Daily Archives: September 9, 2010


પ્રસંગોના અમૃતબિંદુઓ – ડૉ. આઈ કે વીજળીવાળા 13

અનેકો વૈવિધ્ય ધરાવતો ઈન્ટરનેટનો મહાસાગર ખૂંદીને મેળવેલા અમૃતના બિંદુઓ જેવા આ પ્રસંગો ડૉ. આઈ કે વીજળીવાળાએ તેમના પુસ્તક અમૃતનો ઓડકાર અંતર્ગત સંકલિત કર્યા છે. મોતીચારો શ્રેણી અંતર્ગતનું આ તેમનું ચોથું પુસ્તક છે. હ્રદયને શાતા આપે, લાગણી આડેના બંધ ખોલી નાંખે અને ઈશ્વર પરની શ્રદ્ધા બેવડાઈ જાય એવા અદભુત પ્રસંગો વાંચતા જ હ્રદય તરબોળ થઈ જાય. નાનકડા પરંતુ ખૂબ જ સુંદર, પ્રત્યક્ષ બોધ ન હોવા છતાં સચોટ સંદેશ આ પ્રસંગોની ખૂબી છે. આજે એ જ પુસ્તકમાંથી બે પ્રસંગો અહીં પ્રસ્તુત કર્યા છે.