે લખવી કંકોતરી…’, ‘છે મંત્ર મહામંગળકારી ૐ નમ: શિવાય ૐ નમ: શિવાય…’, ‘શું શું ગાવું શું ના ગાવું એમાં મન મારું મૂંઝાણું…’, ‘નારદ કહે છે નારાયણને વધ્યો ભૂમિ પર ભાર…’, ‘હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી…’ જેવા કુલ ૬૩ ભજનો તેમના દ્વારા રચાયેલા છે. આજે પ્રસ્તુત છે તેમાંથી ઉપરોક્ત બે શિવભજનો. મહાશિવરાત્રીના પર્વ પર આ ભજનો ભોળાશંભુને શિવાર્પણ..

Chanchuda Mahadev Temple

બદલો (બાળવાર્તા) – જગદીશ વાટુકીયા 6

આજે પ્રસ્તુત છે શ્રી રતનપર પ્રાથમિક શાળા, મુ. બગદાણા, તા. મહુવામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી જગદીશભાઈ વાટુકીયાની રચિત આ સુંદર બાળવાર્તા. બાળવાર્તાઓની રચના આમ તો સરળ વાત નથી પણ જગદીશભાઈની કલમ અહીં સિદ્ધહસ્ત લાગે છે. આ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ રહેલી તેમની પ્રથમ રચના છે. હાથી અને કીડીના ઘણાં ટુચકા આપણે સાંભળ્યા છે, આજે માણીએ તેમની એક સુંદર વાર્તા. આ રચના અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી જગદીશભાઈનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ.


જોગર્સની કહાની, જોગર્સ પાર્કની જુબાની – મિહિર શાહ 28

સરકારી ઈજનેરી કોલેજ, ચાંદખેડા (અમદાવાદ) ખાતે, એસોસિએટ પ્રોફેસર (ઈલેકટ્રોનિક અને કોમ્યુનિકેશન) તરીકે ફરજ બજાવતા શ્રી મિહિરભાઈ શાહનો આ પ્રથમ લેખ છે. શાળાઓમાઁ આપણે સૌ આત્મકથા લખતા, જીર્ણ થયેલા વડલાની આત્મકથા, સૈનિકની આત્મકથા… વગેરે. પરંતુ આજે પ્રસ્તુત લેખ એ પ્રકારનો આત્મકથાનક હોવા છતાં એ પ્રકારથી અલગ પડે છે. એ આત્મકથાઓ કોઈ વ્યક્તિવિશેષ અથવા સ્થળવિશેષને ધ્યાનમાં રાખીને લખાતી નહીં. જ્યારે આજનો લેખ અમદાવાદના ઈશ્વરભવન પાસે આવેલા જોગર્સપાર્કની વાત આજે મિહિરભાઈએ ફોટાઓ સહિત અહીં મૂકી છે. તેમનો અંદાઝ સરસ છે અને વાંચનારને એ સ્થળે જવા એક વખત તો ચોક્કસ પ્રેરણા આપે જ એવો છે. પ્રસ્તુત કૃતિ અને ફોટોગ્રાફ્સ અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી મિહિરભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


ઓચિંતુ કોઇ મને રસ્તે મળે… – ધ્રુવ ભટ્ટ (Audiocast) 15

અક્ષરનાદના જન્મદિવસે ગત વર્ષથી શરૂ કરેલ આયોજનને આગળ વધારવાના પ્રયત્નરૂપ અક્ષરપર્વ – ૨ ના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે ગત વર્ષે યોજાયેલા અક્ષરનાદના સુંદર પર્વની યાદોમાંથી મેં ગાયેલું એક ગીત આજે પ્રસ્તુત છે. શ્રી ધ્રુવ ભટ્ટનું આ ગીત આમેય મારી કાયમી પસંદગી છે. અને અક્ષરપર્વમાં પણ મેં એ જ ગાયુ હતું. હાર્દિકભાઈ યાજ્ઞિકના સંચાલન હેઠળ યોજાયેલ ‘સૂર ઉમંગી’ આયોજનની આ અનેરી યાદ સતત મનમાં રહી છે, અને એટલે જ આ આયોજનનો વિડીયો પહેલા મૂક્યો હોવા છતાં આજે ફરી તેને ઑડીયો સ્વરૂપે યાદ કરવાનું મન થયું. આશા છે આપને ગમશે. ગત વર્ષે યોજાયેલા અક્ષરપર્વના વિડીયો અહીં ક્લિક કરીને જોઈ શકાય છે.


તમે સંબંધોને નજીકથી નિહાળ્યા છે? – ડૉ. જગદીશ જોશી 9

સેન્ટર ફોર ઑન્ટ્રપ્રનર ડૅવલપમેન્ટમાંથી સેવાનિવૃત્ત થયેલા ડૉ. જગદીશભાઈ જોશીએ તેમના વ્યવસાયકાળમાં મેનેજમેન્ટ ટ્રેઈનર અને બિહેવીયર કાઉન્સીલર તરીકે કામ કર્યું છે. યુવાનોને જીવનમાં સંબંધોને લઈને અનુભવાતી અનેક તકલીફોનું તેમણે અધ્યયન અને વિશ્લેષણ કર્યું છે. તેમના વ્યવસાય દરમ્યાન અચિવમેન્ટ મોટીવેશન ટ્રેઈનીંગ દરમ્યાન અનેક યુવાનોએ તેમને સંબંધો વિશે, પતિ પત્ની વગેરે જેવા સંબંધોમાં ઉભી થતી તકલીફો દૂર કરવા માટે માર્ગદર્શન માંગ્યુ હતું. સંબંધો વિશેની પ્રારંભિક વાત તેઓ આજે આપણી સમક્ષ મૂકી રહ્યા છે. આ વિષયમાં તેમના વિચારો અને અભ્યાસ અક્ષરનાદના વાચકો સાથે ચર્ચાના માધ્યમથી વિશદ બને અને તેનો અનેક મિત્રો લાભ લઈ શકે એ હેતુથી આજે આ અનોખી વાત રજૂ કરી રહ્યા છીએ. અક્ષરનાદને આ પ્રયોગ માટે ઉપર્યુક્ત માધ્યમ માનવા અને પ્રસ્તુત લેખ પાઠવી પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ ડૉ. જગદીશભાઈ જોશીનો ખૂબ ખૂબ આભાર.


સ્વર્ગસ્થ બાને ગઝલાંજલી – જિતેન્દ્ર પ્રજાપતિ 5

ફક્ત એક યુવાન અને એક યુવતિ વચ્ચેના પ્રેમની અભિવ્યક્તિથી આગળ વધીને આજના દિવસે એક અનોખી ગઝલાંજલી આપીએ. શ્રી જિતેન્દ્ર પ્રજાપતિ આજે વેલેન્ટાઈન દિવસે તેમની બે સુંદર ગઝલોના માધ્યમથી આપે છે સ્વર્ગસ્થ બાને એક સ્મરણાંજલિ. સૌથી શાશ્વત અને સનાતન પ્રેમ હોય તો એ છે માંનો પ્રેમ, મમતા અને તેની કાળજી. એ જ ભાવનાઓને કેન્દ્રમાં રાખીને આજે પ્રસ્તુત છે બે ખૂબ સુંદર ગઝલો.


મૂળાક્ષરો : જન્મ અને ઉદય – વિજય જોશી 1

પ્રાચીન કાળમાં ઈજીપ્તની હાઇરોગ્લીફ્સ, મેસેપોટેમિયાની ક્યુનીફોર્મ, ચીનની લોગોગ્રામ કે ઈંડસ વેલીની અજ્ઞાત લિપિ વાપરીને મનુષ્ય એક બીજાના સંપર્કમાં રહેતો હતો, આ બધા પ્રકાર સામાન્ય જનસમુદાયને ઉપલબ્ધ ન હતા. પણ લગભગ ૪૦૦૦ વર્ષ પહેલા જયારે અક્ષરને ચિન્હને બદલે નાદ (અક્ષરનાદ) અવાજ આપવામાં આવ્યો ત્યારથી અક્ષરોએ એમનો ચમત્કાર બતાવવાનું શરૂ કર્યું. અક્ષરો એ ભાષાના વસ્ત્રો છે – આભૂષણો છે. ભાષાએ વસ્ત્રો પહેરવાનું ક્યારે શરૂ કર્યું એની તપાસ કરીએ. ખાસ ધ્યાનમાં રાખવાની વાત એ છે કે આપણે અહી મૂળાક્ષરો અને લિપિ વિષેના સંશોધનની ચર્ચા કરીએ છીએ. બોલીની ભાષા દરેક દેશમાં ઘણી પ્રાચીન છે. વેદ અને ઉપનિષદો તો હજારો વર્ષોથી બોલાતા હતા પણ એ લખવાની ક્રિયા ઘણી મોડી ચાલુ થઈ.


કૉપી પેસ્ટની કવિતા – જિજ્ઞેશ અધ્યારૂ 14

આજની ફેસબુક પર કાંઈક સ્ટેટસ અપડેટ મૂકવા માટે ઝૂરતી, ટ્વિટર પર 140 શબ્દોમાં ગીતાસાર સમાવવા મથતી પેઢીને અને તેની ઝડપથી મજેદાર અને ચટાકેદાર એવા વિધાનો – રચનાઓ શોધી કૉપી પેસ્ટ કર્યા કરવાની, લાઈક પામવાનેી, કૉમેન્ટ પામવાની, રિટ્વિટ મેળવવાની ઘેલછાને ઉપરોક્ત ગઝલ – કાવ્ય સાદર.


I too had a love story (પુસ્તક સમીક્ષા) – જીજ્ઞેશ અધ્યારૂ 6

મુંબઈ એરપોર્ટ પર ફ્લાઈટ ત્રણ કલાક મોડી હોવાથી સમય પસાર કરવા બુકશૉપમાં પ્રવેશ્યો. ત્યાં જ મારા હાથમાં આવ્યું પુસ્તક “Can Love happen Twice” પુસ્તકની ઉપરના વાક્યએ મારુ ધ્યાન ખેંચ્યુઁ. – The Sensational and much awaited novel by Best selling author of I too had a love story. મેં બુકશૉપમાંના બહેનને એ પુસ્તક વિશે પૂછ્યું તો તેમણે પાસેના ઘોડા તરફ નિર્દેશ કર્યો. આ પુસ્તકનું નામ અને તેના લેખકનું નામ મેં ક્યારેય સાંભળ્યું હોય એવું યાદ આવ્યું નહીં. પણ પેલા બહેન કહે, “બઢિયા પઢનેલાયક કિતાબ હૈ” એટલે ત્યાંથી મેં એ પુસ્તક ખરીદી લીધું.

I too had a love story

વાઘરીવાડની રૂડકી – સુન્દરમ 7

પ્રસ્તુત રચનામાં રૂડકીનું અનોખું ચિત્ર કવિ શ્રી સુન્દરમ ઉપસાવી આપે છે. 1933માં લખાયેલું હોવાથી આ કાવ્ય સહજરીતે અત્યારે વપરાશમાં ખૂબ ઓછા એવા શબ્દો ધરાવે છે. રૂડકીનું પાત્ર અને તેની વિવિધ ક્રિયાઓ સાથે એંઠવાડમાંથી ભોજન પામવાની તેની મથામણ, બાળકોને ખવડાવવાની તેની ઈચ્છા વગેરે કવિએ એવું તે આબેહૂબ ઉપસાવ્યું છે કે એ ચિત્ર આંખો સામે ખડું થઈ જાય.


અવધૂત ગુરૂ દત્તાત્રેય અને તેમના ૨૪ ગુરૂઓ – વિનોદ માછી 4

ભારતીય ઇતિહાસમાં એક મહાન ઋષિ થઇ ગયા, તેમનું નામ હતું ગુરૂ દત્તાત્રેય. એકવાર યાદવ કુળના પ્રમુખ યદુ મહારાજ તેમને મળવા આવ્યા અને પ્રશ્ન પૂછ્યો કે મહાત્માજી, આ૫ આટલા મહાન જ્ઞાની, વ્યનવહાર કુશળ અને દરેક પ્રકારે જીવનમાં સફળ કેવી રીતે બન્યા? આ ભયાનક ખટપટથી ભરેલા સંસારમાં રહીને તમારી બુધ્ધિમત્તા, કર્મનિપુણતા, દક્ષતા અને તેજસ્વીતા કેવી રીતે ટકી રહી? કામ ક્રોધમાં બળવાવાળી આ દુનિયામાં રહીને સમાધાની, તૃપ્ત, સંતૃષ્ટ અને પ્રસન્ન તમે કેવી રીતે રહી શકો છો? અવધૂત ગુરૂ દત્તાત્રેય ઋષિએ સમજાવ્યું કેઃ હે રાજા, મેં બૃધ્ધિના વિકાસ માટે તથા વિશ્વમાં પોતાને સુરક્ષિત અને સફળ બનાવવા કુલ ૨૪ જીવો તથા ૫દાર્થોની પાસેથી તેમને ગુરૂ માનીને તેમની પાસેથી બોધ પ્રાપ્ત કર્યો છે. પોતાની સન્મુખ ઉપસ્થિત તમામ ૫દાર્થોના વિશેષ ગુણોને સમજીને તેને જીવનમાં અ૫નાવી લેવા, તેનામાંથી શિક્ષણ પ્રાપ્ત કરવું એ જ વાસ્તવિક શિષ્ય ભાવ છે. ઘણા લોકો એક જ ગુરૂ કે એક જ પ્રકારનું વિશેષ જ્ઞાન પ્રદાન કરે છે તેમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું ઇચ્છેણ છે, પરંતુ ઋષિએ સમજાવ્યું કેઃ જયાં સુધી પૂર્ણતઃ જ્ઞાન પ્રાપ્ત ના થાય ત્યાં સુધી અલગ અલગ વિષયોના ગુરૂઓને ધારણ કરતા રહો.


વાંચે ગુજરાત કે ગુજરાતીનું વાંચન! (?) – અશોક વૈષ્ણવ 11

ગત સપ્તાહમાં અલગ અલગ જ્ગ્યાએ અલગ અલગ સંદર્ભમાં ‘વાંચન’ અને ‘ગુજરાતી’વિષે વાંચવાનો યોગ થયો. ગુજરાતીઓ “વાંચે” છે, વાંચનપ્રત્યેની તેમની આગવી અભિરૂચીઓ પણ છે અને આ વર્ગ સંખ્યાબળમાં સાવ નગણ્ય તો નથી જ તેમ તો જણાય જ છે. એટલે હવે તો ગુજરાતને વાંચતુ કરવા માટે કોઇપણ પ્રકાશનની સાઈટ પર જઇને કે નજદીકનાં વાંચનાલયમાં જઇ ને કે પછી સ્ટૉરમાં જઇને કે પછી પોતાનાં કોપ્યુટર કે ટૅબ્લૅટપર ઉતારીને સહેલાઇથી જે ઇચ્છો તે વાંચી શકો તેવી સગવડ હાથવેંત થવી જોઇએ. ગુજરાતી બાળકને નાનપણ અને કિશોરાવસ્થાથી જ અન્ય સ્પર્ધાત્મક પ્રવૃતિઓની સરખામણીમાં વાચનનું આકર્ષણ થાય તો તે વયથીજ વાંચનની ટેવ વિકસે. તે માટે ખાસ પ્રયત્નોપણ કરવા જોઇએ.


કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૨૧ 9

અનેક ઉપયોગી વેબસાઈટ્સ વિશે જાણકારી આપતી આ શૃંખલાની દરેક કડીને વાચકો તરફથી સુંદર પ્રતિસાદ મળ્યો છે. ક્લિક્સના આંકડા બતાવે છે તેમ આ શૃંખલા અક્ષરનાદની સફળ શૃંખલાઓમાં બીજા ક્રમે આવે છે. દરેક વખતે પાંચ અથવા છ ઉપયોગી વેબસાઈટ્સની યાદી સાથે તેમના વપરાશ માટેની ટૂંકી નોંધ મૂકવામાં આવે છે. આશા છે આજે બતાવેલી વેબસાઈટ્સ આપને ઉપયોગી થશે.


મેકબેથ – શેક્સપીયર (પ્રસ્તાવક : વિજય જોશી) 4

અક્ષરનાદના સંપાદકમંડળમાં હમણાં જ જોડાયેલા શ્રી વિજયભાઈ જોશીની સહસંપાદક તરીકે આ પ્રથમ કૃતિ છે. શેક્સપીયરના પ્રચલિત નાટક મેકબેથની અહીં તેમણે સારાંશ આપવાનો યત્ન કર્યો છે. સ્કોટલેન્ડમાં ૧૧મી સદીમાં જન્મેલા રાજા મેકબેથ પર આધારિત હોવા છતાં ખરા મેકબેથ સાથે તેને બહુ ઓછું સામ્ય છે. શેક્સપીઅરે આ કાલ્પનિક નાટક ઈ.સ. ૧૬૦૬ માં લખ્યું હતું.