Monthly Archives: December 2010


ગુજરાતી (ઇન્ટરનેટ) સાહિત્ય વિશે એક દ્રષ્ટિકોણ – ડૉ. નિરંજન રાજ્યગુરૂ 4

શબ્દસૃષ્ટિ સામયિકનો ડિસેમ્બર ૨૦૧૦નો અંક વાંચી રહ્યો હતો ત્યારે તેના છેલ્લા થોડાંક પૃષ્ઠો પર ‘સંવાદ – વિવાદ’ ના વિભાગ તરફ નજર ગઈ. વાંચકો ને ભાવકોના પ્રતિભાવો – પ્રત્યાઘાતો દર્શાવતા આ વિભાગમાં પ્રસ્તુત અંકમાં દીપોત્સવી વિશેષાંક ‘પાંચ દાયકાનું પરિદર્શન’ ના લેખો વિશે અનેક પ્રતિભાવો વડે સમૃદ્ધ હતો. સાહિત્યના અનેક સ્વરૂપો અને તેની ક્ષમતાઓ વિશે ચર્ચા કરતો પ્રસ્તુત પ્રતિભાવ શ્રી નિરંજનભાઈ રાજ્યગુરૂનો છે. ઈન્ટરનેટના-ગુજરાતી બ્લોગ વેબસાઈટ જગતના સાહિત્ય વિશે પણ અહીં વાત કરાઈ છે. એ પ્રતિભાવ અહીં પ્રસ્તુત કર્યો છે.


શહેરમાં વસતો માણસ અને માણસમાં વસતું નગર – અખંડ વ્યાસ 16

અખંડ વ્યાસના બે સુંદર પુસ્તકો ‘છાંયડી’ તથા ‘શહેરમાં વસતો માણસ અને માણસમાં વસતું નગર’નું વિમોચન રવિવાર તા. ૨૬ ડિસેમ્બરે અમદાવાદ ખાતે કરવામાં આવ્યું. શ્રી ચિનુભાઈ મોદી, શ્રી ના હસ્તે પુસ્તકનું વિમોચન થયું આ પ્રસંગે ત્રણેય મહાનુભાવોએ ભાવકોને પુસ્તકનો રસાસ્વાદ તથા વિવિધ પાસાઓનું આલેખન કર્યું. આ સુંદર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટેના આમંત્રણ તથા પુસ્તકો બદલ શ્રી અખંડ વ્યાસ અને શ્રીમતિ બિનીતા વ્યાસનો ખૂબ ખૂબ આભાર. કલાકૃતિઓ જેવા સાદ્યાંત સુંદર બંને પુસ્તકોની અપાર સફળતા માટે ખૂબ શુભકામનાઓ.


ગંગાસતીના ૫૨ ભજનો (પુસ્તક ડાઊનલોડ) 5

સૌરાષ્ટ્રની મીરા ગંગસતીના ૫૨ ભજનોના સંગ્રહરૂપ પુસ્તકને આજે અક્ષરનાદ પર ડાઊનલોડ માટે ઉપલબ્ધ કરાઈ રહ્યું છે એ અત્યંત આનંદનો સમય છે. આ વિશે પહેલા ગંગાસતીનું અધ્યાત્મ દર્શન એ વિષય પર સંતવાણી ૨૦૧૦માં અપાયેલ શ્રી ભાણદેવજીનું વક્તવ્ય પ્રસ્તુત કર્યું હતું. તેના અનુસંધાને આ પુસ્તક ઉપયોગી નિવડશે. આ પુસ્તકના આરંભે આપેલ ગંગાસતી પરિચય શ્રી નિરંજન રાજ્યગુરૂ દ્વારા લખાયેલ છે, એ બદલ તેમનો આભાર માનીએ એટલો ઓછો પડે.


અભિનેત્રી – અંશુ જોશી (ટૂંકી વાર્તા) 2

અમદાવાદ નિવાસી શ્રી અંશુભાઈની પ્રસ્તુત ટૂંકી વાર્તા એક સ્ત્રીના જીવનની અનોખી વ્યથાનું શબ્દસ્વરૂપ વર્ણવે છે. સતત પ્રવાહમાં વહાવતી અને છતાંય અંત માટે પકડી રાખતી આ વાત સાદ્યાંત માણવાલાયક રચના છે. અક્ષરનાદને પ્રસ્તુત રચના મોકલવા બદલ શ્રી અંશુભાઈ જોશીનો ખૂબ ખૂબ આભાર.


રામાયણમાં રહીમ ને કુરાનમાં કૃષ્ણ – હાર્દિક યાજ્ઞિક 22

૨૫ ડિસેમ્બરે અવસર પરિવાર, વડોદરાની બીજી બેઠકમાં જેમની એકથી એક જોરદાર એવી રચનાઓએ ખૂબ દાદ મેળવી એ મિત્ર શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિકની એમાંની એક રચના અત્રે પ્રસ્તુત છે. અને આ ત્રણ રચના સિવાય હાર્દિકભાઈની એક અન્ય રચના મિત્ર શ્રી મહેશભાઈએ ગાઈ પણ હતી. અલ્લાહ અને ઈશ્વરની અદલાબદલીનો ખ્યાલ અને ચાલને… આમ કરી જોઈએ ની વિભાવના કેટલી સુંદર રીતે વ્યક્ત થઈ છે !


અક્ષરનાદ તરફથી પ્રથમ લોકમત અને ભેટ યોજના 2

અક્ષરનાદ પર આવતા થોડા મહીનાઓમાં, એક અગ્રગણ્ય અંગ્રેજી બ્લોગ તરફથી આમંત્રણને લીધે અને તેમની સાથે સહયોગને લીધે એક અનોખો અવસર ઉભો થઈ રહ્યો છે. આ ટેકનીકલ બ્લોગની પ્રસિદ્ધ થયેલી મોટા ભાગની ઈ-પુસ્તકો ભાષાંતર કરીને ડાઊનલોડ વિભાગમાં મૂકવાની પરવાનગી મળી છે. આ ઈ પુસ્તકોમાંનું પ્રથમ પુસ્તક ટૂંક સમયમા અક્ષરનાદ પર પ્રસિદ્ધ થનાર છે, જો કે એ તદ્દન મફત હશે કે નહીં એ વિષય હજુ વિચારણા હેઠળ છે. પરંતુ પ્રથમ ભાષાંતરીત ઈ-પુસ્તક ત્રણ મિત્રોને ભેટ આપવા માટે નક્કી કરાયું છે. વાંચો એ મેળવવા માટે જરૂરી વિગતો.


ગંગાસતીનું અધ્યાત્મ દર્શન – ભાણદેવ (સંતવાણી વિચારગોષ્ઠી ૨૦૧૦ – ભાગ ૭) 10

એક નવી શરૂઆતના આયામને ઉપસાવતી સંતવાણી વિશેની એક વિચારગોષ્ઠીનું આયોજન કારતક વદ બીજ, 23 નવેમ્બર 2010 ને મંગળવારે, સાંજે ૪ થી ૭ વાગ્યા દરમ્યાન તલગાજરડા, ચિત્રકૂટધામ ખાતે કરાયું હતું. ભજન વિશેની વિચારગોષ્ઠિમાં – ચર્ચામાં ત્રણ વિદ્વાનો ડૉ. નિરંજન રાજ્યગુરુ, ડૉ. નાથાલાલ ગોહિલ અને ભાણદેવજીના વિવિધ રસપ્રદ વિષયો પર વિચારો વ્યક્ત થયા તેનો એક અહેવાલ અહીં મૂકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એ અંતર્ગત આજે ભાણદેવજીના ‘ગંગાસતીનું અધ્યાત્મદર્શન’ એ વિષય પરના વિચારો અને સંશોધન પ્રસ્તુત છે.


ગંગાસતીનું અધ્યાત્મ દર્શન – ભાણદેવ (સંતવાણી વિચારગોષ્ઠી ૨૦૧૦ – ભાગ ૬) 3

એક નવી શરૂઆતના આયામને ઉપસાવતી સંતવાણી વિશેની એક વિચારગોષ્ઠીનું આયોજન કારતક વદ બીજ, 23 નવેમ્બર 2010 ને મંગળવારે, સાંજે ૪ થી ૭ વાગ્યા દરમ્યાન તલગાજરડા, ચિત્રકૂટધામ ખાતે કરાયું હતું. ભજન વિશેની વિચારગોષ્ઠિમાં – ચર્ચામાં ત્રણ વિદ્વાનો ડૉ. નિરંજન રાજ્યગુરુ, ડૉ. નાથાલાલ ગોહિલ અને ભાણદેવજીના વિવિધ રસપ્રદ વિષયો પર વિચારો વ્યક્ત થયા તેનો એક અહેવાલ અહીં મૂકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એ અંતર્ગત આજે ભાણદેવજીના ‘ગંગાસતીનું અધ્યાત્મદર્શન’ એ વિષય પરના વિચારો અને સંશોધન પ્રસ્તુત છે.


આરાધ સ્વરૂપ દર્શન – નિરંજન રાજ્યગુરુ (સંતવાણી વિચારગોષ્ઠી ૨૦૧૦ – ભાગ ૫) 1

એક નવી શરૂઆતના આયામને ઉપસાવતી સંતવાણી વિશેની એક વિચારગોષ્ઠીનું આયોજન કારતક વદ બીજ, 23 નવેમ્બર 2010 ને મંગળવારે, સાંજે ૪ થી ૭ વાગ્યા દરમ્યાન તલગાજરડા, ચિત્રકૂટધામ ખાતે કરાયું હતું. ભજન વિશેની વિચારગોષ્ઠિમાં – ચર્ચામાં ત્રણ વિદ્વાનો ડૉ. નિરંજન રાજ્યગુરુ, ડૉ. નાથાલાલ ગોહિલ અને ભાણદેવજીના વિવિધ રસપ્રદ વિષયો પર વિચારો વ્યક્ત થયા તેનો એક અહેવાલ અહીં મૂકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એ અંતર્ગત આજે ડૉ. નિરંજન રાજ્યગુરુના ‘આરાધ સ્વરૂપ વિચાર’ એ વિષય પરના વિચારો અને સંશોધન પ્રસ્તુત છે.


આરાધ સ્વરૂપ દર્શન – નિરંજન રાજ્યગુરુ (સંતવાણી વિચારગોષ્ઠી ૨૦૧૦ – ભાગ ૪) 1

એક નવી શરૂઆતના આયામને ઉપસાવતી સંતવાણી વિશેની એક વિચારગોષ્ઠીનું આયોજન કારતક વદ બીજ, 23 નવેમ્બર 2010 ને મંગળવારે, સાંજે ૪ થી ૭ વાગ્યા દરમ્યાન તલગાજરડા, ચિત્રકૂટધામ ખાતે કરાયું હતું. ભજન વિશેની વિચારગોષ્ઠિમાં – ચર્ચામાં ત્રણ વિદ્વાનો ડૉ. નિરંજન રાજ્યગુરુ, ડૉ. નાથાલાલ ગોહિલ અને ભાણદેવજીના વિવિધ રસપ્રદ વિષયો પર વિચારો વ્યક્ત થયા તેનો એક અહેવાલ અહીં મૂકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એ અંતર્ગત આજે ડૉ. નિરંજન રાજ્યગુરુના ‘આરાધ સ્વરૂપ વિચાર’ એ વિષય પરના વિચારો અને સંશોધન પ્રસ્તુત છે.


ભજન સાહિત્યનો ઈતિહાસ – નાથાલાલ ગોહિલ (સંતવાણી વિચારગોષ્ઠી ૨૦૧૦ – ભાગ 3)

એક નવી શરૂઆતના આયામને ઉપસાવતી સંતવાણી વિશેની એક વિચારગોષ્ઠીનું આયોજન કારતક વદ બીજ, 23 નવેમ્બર 2010 ને મંગળવારે, સાંજે ૪ થી ૭ વાગ્યા દરમ્યાન તલગાજરડા, ચિત્રકૂટધામ ખાતે કરાયું હતું. ડૉ. નાથાલાલ ગોહિલ ભજન સાહિત્યના ઈતિહાસ વિશે ઘણી ઉઁડાણપૂર્વકની અને તલસ્પર્શી જાણકારી લઈને આવ્યા હતા, આજના બે ભાગના આ વક્તવ્યમાં તેમનું આખું વિવરણ અહીં શબ્દશ: સમાવવાનો પ્રયત્ન કર્યો છે.


ભજન સાહિત્યનો ઈતિહાસ – નાથાલાલ ગોહિલ (સંતવાણી વિચારગોષ્ઠી ૨૦૧૦ – ભાગ ૨)

એક નવી શરૂઆતના આયામને ઉપસાવતી સંતવાણી વિશેની એક વિચારગોષ્ઠીનું આયોજન કારતક વદ બીજ, 23 નવેમ્બર 2010 ને મંગળવારે, સાંજે ૪ થી ૭ વાગ્યા દરમ્યાન તલગાજરડા, ચિત્રકૂટધામ ખાતે કરાયું હતું. ડૉ. નાથાલાલ ગોહિલ ભજન સાહિત્યના ઈતિહાસ વિશે ઘણી ઉઁડાણપૂર્વકની અને તલસ્પર્શી જાણકારી લઈને આવ્યા હતા, આજના બે ભાગના આ વક્તવ્યમાં તેમનું આખું વિવરણ અહીં શબ્દશ: સમાવવાનો પ્રયત્ન કર્યો છે.


સંતવાણી વિચારગોષ્ઠી ૨૦૧૦ – ભાગ ૧ 2

એક નવી શરૂઆતના આયામને ઉપસાવતી સંતવાણી વિશેની એક વિચારગોષ્ઠીનું આયોજન કારતક વદ બીજ, 23 નવેમ્બર 2010 ને મંગળવારે, સાંજે ૪ થી ૭ વાગ્યા દરમ્યાન તલગાજરડા, ચિત્રકૂટધામ ખાતે કરાયું હતું. ભરપૂર વરસતા વરસાદમાં અમે આ વિચારગોષ્ઠીનું શ્રવણ કરવાનો લહાવો લેવા પહોંચ્યા. જેમ જેમ અહીં વિદ્વાનોના ભજન અને ભજન ઈતિહાસ તથા પરંપરાઓ વિશેના વિચારો વ્યક્ત થયા તેમ તેમ મેઘરાજાએ પણ તેમની અવરિત વર્ષા ચાલુ રાખી. ભજન ચર્ચામાં ત્રણ વિદ્વાનો ડૉ. નિરંજન રાજ્યગુરુ, ડૉ. નાથાલાલ ગોહિલ અને ભાણદેવજીના વિવિધ રસપ્રદ વિષયો પર વિચારો વ્યક્ત થયા તેનો એક અહેવાલ અહીં મૂકવાનો પ્રયત્ન રહેશે.


ને હું એકલો – અલ્પ ત્રિવેદી 7

શ્રી હરેશભાઈ ત્રિવેદી, ‘અલ્પ’ આપણા અનોખા ગઝલકાર છે અને ટૂંકી બહેરની ગઝલોની રચનામાં તેમની હથોટી ખૂબ પ્રસંશા પામી છે. પ્રસ્તુત ગઝલ તેમના ગઝલસંગ્રહ પછી… માંથી લેવામાં આવી છે. ગઝલસંગ્રહ પછી… નો આસ્વાદ આપણે આ પહેલા અક્ષરનાદ પર માણ્યો હતો. ‘ને હું એકલો’ એવા અસામાન્ય રદીફનો ઉપયોગ કરીને તેમણે અનેરી સુંદરતા સર્જી છે સાથે ગઝલનો આંતરીક ભાવ પોતાની એકલતાથી શરૂ થાય છે અને પછી વિસ્તરતો જાય છે, ગઝલના અંત તરફ જતાં એ વિશ્વમાં વ્યાપ્ત થઈ જાય છે.


૧૭મી સદીના અગ્રગણ્ય વિચારક બેનેડિક્ટ સ્પિનોઝાની કલમે…

બારૂચ સ્પિનોઝા (૧૬૩૨-૧૬૭૭) અથવા બેનેડિક્ટ સ્પિનોઝા નેધરલેન્ડ મૂળના યહુદી તત્વચિંતક હતાં. આજથી સાડા ત્રણસો વર્ષ પહેલાના એ સમયમાં તેમણે ચર્ચનો, પાદરીઓની અમર્યાદ સત્તાનો અને ઈશ્વરના દૂત બની બેઠેલા કહેવાતા ગુરૂઓનો ભારે વિરોધ કર્યો. તેમના વિચારો અન્ય લોકોને પચાવવા મુશ્કેલ હતાં. ઈશ્વર સિવાય બીજા કોઈની પણ સત્તા સ્વીકારવાનો તેમણે ઈનકાર કર્યો. વૈજ્ઞાનિક તથ્યોથી ભરપૂર તેમના રેશનાલિસ્ટ વિચારોનો આજથી લગભગ સાડા ત્રણસો વર્ષ પહેલાના રૂઢિચુસ્ત અને બંધીયાર સમાજજીવનવાળા એ સમયમાં ભરપૂર વિરોધ થયો, યહૂદીઓએ તેમના વિરુદ્ધ ફરમાન જાહેર કરી તેમને અલગ કર્યા તો કેથલિક ધર્મપંથે તેમના પુસ્તકોને પ્રતિબંધિત કર્યા. તેમના વિચારો તલસ્પર્શી, માર્ગદર્શક અને વિવેચનાત્મક તથા સંશોધનાત્મક તથ્યોથી ભરપૂર રેશનાલિસ્ટ વિચારો હતાં. ડચ વિરોધીઓએ તેમના કેટલાક પુસ્તકોને બાળી મૂકેલા, તેમના મૃત્યુ પછીના કેટલાય વર્ષો સુધી પણ તેમના લખાણોનો જોઈએ તેવો પ્રચાર થયો નહીં. આજે તેમને ૧૭મી સદીના રેશનાલિસ્ટોમાં અગ્રગણ્ય માનવામાં આવે છે. આજે તેમના પુસ્તક ‘એથિક્સ’ ના અંશોના ભાવાનુવાદનો પ્રયત્ન કર્યો છે.


ભગત પીપાજી મહારાજનું પીપાવાવ – જીજ્ઞેશ અધ્યારૂ (ભાગ-૨) 10

અત્યારે જેના નામનો વિશ્વના દરીયાઈ વેપારના નકશા પર ડંકો વાગી રહ્યો છે એવા, ખાનગીક્ષેત્રની હિંમત અને ધગશના પરીણામરૂપ, ગુજરાતના એક અત્યંત મહત્વાકાંક્ષી એવા પીપાવાવ પોર્ટ અને પીપાવાવ શિપયાર્ડનું નામ જે મહાન સંત વિભૂતિના નામ પરથી પડ્યું છે તે હતાં સંત પીપાજી જેઓ તેમના પૂર્વાશ્રમમાં મહારાજ પીપારાવ હતાં. સ્વામી રામાનંદના આશ્રયે આત્મખોજનો માર્ગ શોધતાં તેઓ ઝાલાવાડથી કાશી ત્યાંથી દ્વારકા અને ત્યાંથી અત્યારના પીપાવાવ ગામ સુધી પહોંચ્યા. તેમના વિશે અનેક માહિતિ ટુકડે ટુકડે મળતી હતી, પીપાવાવમાં ચાર વર્ષથી વધુ સમયથી હોવા છતાં આ આખી વિગત ભેગી કરવામાં ખૂબ સમય લાગ્યો. એ બધુ ભેગુ કરીને આ લેખ તૈયાર કર્યો છે. ઐતિહાસીક તથ્યો હોવાથી ક્યાંક વિગત દોષની સંભાવના તો છે જ. અનેક મિત્રો વડીલોના સહકારે આ આખોય લેખ તૈયાર થયો છે, એ માટે તે સર્વેનો ખૂબ આભાર.


ભગત પીપાજી મહારાજનું પીપાવાવ – જીજ્ઞેશ અધ્યારૂ (ભાગ-૧) 1

અત્યારે જેના નામનો વિશ્વના દરીયાઈ વેપારના નકશા પર ડંકો વાગી રહ્યો છે એવા, ખાનગીક્ષેત્રની હિંમત અને ધગશના પરીણામરૂપ ગુજરાતના એક અત્યંત મહત્વાકાંક્ષી એવા પીપાવાવ પોર્ટ અને પીપાવાવ શિપયાર્ડનું નામ જે મહાન સંત વિભૂતિના નામ પરથી પડ્યું છે તે હતાં સંત પીપાજી જેઓ તેમના પૂર્વાશ્રમમાં મહારાજ પીપારાવ હતાં. સ્વામી રામાનંદના આશ્રયે આત્મખોજનો માર્ગ શોધતાં તેઓ ઝાલાવાડથી કાશી ત્યાંથી દ્વારકા અને ત્યાંથી અત્યારના પીપાવાવ ગામ સુધી પહોંચ્યા. તેમના વિશે અનેક માહિતિ ટુકડે ટુકડે મળતી હતી, પીપાવાવમાં ચાર વર્ષથી વધુ સમયથી હોવા છતાં આ આખી વિગત ભેગી કરવામાં ખૂબ સમય લાગ્યો એ બધુંય ભેગું કરીને આ લેખ તૈયાર કર્યો છે. ઐતિહાસીક તથ્યો હોવાથી ક્યાંક વિગત દોષની સંભાવના તો છે જ. અનેક મિત્રો વડીલોના સહકારે આ આખોય લેખ તૈયાર થયો છે, એ માટે તે સર્વેનો ખૂબ આભાર.


ભોલારામની ત્રણ છબી – મકરન્દ દવે

પ્રશ્ન તો એ થવો જોઈએ કે આ ભોલારામ કોને કહેવાયું છે? ત્રણે છબીઓ અલગ અલગ છે, ત્રણેયમાં ભોલાને અલગ રૂપમાં કલ્પીને કવિએ એક અનોખો તાર રણઝણાવ્યો છે, ત્રણેય રચનાઓમાં ભોલારામ કોણ એ સહજ સ્પષ્ટ થતાં વાર નથી લાગતી, પણ તોય, શું એ વિચાર, એ માનવું કે “ભોલારામ આના માટે કહેવાયું છે” અંતિમ સત્ય છે? ક્યાંય ત્રણેય છબીઓ એક થતી દેખાતી હોય એવો કોઈ ત્રિભેટો આંખોને દેખાય છે ખરો? શ્રી મકરન્દ દવેની રચનાઓને સમજવા અને સમજાવવા માટે ક્યાંક વિચારનો પ્રસાર અને વિસ્તાર ખૂબ નાનો પડતો જણાય એ અનુભૂતી ખૂબ સહજ છે, આશા છે એથી વધુ આપને પહોંચે.


તડ ને ફડ – વર્ષા જોષી 9

કેટલીક વખત આપણી પોતાની માન્યતાઓ અને ધારણાઓ વાતને કેવી ખોટા વિચારે પરોવી આપે છે એવું દ્રષ્ટાંત તાદ્દશ્ય કરતી પ્રસ્તુત વાર્તા ખરેખર આંખ ઉઘાડનારી ઘટના જેવી છે. મનજી એ આપણા ગ્રામ્યસમાજના માનસનો પડઘો છે, એ જેટલો નિખાલસ છે એટલો જ તરત નિર્ણય લઈ લેનારો પણ છે, તો શારદા એક ગૃહિણી હોવા ઉપરાંત એક પ્રેમાળ અને કાળજી લેનારી પત્ની પણ છે, એ વાતનો અહેસાસ આ વાર્તા વાંચ્યા પછી સહેજે થાય. ખૂબ સુંદર ગૂંથણી સાથેનો સતત વાર્તા પ્રવાહ આ ટૂંકી વાર્તાને અનેરા રંગે રંગી જાય છે.


રાજના વેર – હાર્દિક યાજ્ઞિક 11

એક વાર્તાની સાથે સાથે તેની પૂરક અથવા સમાંતર ચાલતી બીજી વાત મૂળ વાર્તાના પરિપ્રેક્ષ્યમાં મૂકવામાં આવે તો વાર્તાની અસરકારકતામાં અનેરો બદલાવ આવે છે. રા’ નવઘણની વાતના તાર સાથે ચાલતી વાર્તાની મુખ્ય ધારા એવી સરસ રીતે ભળી જાય છે કે વાર્તાનો એક અભિન્ન અંગ બની જાય છે. અક્ષરનાદના વાચક મિત્ર શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિક દૂરદર્શન અમદાવાદમાં ન્યૂઝરીડર તરીકે ફરજ બજાવે છે. પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને મોકલવા તથા પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. તેમની કલમે આવી વધુ કૃતિઓ મળતી રહે તેવી અનેક શુભકામનાઓ.


દેશ માટે બળતરા અને ચચરાટ… – પ્રવીણ ઠક્કર 6

કવિવર રવિન્દ્રનાથ ટાગોરે ઇશ્વરને સંબોધીને પ્રાર્થના કરી છે. પ્રાર્થના કોઇ અંગત સ્વાર્થ માટેની નથી. ભારત દેશ કેવો હોવો જોઇએ; તે માટે તેમના મનમાં એક ચિત્ર છે, દેશ માટે દિલમાં અરમાન છે. દેશ માટે ગૌરવ હોવાની વાત છે. પોતાનો દેશ પોતાને ગમે તેવો તો હોવો જોઇને? માતૃભૂમિ પ્રત્યેના અનેરા પ્રેમે કરીને આ મહર્ષિએ ઇશ્વર સમક્ષ માંગણી કરી છે. દેશ વિશે કવિવરને જે અપેક્ષા છે; તેની પ્રાર્થના પ્રયોજીને મહર્ષિએ ઇશ્વરને તે સંભળાવી છે. દુનિયાએ તે પ્રાર્થનાને કવિતા તરીકે ઓળખી છે. ક્યાં આ આશા અને સોનેરી સ્વપ્ન !! પરંતુ આજે વાસ્તવિક સ્થિતિ…. થોડુંક મનોમંથન કરાવતી અને ચચરાટ ઠાલવતી પ્રવીણભાઈની કલમે વિચારધારા.


‘અલબેલા’ ની દરિયાઈ સાહસકથા – હસમુખ અબોટી 6

આપણા સાહિત્યમાં દરિયાઈ સાહસકથાઓનું આગવું સ્થાન છે, સત્યઘટના પર આધારિત શ્રી ગુણવંતરાય આચાર્યની રચના એવી ‘હાજી કાસમની વીજળી’ હોય કે ‘દરિયાલાલ’, ‘સક્કરબાર’ હોય કે ‘દરીયાપીર’, એ બધીય વાતો જકડી રાખનારી દરિયાઈ સાહસકથાઓ છે, ગુજરાતના કિલોમીટરો લાંબા દરિયાકિનારા અને પેઢીઓથી ચાલતી દરિયાઈ ખેડને લઈને અનેક કથાઓ અને ઘટનાઓ પ્રચલિત થઈ છે. માડાગાસ્કર જવા રવાના થયેલ જહાજ ‘અલબેલા’ ની સફરનો અંતિમ ભાગ ખૂબજ મુશ્કેલ રહ્યો અને તેનો કેવો કારમો અંત આવ્યો તેની વાત પ્રસ્તુત રચનામાં શ્રી હસમુખ અબોટી દ્વારા તાદ્દશ થઈ છે. હવે આવી સાહસકથાઓની રચના ભાગ્યે જ થાય છે, આશા કરીએ કે આપણા લોકોના કૌવત અને આવડતને દર્શાવતી આવી વધુ કૃતિઓ આપણને મળતી રહે. દરિયાઈ પારિભાષિક શબ્દોનો અર્થ સહિતનો એક નાનકડો સંગ્રહ પણ વાતને અંતે આપ્યો છે.


અમાસની રાતનું અજવાળુ – ચિંતન શેલત 3

પ્રસ્તુત રચના અમદાવાદથી અક્ષરનાદના વાંચકમિત્ર ચિઁતનભાઈ શેલતની છે. દીવાની જ્યોતમાં બળી મરતા પતંગીયાની વાતને કેન્દ્રસ્થાને રાખીને એક પ્રેમીના હ્રદયની વાત કહેવાનો તેમણે પ્રયાસ કર્યો છે, પ્રકાશના વિવિધ સ્ત્રોતોને દર્શાવીને – સરખામણી કરીને તેમણે અનોખી સુંદરતા સર્જી છે. આ સુંદર રચના અક્ષરનાદને મોકલવા બદલ શ્રી ચિંતનભાઈનો ખૂબ ખૂબ આભાર.


યુવાની એટલે… – મનોજ ખેની 5

યુવાન કોને કહેશો? યુવાન અને તરવરાટ અથવા યુવાન અને હદોને તોડીને સમગ્રમાં વ્યાપી જવાની આવડત એટલે યુવાની એવી જડ થઈ ગયેલી માન્યતા બધે વ્યાપેલી છે, પણ શું ફક્ત આ જ યુવાની છે? તો આપણી આસપાસ પચ્ચીસ વર્ષના વૃદ્ધો અને પંચોતેર વર્ષના યુવાનોને કઈ વ્યાખ્યામાં બાંધીશું? યુવાની વિશેનો અનોખો અને એક સરસ વિચાર પ્રસ્તુત લેખમાં સાદ્યાંત જોવા મળશે. સૂરતથી દર મહીને પ્રકાશિત થતા માસિક જીવનયાત્રીના એક અંકમાંથી આ તંત્રીલેખ લીધો છે, શ્રી મનોજ ખેની આ માસિકના માલિક, મુદ્રક પ્રકાશક અને તંત્રી છે. નવા વિષયો, ઉગતા લેખકો અને સૌથી વધુ એક સચોટ વિચાર સાથે ચાલતું આ માસિક એ વાતનો પુરાવો છે કે સાહિત્યમાં રૂઢીગત માસિકો – સામયિકોથી આગળ જઈને કાંઈક નવું કરવાની પ્રેરણા ધરાવતા લોકો હજી સમાજમાં બચ્યાં છે. જીવનયાત્રી સામયિકના સળંગ પચીસ અંક નવેમ્બર ૨૦૧૦માં પૂર્ણ થયાં છે એ નિમિતે મનોજભાઈને ખૂબ શુભેચ્છાઓ અને આ માસિક લોકોના જીવનને પ્રેરણા આપી શકે તેવા સદવિચારનો સતત ફેલાવો કરતું રહે, વિચારજ્યોતને પ્રગટાવતું રહે તેવી શુભેચ્છાઓ.


કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૧૫ 6

દર વખતની જેમ આ વખતે પણ પાંચ સુંદર અને મહદંશે ઉપયોગી નાવિન્યસભર વેબસાઈટ્સ વિશે થોડીક માહિતિ સાથે તેમની લિન્ક. આ વેબસાઈટ્સની યાદીમાં આજે શામેલ છે ઠઠ્ઠાચિત્રો બનાવવાની સુવિધા આપતી એક વધુ વેબસાઈટ, એનિમેટેડ મૂવિઝ બનાવવાની સગવડ માટેનું સોફ્ટવેર મફત આપતી વેબસાઈટ, જગતના અનેક જોવાલાયક સ્થળોના સુંદર પેનોરમિક દ્રશ્યો બતાવતી વેબસાઈટ વિશે થોડુંક, તો આવા જ શહેરોના અનેક રેકોર્ડ કરેલ અવાજોની ઓનલાઈન લાઈબ્રેરી, બ્રાઊઝિંગ હિસ્ટ્રી શોધવાની સગવડ આપતી વેબસુવિધા વગેરે વેબસાઈટ્સ. આપને આ સાઈટ્સ વિશેની માહિતિ કેટલી ઉપયોગી રહે છે તે અવશ્ય જણાવશો.


સિદ્ધયોગી સાથે મુલાકાત – સ્વામી રામ, અનુ. કુન્દનિકા કાપડીઆ 4

ઈ.સ. ૧૯૨૫ માં ગઢવાલમાં જન્મેલા અને હિમાલયમાં અનેક વર્ષો સુધી તેમના ગુરુના માર્ગદર્શન હેઠળ શિક્ષાપ્રાપ્તિ માટે ભ્રમણ કરનાર અને હિમાલયના યોગીઓની સાંખ્યશાખાના વારસદાર એવા સ્વામી રામને ઈ.સ. ૧૯૫૨માં તેમના ગુરુ દ્વારા પશ્ચિમમાં જઈને અધ્યાત્મ અને યોગના ફેલાવા માટે કામ કરવાની પ્રેરણા આપવામાં આવી. એ માટે પશ્ચિમમાં તેમણે હિમાલયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ યોગ સાયન્સ અને ફિલોસોફી ની સ્થાપના કરી. અમેરીકા અને યુરોપમાં તેમના ઈન્સ્ટીટ્યૂટની સભ્યસંખ્યા ખૂબ વધી, જો કે સાથે તેઓ અનેક વિવાદોમાં પણ સપડાયાં. તેમના દ્વારા તેમના હિમાલયના જીવન અને ગુરુ સાથેના સમયને લઈને આલેખાયેલ પુસ્તક, “લિવિંગ વિથ ધ હિમાલયન માસ્ટર્સ” એક અનોખુ પુસ્તક છે, જેનો ગુજરાતી અનુવાદ ૧૯૮૫માં કુન્દનિકા કાપડીઆ દ્વારા કરાયો છે. આજે પ્રસ્તુત છે સ્વામી રામના તેમના ગુરુ સાથેના તથા હિમાલયના અન્ય યોગીઓ સાથેના સંવાદનો એ પુસ્તકમાંથી થોડોક આસ્વાદ.


બે લઘુકથાઓ – સંકલિત 3

આજે પ્રસ્તુત છે બે લઘુવાર્તાઓ, માઈક્રોફિક્શનનું પોતાનું સૌંદર્ય હોય છે, ખૂબ ઓછા શબ્દોમાં ઘણું કહી દેવાની ક્ષમતા કેળવવી અનોખી બાબત છે. માઈક્રોફિક્શન વાર્તાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર સમયાંતરે આવતી રહી છે. આજની બે વાર્તાઓ પણ લઘુકથાઓના સંદર્ભે અનોખું નાવિન્ય ધરાવે છે. બદલાતી પૃષ્ઠભૂમી, નવીન વાર્તાતત્વ અને વાર્તામાં ભારોભાર રહેલું અધ્યાહાર સત્વ તેની મુખ્ય બાબતો છે.


સદગત કોઠાડાહ્યો – સિરાજ પટેલ ‘પગુથનવી’ 2

કોઠાડાહ્યો એટલે સામાન્ય બુદ્ધિ ધરાવતો સામાન્ય માણસ, સાવ સાધારણ અર્થમાં ‘કોમન મેન’, ભારતના, વિશ્વના કોઈપણ અર્થતંત્રનો પ્રબુદ્ધ નાગરીક. જો કે પ્રબુદ્ધની વ્યાખ્યા થોડીક અલગ છે. સમાજ આજે આવી તદ્દન સામાન્ય બુદ્ધિને દફનાવી ચૂક્યો છે, આજની વાતો સાંભળીએ તો ક્યારેક સમાજની સ્થિતિ પર અફસોસ વ્યક્ત કરવા સીવાય કાંઈ થઈ શકે તેમ નથી. પ્રામાણિક, નિષ્પક્ષ, તાટસ્થપૂર્ણ વ્યવહાર, સંયમ, કોઠાસૂઝ પ્રેરિત અભિગમ આદી અંગ્રેજી પ્રજાનાં વ્યાવર્તક લક્ષણો ગણાય છે. અંગ્રેજ સમસ્યા સંદર્ભે સહજ કોઠાસૂઝથી ઉકેલ શોધે છે. પણ હવે પરિસ્થિતિ બદલાઈ છે. સમસ્યાના હલ માટે કોઠાડાહ્યા લોકોએ ચીંધેલી પ્રણાલિઓને વિસારે પાડી અમેરિકાદત્ત પ્રવિધિઓ પ્રયોજાય છે. સમાજે કોઠાડાહ્યાને દફનાવી દીધો, તેનો વિષાદ પ્રગટ કરતાં “લંડન ટાઈમ્સે” એક મૃત્યુનોંધ છાપી છે, જેનો ભાવાનુવાદ પ્રસ્તુત છે.


કાળાં પાર્વતી – સ્વામી સચ્ચિદાનંદ 4

રંગની દ્રષ્ટિએ વિશ્વની પ્રજાને બે ભાગમાં વહેંચી શકાયઃ પહેલી ગૌર અને બીજી કાળી. ગૌરમાં પણ ત્રણ ભેદ છેઃ વિશુદ્ધ ગૌર, પીત ગૌર(ચીની વગેરે) અને આછી ગૌર (આરબ, ઈરાન, આર્યો વગેરે). કાળી પ્રજામાં ચઢતા-ઊતરતા ત્રણેક ભેદ કરી શકાય. તડકો લાગવાથી પ્રજા કાળી થાય છે તે વાત સાચી નથી. કાળી કે ગૌરી આનુવંશિકતાથી થતી હોય છે. એક માન્યતા એવી પણ છે કે વિશ્વની મહત્તા રંગને આઘીન છે. અર્થાત ગોરી પ્રજા જે ઐતિહાસિક વિજયો, ભૌગોલિક વિસ્તાર, આર્થિક સમૃદ્ધિ, બૌદ્ધિક ક્ષેત્રમાં જે જ્ઞાન વિજ્ઞાન વગેરે સંશોધનો કરી શકી છે તે કાળી કરી નથી શકી. જો વિશ્વની બધી પ્રજા કાળી હોત કે પછી બધી પ્રજા ગોરી હોત તો તુલનાત્મક ભેદ થાત નહિ, પણ આવું થયું છે એ હકીકત છે. શિવપુરાણમાંથી શિવ પાર્વતીને સાંકળતી આવી જ કાળા – ગોરા વાળી વાત આજે પ્રસ્તુત છે.


ઈશ્વરને ચરિતાર્થ કરતી બે દ્રષ્ટાંત કથાઓ – સંકલિત 4

ધર્મનો, ઈશ્વરનો કે અલ્લાહનો સ્થૂળ અર્થ જે આપણે કર્યો છે, અને ઈશ્વર સુધી પહોંચવા માટેના વિવિધ રસ્તાઓના વાડાઓ જે આપણે સર્જ્યા છે તેની વ્યર્થતા એક નાનકડા દ્રષ્ટાંત દ્વારા કેટલી સચોટ રીતે કહી શકાય છે તે અહીં સ્પષ્ટ થાય છે. પ્રસ્તુત બે દ્રષ્ટાંત કથાઓ સાંભળેલી છે, સ્મરણશક્તિને આધારે લખી છે, તેના લેખકનું નામ ધ્યાનમાં નથી, છતાં એ બંનેના લેખકો એક વાત તો સ્પષ્ટ રીતે બતાવી ગયાં છે, કે વાડાઓમાંથી બહાર નીકળીએ તો જ વિશ્વના દર્શન કરી શકાય, કૂવામાંથી બહાર આવી દરિયો અનુભવનાર જ નાનકડી બંધિયાર સ્થિતિની નિરર્થકતા સમજી શકે.